વિદેશથી ભારત પરત આવેલા પીએમ મોદીએ પૂછ્યો દેશની સ્થિતિ અંગે સવાલ અને જે.પી.નડ્ડાએ આપ્યો આ અંગેનો જવાબ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-26 09:54:58

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે ગયા હતા. વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિષયો પર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત અને બેઠક કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પીએમ મોદી માદરે વતન પરત ફર્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના સાંસદો ઉપસ્થિત હતા. ભારત આવતાની સાથે જ પીએમ મોદીએ એક સવાલ કરતા પૂછ્યું કે ભારતમાં શું ચાલી રહ્યું છે?

 

અમેરિકામાં પીએમ મોદીનું થયું હતું ભવ્ય સ્વાગત 

રવિવાર મોડી રાત્રે વિદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે. અંદાજીત સાડા બારની આસપાસ તેમના પ્લેને દિલ્હીના એર્પોર્ટ લેન્ડ કર્યું હતું. પીએમ મોદી અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાતે હતા. ભારત માટે પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવતો હતો. વિદેશની ધરતી પણ મોદીમય બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પીએમ મોદી સાથે સેલ્ફી લેતા અમેરિકી સાંસદો દેખાયા હતા. તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમજ ફસ્ટ લેડીએ પીએમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યુએનમાં વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે કરી હતી. તે સિવાય અનેક મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી.


પીએમના સવાલ પર જે.પી.નડ્ડાએ આપ્યો આ જવાબ 

વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદી ગઈકાલે પરત આવી ગયા છે. એરપોર્ટ પર ઉતરતા જ તેમના સ્વાગત માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તો જવાબમાં જે.પી.નડ્ડાએ પીએમ મોદીને જવાબ આપતા જણાવ્યું કે પાર્ટીના નેતા તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણકારી આપી. જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે પાર્ટીના નેતા સરકારના 9 વર્ષ થવા પર રિપોર્ટ કાર્ડ લઈ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. તે સિવાય બીજેપીના સાંસદ પરવેશ વર્માએ પણ કંઈક આવું જ કહ્યું. તે સિવાય બીજેપીના વધુ એક સાંસદ હંસરાજ હંસે પીએમ મોદીને બિહારમાં થયેલી વિપક્ષી પાર્ટીની મીટિંગ અંગેની જાણકારી આપી હતી.  


વિપક્ષી પાર્ટીની બેઠક અંગે આપી જાણકારી 

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ દેશ વિશે પૂછ્યું હતું ત્યારે જે.પી.નડ્ડાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોની જાણકારી આપી હતી. કોઈ પણ નેતાએ પીએમ મોદીને કુસ્તીબાજો વિશે કંઈ ન કહ્યું, ન તો મણિપુર વિશે કઈ કહ્યું. એક સાંસદે બેઠક વિશે કહ્યું પરંતુ તે વિપક્ષી પાર્ટીના બેઠક અંગે જાણકારી આપી હતી પરંતુ મણિપુર અંગે અમિત શાહે કરેલી બેઠક વિશે જાણકારી આપી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.