PM મોદી આજે SCO સમિટમાં લેશે ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 08:46:32

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

Modi's Putin and Biden Meetings Underscore India's Delicate Balancing Act

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની ફાઇલ તસ્વીર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે લગભગ 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા હતા. પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચેલા છેલ્લા નેતા હતા. SCO સમિટમાં સામેલ તમામ દેશના વડાઓ સમરકદ ખાતે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ પહોચી ગયા હતા. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે જેના પછી SCO નેતાઓની તાત્કાલિક બેઠક યોજાશે.

Image

રાત્રે 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.