વિદેશથી ભારત પરત આવેલા પીએમ મોદીએ પૂછ્યો દેશની સ્થિતિ અંગે સવાલ અને જે.પી.નડ્ડાએ આપ્યો આ અંગેનો જવાબ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-26 09:54:58

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે ગયા હતા. વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિષયો પર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત અને બેઠક કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પીએમ મોદી માદરે વતન પરત ફર્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના સાંસદો ઉપસ્થિત હતા. ભારત આવતાની સાથે જ પીએમ મોદીએ એક સવાલ કરતા પૂછ્યું કે ભારતમાં શું ચાલી રહ્યું છે?

 

અમેરિકામાં પીએમ મોદીનું થયું હતું ભવ્ય સ્વાગત 

રવિવાર મોડી રાત્રે વિદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે. અંદાજીત સાડા બારની આસપાસ તેમના પ્લેને દિલ્હીના એર્પોર્ટ લેન્ડ કર્યું હતું. પીએમ મોદી અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાતે હતા. ભારત માટે પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવતો હતો. વિદેશની ધરતી પણ મોદીમય બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પીએમ મોદી સાથે સેલ્ફી લેતા અમેરિકી સાંસદો દેખાયા હતા. તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમજ ફસ્ટ લેડીએ પીએમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યુએનમાં વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે કરી હતી. તે સિવાય અનેક મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી.


પીએમના સવાલ પર જે.પી.નડ્ડાએ આપ્યો આ જવાબ 

વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદી ગઈકાલે પરત આવી ગયા છે. એરપોર્ટ પર ઉતરતા જ તેમના સ્વાગત માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તો જવાબમાં જે.પી.નડ્ડાએ પીએમ મોદીને જવાબ આપતા જણાવ્યું કે પાર્ટીના નેતા તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણકારી આપી. જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે પાર્ટીના નેતા સરકારના 9 વર્ષ થવા પર રિપોર્ટ કાર્ડ લઈ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. તે સિવાય બીજેપીના સાંસદ પરવેશ વર્માએ પણ કંઈક આવું જ કહ્યું. તે સિવાય બીજેપીના વધુ એક સાંસદ હંસરાજ હંસે પીએમ મોદીને બિહારમાં થયેલી વિપક્ષી પાર્ટીની મીટિંગ અંગેની જાણકારી આપી હતી.  


વિપક્ષી પાર્ટીની બેઠક અંગે આપી જાણકારી 

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ દેશ વિશે પૂછ્યું હતું ત્યારે જે.પી.નડ્ડાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોની જાણકારી આપી હતી. કોઈ પણ નેતાએ પીએમ મોદીને કુસ્તીબાજો વિશે કંઈ ન કહ્યું, ન તો મણિપુર વિશે કઈ કહ્યું. એક સાંસદે બેઠક વિશે કહ્યું પરંતુ તે વિપક્ષી પાર્ટીના બેઠક અંગે જાણકારી આપી હતી પરંતુ મણિપુર અંગે અમિત શાહે કરેલી બેઠક વિશે જાણકારી આપી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.