28 મેના રોજ પીએમ મોદી કરશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન! અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી આપી આ અંગે માહિતી!


  • Published By :
  • Published Date : 2023-05-24 16:26:37

28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ સંસદ બિલ્ડીંગનું ઉદ્ધાટન થાય તે પહેલા આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. નવા સંસદ ભવનને લઈ એક તરફ વિપક્ષી પાર્ટીઓ ઉદ્ધાટન કાર્યક્રમને બહિષ્કાર કરવાની જાહેરાત કરી રહી છે તો બીજી તરફ અમિત શાહે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું કે નવું સંસદ ભવન પીએમ મોદીની દુરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. પીએમ મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે અને તે દરમિયાન 60 હજાર શ્રમ યોગીઓને પણ સન્માનિત કરવાના છે.

 

60 હજાર શ્રમયોગીનું કરાશે સન્માન!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા જ વિવાદ છેડાઈ ગયો છે. 28 મેના રોજ પીએમ મોદી સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ દરમિયાન અનેક પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામો અંગે વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્ધાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. ઉપરાંત તેવી પણ જાણકારી આપી હતી કે 28 મેના રોજ 60 હજાર શ્રમયોગીને સન્માનિત કરવામાં આવશે. 


નવા સંસદ ભવનમાં સેંગોલ કરાશે સ્થાપિત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે સેંગોલની પણ વાત કરી હતી. નવા સંસદ ભવનમાં સત્તા હસ્તાંતરણનું પ્રતિક ચિન્હ સેંગોલ પણ સ્થાપિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે 14 ઓગસ્ટ 1947એ રાત્રે 10.45 વાગ્યે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ સેંગોલ અંગ્રેજો પાસેથી લીધું હતું. ત્યારે નવા સંસદ ભવનમાં સેંગોલને રાખવામાં આવશે. સ્પીકરની ખુર્શી પાસે આને સ્થાપિત કરવામાં આવશે. 1947 બાદ કોંગ્રેસ પાર્ટીએ આને ભૂલાવી દીધું હતું, ક્યાંયે આનો ઉલ્લેખ જોવા મળતો નથી. 24 વર્ષ બાદ તમિલ વિદ્વાને આ મામલે ચર્ચા કરી હતી. સરકારી ડેટામાં આનો ઉલ્લેખ મળે છે. હાલ સેંગોલ પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે ત્યારે હવે સેંગોલને નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.