PM મોદીના મુંડનવાળો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, આ તસ્વીરની શું છે હકીકત?


  • Published By :
  • Published Date : 2023-01-05 16:46:08

સોશિયલ મીડિયા પર અનેક વખત એવા ફોટા વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અનેક વખત ખોટા મેસેજ પણ જતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં પીએમ મોદી ક્લીન શેવ લુક અને મુંડન સાથે દેખાય છે.  જ્યારે આ અંગે તપાસ કરવામાં  આવી ત્યારે આ ફોટો એડિટેડ છે તે અંગે જાણકારી મળી હતી.

રિવાજો અનુસાર કરાયો હતો હીરાબાનો અંતિમ સંસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા હીરાબાનું નિધન 30 ડિસેમ્બરના રોજ થયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ધર્મ નિભાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. હિંદુ રીતિ રિવાજો મુજબ હીરાબાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચપ્પલ કાઢી પોતાની માતાને કાંધ આપી હતી ઉપરાંત માતાને મુખાગ્નિ પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ તમામ રિવાજોને નિભાવ્યા હતા.



ત્યારે માતાના  નિધન બાદ વડાપ્રધાન મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મુંડન અને ક્લીન શેવ કરાવ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો. હિંદુ રીતિ-રિવાજો અનુસાર તેમણે મુંડન કરાવ્યું હોય તેવું વાયરલ ફોટા પરના કેપ્શન પર લખવામાં આવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે મોદીજીએ તમામ રિવાજો સાદગીથી નિભાવ્યા છે. રિવાજોના અનુસાર તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાચા પુત્રની જેમ તેમણે મુંડન પણ કરાવ્યું છે. આ સિવાય ફોટા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે તે એક હિંદુ છોકરાની જેમ તેમણે હિંદુ સંસ્કારોને માન આપ્યું છે. 


શું છે વાયરલ ફોટાની હકીકત?

જ્યારે આ વાયરલ ફોટા અંગે તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડી કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેનો સાચો ફોટો પાંચ વર્ષ જૂનો છે. પાંચ વર્ષ પહેલાના ફોટા પર એડિટિંગ કરી આ ફોટો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.