કર્ણાટકના બિદરમાં ગર્જ્યા PM મોદી, 'કોંગ્રેસે મને અત્યાર સુધી 91 વખત અલગ-અલગ ગાળો આપી'


  • Published By :
  • Published Date : 2023-04-29 13:24:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. કર્ણાટકના બિદરમાં પીએમ મોદીની પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. કર્ણાટકના બિદરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ છે કે જેઓ દેશ માટે કામ કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. કોંગ્રેસે મને પણ ગાળો આપી છે, જો કે તેની આ બધી ગાળો ધુળમાં મળી જશે. કોંગ્રેસે પોતાના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આટલી મહેનત કરી હોત તો કોંગ્રેસની હાલત સુધરી ગઈ હોત.


કોંગ્રેસે મને 91 ગાળો આપી


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે, જેઓ તેમના સ્વાર્થી રાજકારણ પર હુમલો કરે છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના લોકોએ મને 91 વખત અલગ-અલગ રીતે ગાળો આપી છે. આ અપશબ્દોના આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસન માટે આટલી મહેનત કરી હોત તો તેમની હાલત આટલી દયનીય ન હોત. કોંગ્રેસના લોકો સાંભળો, તમે જ્યારે પણ ગાળો આપી છે ત્યારે જનતાએ તમને એવી સજા આપી છે કે તમે ઊભા ન રહી શકો. આ વખતે પણ કર્ણાટકની જનતા ગેરરીતિનો જવાબ મતદાન દ્વારા આપશે.


કર્ણાટકમાં PMનો આ 9મો પ્રવાસ


PM મોદીનો આ વર્ષે ફેબ્રુઆરી પછી કર્ણાટકનો આ નવમો પ્રવાસ છે. મોદીએ કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.