જાપાનના હિરોશીમામાં ઝેલેંન્સ્કીને મળ્યા PM મોદી, રશિયા-યુક્રેન યુધ્ધ બાદ પહેલી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-05-20 19:00:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "યુક્રેન યુદ્ધ વિશ્વમાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થતંત્ર અને રાજકારણનો મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુધ્ધના સમાધાન માટે જે કાંઈ પણ થઈ શકે તે બધું જ કરીશું" પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સ્કી સાથે ચર્ચા કરી. 


ઝેલેન્સ્કીએ કરી હતી હસ્તક્ષેપની માગ


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એપ્રીલ મહિનામાં રશિયાએ ખાસ સૈન્ય અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી પીએમ મોદી અને યુક્રેની રાષ્ટ્રપતિા પહેલી મુલાકાત છે. રશિયા સાથે યુધ્ધની શરૂઆત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અનેક વખત પ્રધાન મંત્રી મોદીને ફોન પર યુધ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી હવે જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. જાપાનના આમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.