જાપાનના હિરોશીમામાં ઝેલેંન્સ્કીને મળ્યા PM મોદી, રશિયા-યુક્રેન યુધ્ધ બાદ પહેલી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-05-20 19:00:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "યુક્રેન યુદ્ધ વિશ્વમાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થતંત્ર અને રાજકારણનો મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુધ્ધના સમાધાન માટે જે કાંઈ પણ થઈ શકે તે બધું જ કરીશું" પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સ્કી સાથે ચર્ચા કરી. 


ઝેલેન્સ્કીએ કરી હતી હસ્તક્ષેપની માગ


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એપ્રીલ મહિનામાં રશિયાએ ખાસ સૈન્ય અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી પીએમ મોદી અને યુક્રેની રાષ્ટ્રપતિા પહેલી મુલાકાત છે. રશિયા સાથે યુધ્ધની શરૂઆત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અનેક વખત પ્રધાન મંત્રી મોદીને ફોન પર યુધ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી હવે જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. જાપાનના આમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. 



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો