વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કર્યું સંબોધન! પર્યાવરણને લઈ ભારત દ્વારા લેવાતા પગલા અંગે કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-05 16:54:10

દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પર્યાવરણમાં થતાં ફેરફાર અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 


પર્યાયવરણ દિવસ નિમિત્તે પીએમનું સંબોધન!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન માટે સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભારતે ટેલિકોમ નેટવર્કને 4G અને 5G સુધી વિસ્તરણ કર્યું છે, તો તેણે તેના વન કવરને પણ સમાન સ્તર સુધી વધાર્યું છે. લોકોને સંબોધતા તેમણે કહ્યું- 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 



પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો થીમ પર થઈ રહી છે ઉજવણી!

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિકને લઈને છે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્લાસ્ટિક પ્રદુષણથી ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી અસરગ્રસ્ત રહ્યું છે. પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાયવરણને ખુબ નુકસાન પહોંચે છે. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પીએમે પોતાના સંબોધન દરમિયાન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું- 'વર્ષ 2018માં ભારતે પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે બે સ્તરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં એક તરફ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરાનું રિસાઇકલ કરવું ફરજિયાત બનાવ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.