જાપાનના હિરોશીમામાં ઝેલેંન્સ્કીને મળ્યા PM મોદી, રશિયા-યુક્રેન યુધ્ધ બાદ પહેલી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-05-20 19:00:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "યુક્રેન યુદ્ધ વિશ્વમાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થતંત્ર અને રાજકારણનો મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુધ્ધના સમાધાન માટે જે કાંઈ પણ થઈ શકે તે બધું જ કરીશું" પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સ્કી સાથે ચર્ચા કરી. 


ઝેલેન્સ્કીએ કરી હતી હસ્તક્ષેપની માગ


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એપ્રીલ મહિનામાં રશિયાએ ખાસ સૈન્ય અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી પીએમ મોદી અને યુક્રેની રાષ્ટ્રપતિા પહેલી મુલાકાત છે. રશિયા સાથે યુધ્ધની શરૂઆત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અનેક વખત પ્રધાન મંત્રી મોદીને ફોન પર યુધ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી હવે જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. જાપાનના આમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.