PM Modi આજે રાત્રે આવશે ગુજરાત, બીજું કોણ કોણ આજે રોકાશે અમદાવાદ?


  • Published By :
  • Published Date : 2024-05-06 12:05:29

ગુજરાતમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે... મતાધિકારનો મતદાર ઉપયોગ કાલે કરશે.. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. મળતી માહિતી અનુસાર આજે સાંજે પીએમ મોદી ગુજરાત આવી શકે છે.. ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે.. એવી પણ માહિતી સામે આવી છે કે અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે.. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી શકે છે મતદાન કરવા.. તેમજ મધ્યપ્રદેશના ગર્વનર મંગુભાઈ પટેલ પણ ગુજરાત આવી મતાધિકારનો ઉપયોગ કરશે.   



મતદાતા કરશે મતાધિકારનો ઉપયોગ! 

દેશમાં લોકશાહીના મહા પર્વની ઉજવણી ચાલી રહી છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને આવતી કાલે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે..ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના માટે સરકાર પસંદ કરશે.. મત કરી પોતાના પસંદગીના ઉમેદવારને સાંસદ બનાવી સંસદ સુધી પહોંચાડશે.. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. પીએમ મોદી રાણીપમાં મતદાન કરવાના છે. રાણીપ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે..    




પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં કરશે મતદાન! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવાના છે પોતાનો મત આપવા માટે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે સવારે પીએમ મોદી મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચશે અને મતદાન કરશે... તે સિવાય અમિત શાહ 10 વાગ્યાની આસપાસ પોતાના મતદાન કરશે.. ત્યારે આપણે પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના તહેવારમાં સહભાગી બનીએ..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.