કર્ણાટકમાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ, કહ્યું 'તેમનો એક જ એજન્ડા- પરિવાર બચાવો- ભ્રષ્ટાચાર વધારો'


  • Published By :
  • Published Date : 2023-07-18 13:05:27

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ખાતે વિપક્ષી એકતા બેઠકનું આયોજન થયું છે જેમાં 26 પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આજે બેઠકનો બીજો દિવસ છે. ચાર વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેંગ્લુરૂ ખાતે ઉપસ્થિત છે. ત્યારે આ બેઠક પર પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે. 

વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ!

વિપક્ષની એકતા બેઠક પર કટાક્ષ કર્યો છે ઉપરાંત  પીએમ મોદી આ બેઠકને ભ્રષ્ટાચારી સંમેલન પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે  આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બંધક બનાવવા ઈચ્છે છે. તેમના માટે હું એટલું જ કહેવા માંગુ છું - નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન મેલું છે, દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે અમને 2024માં પાછા લાવવાના છે. માટે ભારતની દુર્દશા માટે જે લોકો જવાબદાર છે તેમણે પોતાની દુકાનો ખોલી દીધી છે. 24 માટે 26 રાજકીય પક્ષો પર તે ખૂબ જ યોગ્ય છે. તેમનો એક જ એજન્ડા છે, પરિવાર બચાવો અને ભ્રષ્ટાચાર વધારો. તેના માટે પરિવાર પ્રથમ છે, દેશ બાદમાં છે. ન તો ખાતા કે ન તો વહી, પરિવાર જે કહે છે તે જ સાચું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.