28 મેના રોજ પીએમ મોદી કરશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન! અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી આપી આ અંગે માહિતી!


  • Published By :
  • Published Date : 2023-05-24 16:26:37

28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ સંસદ બિલ્ડીંગનું ઉદ્ધાટન થાય તે પહેલા આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. નવા સંસદ ભવનને લઈ એક તરફ વિપક્ષી પાર્ટીઓ ઉદ્ધાટન કાર્યક્રમને બહિષ્કાર કરવાની જાહેરાત કરી રહી છે તો બીજી તરફ અમિત શાહે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું કે નવું સંસદ ભવન પીએમ મોદીની દુરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. પીએમ મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે અને તે દરમિયાન 60 હજાર શ્રમ યોગીઓને પણ સન્માનિત કરવાના છે.

 

60 હજાર શ્રમયોગીનું કરાશે સન્માન!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા જ વિવાદ છેડાઈ ગયો છે. 28 મેના રોજ પીએમ મોદી સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ દરમિયાન અનેક પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામો અંગે વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્ધાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. ઉપરાંત તેવી પણ જાણકારી આપી હતી કે 28 મેના રોજ 60 હજાર શ્રમયોગીને સન્માનિત કરવામાં આવશે. 


નવા સંસદ ભવનમાં સેંગોલ કરાશે સ્થાપિત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે સેંગોલની પણ વાત કરી હતી. નવા સંસદ ભવનમાં સત્તા હસ્તાંતરણનું પ્રતિક ચિન્હ સેંગોલ પણ સ્થાપિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે 14 ઓગસ્ટ 1947એ રાત્રે 10.45 વાગ્યે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ સેંગોલ અંગ્રેજો પાસેથી લીધું હતું. ત્યારે નવા સંસદ ભવનમાં સેંગોલને રાખવામાં આવશે. સ્પીકરની ખુર્શી પાસે આને સ્થાપિત કરવામાં આવશે. 1947 બાદ કોંગ્રેસ પાર્ટીએ આને ભૂલાવી દીધું હતું, ક્યાંયે આનો ઉલ્લેખ જોવા મળતો નથી. 24 વર્ષ બાદ તમિલ વિદ્વાને આ મામલે ચર્ચા કરી હતી. સરકારી ડેટામાં આનો ઉલ્લેખ મળે છે. હાલ સેંગોલ પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે ત્યારે હવે સેંગોલને નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે.          



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.