PM મોદી આજે SCO સમિટમાં લેશે ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 08:46:32

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

Modi's Putin and Biden Meetings Underscore India's Delicate Balancing Act

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની ફાઇલ તસ્વીર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે લગભગ 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા હતા. પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચેલા છેલ્લા નેતા હતા. SCO સમિટમાં સામેલ તમામ દેશના વડાઓ સમરકદ ખાતે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ પહોચી ગયા હતા. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે જેના પછી SCO નેતાઓની તાત્કાલિક બેઠક યોજાશે.

Image

રાત્રે 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'