કર્ણાટકના બિદરમાં ગર્જ્યા PM મોદી, 'કોંગ્રેસે મને અત્યાર સુધી 91 વખત અલગ-અલગ ગાળો આપી'


  • Published By :
  • Published Date : 2023-04-29 13:24:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. કર્ણાટકના બિદરમાં પીએમ મોદીની પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. કર્ણાટકના બિદરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ છે કે જેઓ દેશ માટે કામ કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. કોંગ્રેસે મને પણ ગાળો આપી છે, જો કે તેની આ બધી ગાળો ધુળમાં મળી જશે. કોંગ્રેસે પોતાના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આટલી મહેનત કરી હોત તો કોંગ્રેસની હાલત સુધરી ગઈ હોત.


કોંગ્રેસે મને 91 ગાળો આપી


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે, જેઓ તેમના સ્વાર્થી રાજકારણ પર હુમલો કરે છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના લોકોએ મને 91 વખત અલગ-અલગ રીતે ગાળો આપી છે. આ અપશબ્દોના આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસન માટે આટલી મહેનત કરી હોત તો તેમની હાલત આટલી દયનીય ન હોત. કોંગ્રેસના લોકો સાંભળો, તમે જ્યારે પણ ગાળો આપી છે ત્યારે જનતાએ તમને એવી સજા આપી છે કે તમે ઊભા ન રહી શકો. આ વખતે પણ કર્ણાટકની જનતા ગેરરીતિનો જવાબ મતદાન દ્વારા આપશે.


કર્ણાટકમાં PMનો આ 9મો પ્રવાસ


PM મોદીનો આ વર્ષે ફેબ્રુઆરી પછી કર્ણાટકનો આ નવમો પ્રવાસ છે. મોદીએ કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.