PM મોદી આજે SCO સમિટમાં લેશે ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 08:46:32

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

Modi's Putin and Biden Meetings Underscore India's Delicate Balancing Act

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની ફાઇલ તસ્વીર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે લગભગ 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા હતા. પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચેલા છેલ્લા નેતા હતા. SCO સમિટમાં સામેલ તમામ દેશના વડાઓ સમરકદ ખાતે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ પહોચી ગયા હતા. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે જેના પછી SCO નેતાઓની તાત્કાલિક બેઠક યોજાશે.

Image

રાત્રે 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .