પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના, વીડિયોમાં સમજાવ્યું યોગનું મહત્વ!


  • Published By :
  • Published Date : 2023-06-21 09:06:43

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી યોગ અને ભારતનો વિશેષ સંબંધ રહ્યો છે. શારીરિક તેમજ માનસિક આરોગ્ય માટે યોગને લાભદાયક માનવામાં આવે છે. ત્યારે યોગનું માહાત્મ્ય વિશ્વભરના લોકો સુધી પહોંચે તે માટે દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. પીએમ મોદી હાલ અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કરી કરશે. વીડિયો મેસેજના માધ્યમથી પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંદેશો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.


અલગ અલગ થીમ પર થાય છે વિશ્વ યોગ દિવસની ઉજવણી

વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. 27 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના પ્રસ્તાવનો સ્વીકાર થયો અને 2015થી આ દિવસની ઉજવણી શરૂ થઈ. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી થતી હોય છે. આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંબકમ માટે યોગા. મહત્વનું છે દર વર્ષે પીએમ મોદી સહિત અનેક રાજકીય નેતાઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરે છે. 



પીએમ મોદીએ સમજાવ્યું યોગનું મહત્વ

ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમીત્તે પીએમ મોદીએ વીડિયો સંદેશો પાઠવ્યો છે જેમાં તેમણે કહ્યું કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં આ મંત્ર ખૂબ જ મહત્વનો છે, જ્યારે આપણે યોગની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ. યોગ દ્વારા આપણે કર્મયોગ સુધીની યાત્રા મને વિશ્વાસ છે કે, યોગથી આપણે આપણા સ્વાસ્થ્યને શાનદાર બનાવીએ છીએ. આપણા સામર્થ્ય, આપણો માનસિક વિસ્તાર, આપણી ચેતના શક્તિ આ સંકલ્પ સાથે તમામને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.  



સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પીએમ મોદી કરશે યોગ

વધુમાં તેમણે કહ્યું કે આપણે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સમૃદ્ધ કર્યા છે. તેમને સેલિબ્રેટ કર્યું છે. એવી દરેક સંભાવના યોગ પ્રબળથી પ્રબળતમ કરે છે. યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા અંતર્વિરોધોને ખતમ કરવાનું છે. આપણને યોગ દ્વારા વિરોધો અને પ્રતિરોધોને ખતમ કરવાનો છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજીત એક વિશાળ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.  



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.