વિદેશથી ભારત પરત આવેલા પીએમ મોદીએ પૂછ્યો દેશની સ્થિતિ અંગે સવાલ અને જે.પી.નડ્ડાએ આપ્યો આ અંગેનો જવાબ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-26 09:54:58

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે ગયા હતા. વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિષયો પર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત અને બેઠક કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પીએમ મોદી માદરે વતન પરત ફર્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના સાંસદો ઉપસ્થિત હતા. ભારત આવતાની સાથે જ પીએમ મોદીએ એક સવાલ કરતા પૂછ્યું કે ભારતમાં શું ચાલી રહ્યું છે?

 

અમેરિકામાં પીએમ મોદીનું થયું હતું ભવ્ય સ્વાગત 

રવિવાર મોડી રાત્રે વિદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે. અંદાજીત સાડા બારની આસપાસ તેમના પ્લેને દિલ્હીના એર્પોર્ટ લેન્ડ કર્યું હતું. પીએમ મોદી અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાતે હતા. ભારત માટે પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવતો હતો. વિદેશની ધરતી પણ મોદીમય બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પીએમ મોદી સાથે સેલ્ફી લેતા અમેરિકી સાંસદો દેખાયા હતા. તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમજ ફસ્ટ લેડીએ પીએમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યુએનમાં વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે કરી હતી. તે સિવાય અનેક મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી.


પીએમના સવાલ પર જે.પી.નડ્ડાએ આપ્યો આ જવાબ 

વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદી ગઈકાલે પરત આવી ગયા છે. એરપોર્ટ પર ઉતરતા જ તેમના સ્વાગત માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તો જવાબમાં જે.પી.નડ્ડાએ પીએમ મોદીને જવાબ આપતા જણાવ્યું કે પાર્ટીના નેતા તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણકારી આપી. જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે પાર્ટીના નેતા સરકારના 9 વર્ષ થવા પર રિપોર્ટ કાર્ડ લઈ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. તે સિવાય બીજેપીના સાંસદ પરવેશ વર્માએ પણ કંઈક આવું જ કહ્યું. તે સિવાય બીજેપીના વધુ એક સાંસદ હંસરાજ હંસે પીએમ મોદીને બિહારમાં થયેલી વિપક્ષી પાર્ટીની મીટિંગ અંગેની જાણકારી આપી હતી.  


વિપક્ષી પાર્ટીની બેઠક અંગે આપી જાણકારી 

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ દેશ વિશે પૂછ્યું હતું ત્યારે જે.પી.નડ્ડાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોની જાણકારી આપી હતી. કોઈ પણ નેતાએ પીએમ મોદીને કુસ્તીબાજો વિશે કંઈ ન કહ્યું, ન તો મણિપુર વિશે કઈ કહ્યું. એક સાંસદે બેઠક વિશે કહ્યું પરંતુ તે વિપક્ષી પાર્ટીના બેઠક અંગે જાણકારી આપી હતી પરંતુ મણિપુર અંગે અમિત શાહે કરેલી બેઠક વિશે જાણકારી આપી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.