કર્ણાટકના બિદરમાં ગર્જ્યા PM મોદી, 'કોંગ્રેસે મને અત્યાર સુધી 91 વખત અલગ-અલગ ગાળો આપી'


  • Published By :
  • Published Date : 2023-04-29 13:24:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. કર્ણાટકના બિદરમાં પીએમ મોદીની પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. કર્ણાટકના બિદરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ છે કે જેઓ દેશ માટે કામ કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. કોંગ્રેસે મને પણ ગાળો આપી છે, જો કે તેની આ બધી ગાળો ધુળમાં મળી જશે. કોંગ્રેસે પોતાના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આટલી મહેનત કરી હોત તો કોંગ્રેસની હાલત સુધરી ગઈ હોત.


કોંગ્રેસે મને 91 ગાળો આપી


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે, જેઓ તેમના સ્વાર્થી રાજકારણ પર હુમલો કરે છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના લોકોએ મને 91 વખત અલગ-અલગ રીતે ગાળો આપી છે. આ અપશબ્દોના આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસન માટે આટલી મહેનત કરી હોત તો તેમની હાલત આટલી દયનીય ન હોત. કોંગ્રેસના લોકો સાંભળો, તમે જ્યારે પણ ગાળો આપી છે ત્યારે જનતાએ તમને એવી સજા આપી છે કે તમે ઊભા ન રહી શકો. આ વખતે પણ કર્ણાટકની જનતા ગેરરીતિનો જવાબ મતદાન દ્વારા આપશે.


કર્ણાટકમાં PMનો આ 9મો પ્રવાસ


PM મોદીનો આ વર્ષે ફેબ્રુઆરી પછી કર્ણાટકનો આ નવમો પ્રવાસ છે. મોદીએ કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.