વિદેશથી ભારત પરત આવેલા પીએમ મોદીએ પૂછ્યો દેશની સ્થિતિ અંગે સવાલ અને જે.પી.નડ્ડાએ આપ્યો આ અંગેનો જવાબ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-26 09:54:58

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે ગયા હતા. વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિષયો પર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત અને બેઠક કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પીએમ મોદી માદરે વતન પરત ફર્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના સાંસદો ઉપસ્થિત હતા. ભારત આવતાની સાથે જ પીએમ મોદીએ એક સવાલ કરતા પૂછ્યું કે ભારતમાં શું ચાલી રહ્યું છે?

 

અમેરિકામાં પીએમ મોદીનું થયું હતું ભવ્ય સ્વાગત 

રવિવાર મોડી રાત્રે વિદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે. અંદાજીત સાડા બારની આસપાસ તેમના પ્લેને દિલ્હીના એર્પોર્ટ લેન્ડ કર્યું હતું. પીએમ મોદી અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાતે હતા. ભારત માટે પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવતો હતો. વિદેશની ધરતી પણ મોદીમય બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પીએમ મોદી સાથે સેલ્ફી લેતા અમેરિકી સાંસદો દેખાયા હતા. તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમજ ફસ્ટ લેડીએ પીએમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યુએનમાં વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે કરી હતી. તે સિવાય અનેક મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી.


પીએમના સવાલ પર જે.પી.નડ્ડાએ આપ્યો આ જવાબ 

વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદી ગઈકાલે પરત આવી ગયા છે. એરપોર્ટ પર ઉતરતા જ તેમના સ્વાગત માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તો જવાબમાં જે.પી.નડ્ડાએ પીએમ મોદીને જવાબ આપતા જણાવ્યું કે પાર્ટીના નેતા તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણકારી આપી. જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે પાર્ટીના નેતા સરકારના 9 વર્ષ થવા પર રિપોર્ટ કાર્ડ લઈ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. તે સિવાય બીજેપીના સાંસદ પરવેશ વર્માએ પણ કંઈક આવું જ કહ્યું. તે સિવાય બીજેપીના વધુ એક સાંસદ હંસરાજ હંસે પીએમ મોદીને બિહારમાં થયેલી વિપક્ષી પાર્ટીની મીટિંગ અંગેની જાણકારી આપી હતી.  


વિપક્ષી પાર્ટીની બેઠક અંગે આપી જાણકારી 

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ દેશ વિશે પૂછ્યું હતું ત્યારે જે.પી.નડ્ડાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોની જાણકારી આપી હતી. કોઈ પણ નેતાએ પીએમ મોદીને કુસ્તીબાજો વિશે કંઈ ન કહ્યું, ન તો મણિપુર વિશે કઈ કહ્યું. એક સાંસદે બેઠક વિશે કહ્યું પરંતુ તે વિપક્ષી પાર્ટીના બેઠક અંગે જાણકારી આપી હતી પરંતુ મણિપુર અંગે અમિત શાહે કરેલી બેઠક વિશે જાણકારી આપી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.