જાપાનના હિરોશીમામાં ઝેલેંન્સ્કીને મળ્યા PM મોદી, રશિયા-યુક્રેન યુધ્ધ બાદ પહેલી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-05-20 19:00:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "યુક્રેન યુદ્ધ વિશ્વમાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થતંત્ર અને રાજકારણનો મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુધ્ધના સમાધાન માટે જે કાંઈ પણ થઈ શકે તે બધું જ કરીશું" પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સ્કી સાથે ચર્ચા કરી. 


ઝેલેન્સ્કીએ કરી હતી હસ્તક્ષેપની માગ


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એપ્રીલ મહિનામાં રશિયાએ ખાસ સૈન્ય અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી પીએમ મોદી અને યુક્રેની રાષ્ટ્રપતિા પહેલી મુલાકાત છે. રશિયા સાથે યુધ્ધની શરૂઆત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અનેક વખત પ્રધાન મંત્રી મોદીને ફોન પર યુધ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી હવે જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. જાપાનના આમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?