કર્ણાટકમાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ, કહ્યું 'તેમનો એક જ એજન્ડા- પરિવાર બચાવો- ભ્રષ્ટાચાર વધારો'


  • Published By :
  • Published Date : 2023-07-18 13:05:27

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ખાતે વિપક્ષી એકતા બેઠકનું આયોજન થયું છે જેમાં 26 પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આજે બેઠકનો બીજો દિવસ છે. ચાર વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેંગ્લુરૂ ખાતે ઉપસ્થિત છે. ત્યારે આ બેઠક પર પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે. 

વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ!

વિપક્ષની એકતા બેઠક પર કટાક્ષ કર્યો છે ઉપરાંત  પીએમ મોદી આ બેઠકને ભ્રષ્ટાચારી સંમેલન પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે  આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બંધક બનાવવા ઈચ્છે છે. તેમના માટે હું એટલું જ કહેવા માંગુ છું - નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન મેલું છે, દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે અમને 2024માં પાછા લાવવાના છે. માટે ભારતની દુર્દશા માટે જે લોકો જવાબદાર છે તેમણે પોતાની દુકાનો ખોલી દીધી છે. 24 માટે 26 રાજકીય પક્ષો પર તે ખૂબ જ યોગ્ય છે. તેમનો એક જ એજન્ડા છે, પરિવાર બચાવો અને ભ્રષ્ટાચાર વધારો. તેના માટે પરિવાર પ્રથમ છે, દેશ બાદમાં છે. ન તો ખાતા કે ન તો વહી, પરિવાર જે કહે છે તે જ સાચું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.