PM Modi આજે રાત્રે આવશે ગુજરાત, બીજું કોણ કોણ આજે રોકાશે અમદાવાદ?


  • Published By :
  • Published Date : 2024-05-06 12:05:29

ગુજરાતમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે... મતાધિકારનો મતદાર ઉપયોગ કાલે કરશે.. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. મળતી માહિતી અનુસાર આજે સાંજે પીએમ મોદી ગુજરાત આવી શકે છે.. ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે.. એવી પણ માહિતી સામે આવી છે કે અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે.. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી શકે છે મતદાન કરવા.. તેમજ મધ્યપ્રદેશના ગર્વનર મંગુભાઈ પટેલ પણ ગુજરાત આવી મતાધિકારનો ઉપયોગ કરશે.   



મતદાતા કરશે મતાધિકારનો ઉપયોગ! 

દેશમાં લોકશાહીના મહા પર્વની ઉજવણી ચાલી રહી છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને આવતી કાલે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે..ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના માટે સરકાર પસંદ કરશે.. મત કરી પોતાના પસંદગીના ઉમેદવારને સાંસદ બનાવી સંસદ સુધી પહોંચાડશે.. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. પીએમ મોદી રાણીપમાં મતદાન કરવાના છે. રાણીપ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે..    




પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં કરશે મતદાન! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવાના છે પોતાનો મત આપવા માટે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે સવારે પીએમ મોદી મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચશે અને મતદાન કરશે... તે સિવાય અમિત શાહ 10 વાગ્યાની આસપાસ પોતાના મતદાન કરશે.. ત્યારે આપણે પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના તહેવારમાં સહભાગી બનીએ..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.