વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને જન્મજયંતી પર કર્યા યાદ


  • Published By :
  • Published Date : 2022-12-25 13:01:51

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા અનેક દિગ્ગજ નેતાઓએ તેમના સમાધિ સ્થાન 'સદૈવ અટલ'ની મુલાકાત લીધી હતી. સ્મારક પર જઈ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. વાજપેયજીની યાદમાં આ દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવામાં આવે છે.


'સદૈવ અટલ' પર જઈ આપી શ્રદ્ધાંજલિ 

ભારતરત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો 98મી જન્મ દિવસ છે. તેમની જન્મજયંતી પર અનેક નેતાઓએ તેમને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ 'સદૈવ અટલ' સમાધિ સ્થળ પર પહોંચી અટલ બિહારી વાજપૈયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 



વાજપેયીજીને યાદ કરી એક વીડિયો કર્યો શેર 

વડાપ્રધાન મોદીએ અટલજીને યાદ કરતા એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં પીએમએ લખ્યું હતું કે અટલજીને તેમની જન્મજયંતી પર લાખો સલામ. ભારત માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું નેતૃત્વ અને વિઝન લાખો લોકોને પ્રેરણા આપે છે. 



મદન મોહન માલવિયાને પણ આપી શ્રદ્ધાંજલિ

અટલજીની સાથે સાથે આજે મદનમોહન માલવિયાની પણ જયંતી છે. પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. માલવિયાજીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયનો પાયો નાખનાર મુખ્ય વ્યક્તિ માલવિયાજીએ પોતાનું જીવન શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું. તે ભારતના મહાન સપૂત હતા.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.