કર્ણાટકમાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ, કહ્યું 'તેમનો એક જ એજન્ડા- પરિવાર બચાવો- ભ્રષ્ટાચાર વધારો'


  • Published By :
  • Published Date : 2023-07-18 13:05:27

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ખાતે વિપક્ષી એકતા બેઠકનું આયોજન થયું છે જેમાં 26 પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આજે બેઠકનો બીજો દિવસ છે. ચાર વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેંગ્લુરૂ ખાતે ઉપસ્થિત છે. ત્યારે આ બેઠક પર પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે. 

વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ!

વિપક્ષની એકતા બેઠક પર કટાક્ષ કર્યો છે ઉપરાંત  પીએમ મોદી આ બેઠકને ભ્રષ્ટાચારી સંમેલન પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે  આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બંધક બનાવવા ઈચ્છે છે. તેમના માટે હું એટલું જ કહેવા માંગુ છું - નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન મેલું છે, દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે અમને 2024માં પાછા લાવવાના છે. માટે ભારતની દુર્દશા માટે જે લોકો જવાબદાર છે તેમણે પોતાની દુકાનો ખોલી દીધી છે. 24 માટે 26 રાજકીય પક્ષો પર તે ખૂબ જ યોગ્ય છે. તેમનો એક જ એજન્ડા છે, પરિવાર બચાવો અને ભ્રષ્ટાચાર વધારો. તેના માટે પરિવાર પ્રથમ છે, દેશ બાદમાં છે. ન તો ખાતા કે ન તો વહી, પરિવાર જે કહે છે તે જ સાચું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .