PM મોદીના મુંડનવાળો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, આ તસ્વીરની શું છે હકીકત?


  • Published By :
  • Published Date : 2023-01-05 16:46:08

સોશિયલ મીડિયા પર અનેક વખત એવા ફોટા વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અનેક વખત ખોટા મેસેજ પણ જતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં પીએમ મોદી ક્લીન શેવ લુક અને મુંડન સાથે દેખાય છે.  જ્યારે આ અંગે તપાસ કરવામાં  આવી ત્યારે આ ફોટો એડિટેડ છે તે અંગે જાણકારી મળી હતી.

રિવાજો અનુસાર કરાયો હતો હીરાબાનો અંતિમ સંસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા હીરાબાનું નિધન 30 ડિસેમ્બરના રોજ થયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ધર્મ નિભાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. હિંદુ રીતિ રિવાજો મુજબ હીરાબાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચપ્પલ કાઢી પોતાની માતાને કાંધ આપી હતી ઉપરાંત માતાને મુખાગ્નિ પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ તમામ રિવાજોને નિભાવ્યા હતા.



ત્યારે માતાના  નિધન બાદ વડાપ્રધાન મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મુંડન અને ક્લીન શેવ કરાવ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો. હિંદુ રીતિ-રિવાજો અનુસાર તેમણે મુંડન કરાવ્યું હોય તેવું વાયરલ ફોટા પરના કેપ્શન પર લખવામાં આવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે મોદીજીએ તમામ રિવાજો સાદગીથી નિભાવ્યા છે. રિવાજોના અનુસાર તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાચા પુત્રની જેમ તેમણે મુંડન પણ કરાવ્યું છે. આ સિવાય ફોટા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે તે એક હિંદુ છોકરાની જેમ તેમણે હિંદુ સંસ્કારોને માન આપ્યું છે. 


શું છે વાયરલ ફોટાની હકીકત?

જ્યારે આ વાયરલ ફોટા અંગે તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડી કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેનો સાચો ફોટો પાંચ વર્ષ જૂનો છે. પાંચ વર્ષ પહેલાના ફોટા પર એડિટિંગ કરી આ ફોટો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.