કર્ણાટકના બિદરમાં ગર્જ્યા PM મોદી, 'કોંગ્રેસે મને અત્યાર સુધી 91 વખત અલગ-અલગ ગાળો આપી'


  • Published By :
  • Published Date : 2023-04-29 13:24:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. કર્ણાટકના બિદરમાં પીએમ મોદીની પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. કર્ણાટકના બિદરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ છે કે જેઓ દેશ માટે કામ કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. કોંગ્રેસે મને પણ ગાળો આપી છે, જો કે તેની આ બધી ગાળો ધુળમાં મળી જશે. કોંગ્રેસે પોતાના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આટલી મહેનત કરી હોત તો કોંગ્રેસની હાલત સુધરી ગઈ હોત.


કોંગ્રેસે મને 91 ગાળો આપી


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે, જેઓ તેમના સ્વાર્થી રાજકારણ પર હુમલો કરે છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના લોકોએ મને 91 વખત અલગ-અલગ રીતે ગાળો આપી છે. આ અપશબ્દોના આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસન માટે આટલી મહેનત કરી હોત તો તેમની હાલત આટલી દયનીય ન હોત. કોંગ્રેસના લોકો સાંભળો, તમે જ્યારે પણ ગાળો આપી છે ત્યારે જનતાએ તમને એવી સજા આપી છે કે તમે ઊભા ન રહી શકો. આ વખતે પણ કર્ણાટકની જનતા ગેરરીતિનો જવાબ મતદાન દ્વારા આપશે.


કર્ણાટકમાં PMનો આ 9મો પ્રવાસ


PM મોદીનો આ વર્ષે ફેબ્રુઆરી પછી કર્ણાટકનો આ નવમો પ્રવાસ છે. મોદીએ કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.