વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કર્યું સંબોધન! પર્યાવરણને લઈ ભારત દ્વારા લેવાતા પગલા અંગે કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-05 16:54:10

દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પર્યાવરણમાં થતાં ફેરફાર અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 


પર્યાયવરણ દિવસ નિમિત્તે પીએમનું સંબોધન!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન માટે સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભારતે ટેલિકોમ નેટવર્કને 4G અને 5G સુધી વિસ્તરણ કર્યું છે, તો તેણે તેના વન કવરને પણ સમાન સ્તર સુધી વધાર્યું છે. લોકોને સંબોધતા તેમણે કહ્યું- 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 



પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો થીમ પર થઈ રહી છે ઉજવણી!

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિકને લઈને છે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્લાસ્ટિક પ્રદુષણથી ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી અસરગ્રસ્ત રહ્યું છે. પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાયવરણને ખુબ નુકસાન પહોંચે છે. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પીએમે પોતાના સંબોધન દરમિયાન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું- 'વર્ષ 2018માં ભારતે પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે બે સ્તરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં એક તરફ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરાનું રિસાઇકલ કરવું ફરજિયાત બનાવ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.