PM મોદીના મુંડનવાળો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, આ તસ્વીરની શું છે હકીકત?


  • Published By :
  • Published Date : 2023-01-05 16:46:08

સોશિયલ મીડિયા પર અનેક વખત એવા ફોટા વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અનેક વખત ખોટા મેસેજ પણ જતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં પીએમ મોદી ક્લીન શેવ લુક અને મુંડન સાથે દેખાય છે.  જ્યારે આ અંગે તપાસ કરવામાં  આવી ત્યારે આ ફોટો એડિટેડ છે તે અંગે જાણકારી મળી હતી.

રિવાજો અનુસાર કરાયો હતો હીરાબાનો અંતિમ સંસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા હીરાબાનું નિધન 30 ડિસેમ્બરના રોજ થયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ધર્મ નિભાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. હિંદુ રીતિ રિવાજો મુજબ હીરાબાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચપ્પલ કાઢી પોતાની માતાને કાંધ આપી હતી ઉપરાંત માતાને મુખાગ્નિ પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ તમામ રિવાજોને નિભાવ્યા હતા.



ત્યારે માતાના  નિધન બાદ વડાપ્રધાન મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મુંડન અને ક્લીન શેવ કરાવ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો. હિંદુ રીતિ-રિવાજો અનુસાર તેમણે મુંડન કરાવ્યું હોય તેવું વાયરલ ફોટા પરના કેપ્શન પર લખવામાં આવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે મોદીજીએ તમામ રિવાજો સાદગીથી નિભાવ્યા છે. રિવાજોના અનુસાર તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાચા પુત્રની જેમ તેમણે મુંડન પણ કરાવ્યું છે. આ સિવાય ફોટા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે તે એક હિંદુ છોકરાની જેમ તેમણે હિંદુ સંસ્કારોને માન આપ્યું છે. 


શું છે વાયરલ ફોટાની હકીકત?

જ્યારે આ વાયરલ ફોટા અંગે તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડી કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેનો સાચો ફોટો પાંચ વર્ષ જૂનો છે. પાંચ વર્ષ પહેલાના ફોટા પર એડિટિંગ કરી આ ફોટો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.