પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના, વીડિયોમાં સમજાવ્યું યોગનું મહત્વ!


  • Published By :
  • Published Date : 2023-06-21 09:06:43

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી યોગ અને ભારતનો વિશેષ સંબંધ રહ્યો છે. શારીરિક તેમજ માનસિક આરોગ્ય માટે યોગને લાભદાયક માનવામાં આવે છે. ત્યારે યોગનું માહાત્મ્ય વિશ્વભરના લોકો સુધી પહોંચે તે માટે દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. પીએમ મોદી હાલ અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કરી કરશે. વીડિયો મેસેજના માધ્યમથી પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંદેશો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.


અલગ અલગ થીમ પર થાય છે વિશ્વ યોગ દિવસની ઉજવણી

વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. 27 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના પ્રસ્તાવનો સ્વીકાર થયો અને 2015થી આ દિવસની ઉજવણી શરૂ થઈ. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી થતી હોય છે. આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંબકમ માટે યોગા. મહત્વનું છે દર વર્ષે પીએમ મોદી સહિત અનેક રાજકીય નેતાઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરે છે. 



પીએમ મોદીએ સમજાવ્યું યોગનું મહત્વ

ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમીત્તે પીએમ મોદીએ વીડિયો સંદેશો પાઠવ્યો છે જેમાં તેમણે કહ્યું કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં આ મંત્ર ખૂબ જ મહત્વનો છે, જ્યારે આપણે યોગની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ. યોગ દ્વારા આપણે કર્મયોગ સુધીની યાત્રા મને વિશ્વાસ છે કે, યોગથી આપણે આપણા સ્વાસ્થ્યને શાનદાર બનાવીએ છીએ. આપણા સામર્થ્ય, આપણો માનસિક વિસ્તાર, આપણી ચેતના શક્તિ આ સંકલ્પ સાથે તમામને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.  



સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પીએમ મોદી કરશે યોગ

વધુમાં તેમણે કહ્યું કે આપણે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સમૃદ્ધ કર્યા છે. તેમને સેલિબ્રેટ કર્યું છે. એવી દરેક સંભાવના યોગ પ્રબળથી પ્રબળતમ કરે છે. યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા અંતર્વિરોધોને ખતમ કરવાનું છે. આપણને યોગ દ્વારા વિરોધો અને પ્રતિરોધોને ખતમ કરવાનો છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજીત એક વિશાળ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.