રાજસ્થાનમાં પીએમ મોદીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર! સ્ટેજ પરથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા તો અશોક ગેહલોતે પણ ભાજપ પર કર્યા પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-05-10 17:17:14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. અનેક પ્રોજેક્ટોના શિલાન્યાસ કર્યા હતા. ત્યારે જાહેર મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અશોક ગેહલોતએ એક બીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કેટલા લોકો એટલી બધી નકારાત્મકતાથી ભરેલા છે કે તેમને દેશમાં કંઈ સારૂં થતું દેખાતું નથી. તેઓ માત્ર વિવાદ ઉભો કરવાનું પસંદ કરે છે. તો અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતના રોડ રસ્તા સાથે એક સમયે રાજસ્થાન કોમ્પિટિશનમાં હતું. હવે રાજસ્થાન રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતા પણ આગળ વધી ગયું છે.

  

અનેક પ્રોજેક્ટોનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ!  

રાજસ્થાનમાં એક તરફ જ્યાં કોંગ્રેસમાં ચાલતા આંતરીક ડખા સામે આવી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. 5500 કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમજ લોકાર્પણ કર્યું હતું, જનસભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તો રાજસ્થાનના મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં અનેક લોકો વિકૃત વિચારધારાના શિકાર બન્યા છે. જે દેશમાં કઈ સારૂ જોવા માગતા નથી. તે માત્ર વિવાદ કરવા માગે છે.  


પીએમ મોદીએ ભાષણ દરમિયાન વિપક્ષ પર કર્યા પ્રહાર! 

પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન દેશના સૌથી મોટા રાજ્યોમાનું એક છે અને ભારતની વીરતા, વારસાનું વાહક છે. રાજસ્થાન જેટલું વિકસિત થશે, ભારતના વિકાસને પણ એટલી ગતિ મળશે. એટલા માટે અમારી સરકાર રાજસ્થાનમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ટરની વાત કરે છું ત્યાં રેલ અને રોડ નથી. રેલવે હોય, હાઈવે હોય કે એરપોર્ટ હોય, દરેક ક્ષેત્રમાં ભારત સરકાર હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. 

અશોક ગેહલોતના ભાષણ દરમિયાન લાગ્યા મોદી મોદીના નારા!

એક તરફ વડાપ્રધાન મોદી ભાજપની પ્રશંસા કરી રહ્યા હતા તો બીજી તરફ એ જ મંચ પરથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતના રોડ રસ્તા સાથે એક સમયે રાજસ્થાન કોમ્પિટિશનમાં હતું. હવે રાજસ્થાન રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતા આગળ જતું રહ્યું છે. રાજસ્થાન યોજનાઓમાં પાણી અને વીજળી પહોંચાડે છે. અમે હાઈવે અને રોડ બનાવીએ રહ્યા છીએ. પહેલા ગુજરાત સાથે હરિફાઈ કરતા હતા પરંતુ હવે ગુજરાત કરતા આગળ વધી ગયા છીએ. અશોક ગેહલોત જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા. ત્યારે લોકોને શાંત રહેવા પીએમ મોદીએ ઈશારો કર્યો હતો.  


શ્રીનાથજીના શરણે પહોંચ્યા પીએમ મોદી!

જનસભાને સંબોધિત કરતા પહેલા પીએમ મોદી નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. ભગવાન આગળ શીશ નમાવ્યું હતું. મંદિર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મંદિરના પૂજારી સાથે વાત કરી હતી. મંદિરમાં જ્યારે જતાં તે પહેલા મંદિર બહાર સામાન્ય માણસોની ભારે ભીડ જોવા મળી હતી. પીએમની ગાડી પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.