PM Modi આજે રાત્રે આવશે ગુજરાત, બીજું કોણ કોણ આજે રોકાશે અમદાવાદ?


  • Published By :
  • Published Date : 2024-05-06 12:05:29

ગુજરાતમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે... મતાધિકારનો મતદાર ઉપયોગ કાલે કરશે.. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. મળતી માહિતી અનુસાર આજે સાંજે પીએમ મોદી ગુજરાત આવી શકે છે.. ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે.. એવી પણ માહિતી સામે આવી છે કે અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે.. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી શકે છે મતદાન કરવા.. તેમજ મધ્યપ્રદેશના ગર્વનર મંગુભાઈ પટેલ પણ ગુજરાત આવી મતાધિકારનો ઉપયોગ કરશે.   



મતદાતા કરશે મતાધિકારનો ઉપયોગ! 

દેશમાં લોકશાહીના મહા પર્વની ઉજવણી ચાલી રહી છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને આવતી કાલે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે..ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના માટે સરકાર પસંદ કરશે.. મત કરી પોતાના પસંદગીના ઉમેદવારને સાંસદ બનાવી સંસદ સુધી પહોંચાડશે.. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. પીએમ મોદી રાણીપમાં મતદાન કરવાના છે. રાણીપ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે..    




પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં કરશે મતદાન! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવાના છે પોતાનો મત આપવા માટે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે સવારે પીએમ મોદી મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચશે અને મતદાન કરશે... તે સિવાય અમિત શાહ 10 વાગ્યાની આસપાસ પોતાના મતદાન કરશે.. ત્યારે આપણે પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના તહેવારમાં સહભાગી બનીએ..  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."