વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કર્યું સંબોધન! પર્યાવરણને લઈ ભારત દ્વારા લેવાતા પગલા અંગે કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-05 16:54:10

દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પર્યાવરણમાં થતાં ફેરફાર અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 


પર્યાયવરણ દિવસ નિમિત્તે પીએમનું સંબોધન!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન માટે સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભારતે ટેલિકોમ નેટવર્કને 4G અને 5G સુધી વિસ્તરણ કર્યું છે, તો તેણે તેના વન કવરને પણ સમાન સ્તર સુધી વધાર્યું છે. લોકોને સંબોધતા તેમણે કહ્યું- 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 



પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો થીમ પર થઈ રહી છે ઉજવણી!

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિકને લઈને છે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્લાસ્ટિક પ્રદુષણથી ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી અસરગ્રસ્ત રહ્યું છે. પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાયવરણને ખુબ નુકસાન પહોંચે છે. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પીએમે પોતાના સંબોધન દરમિયાન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું- 'વર્ષ 2018માં ભારતે પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે બે સ્તરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં એક તરફ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરાનું રિસાઇકલ કરવું ફરજિયાત બનાવ્યું છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.