બ્રિટનના PM ઋષિ સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને પર ફૂલ વેચ્યા, લોકોને થયું આશ્ચર્ય


  • Published By :
  • Published Date : 2022-11-04 14:06:08


બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં છે, મોંઘવારી આસમાને છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં દેશના નવા વડાપ્રધાન ઋષિ સુનકની સામે મોટા પડકારો છે. આમ છતાં પીએમ સુનકની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. હા, સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને Poppies  (એક પ્રકારનું ફૂલ) વેચતા જોવા મળ્યા હતા. પોતાના ટોચના નેતાને આવું કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.


સુનકે પોપી ડે માટે ફંડ એકઠું કર્યું


આ Poppies કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ફંડ ઊભુ કરવા માટે તેમણે 5 પાઉન્ડમાં એક ફૂલ વેચ્યું હતું. આ ફંડ રોયલ બ્રિટિશ લીજનના વાર્ષિક લંડન પોપી ડે માટે એકત્ર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સના સ્વયંસેવકોનો ભાગ બન્યા જે ઘરે ઘરે જઈને લોકો પાસે દાન માંગી રહ્યા છે.


લોકોએ પીએમ સાથે પણ વાતચીત કરી હતી


પીએમ સુનકની આવા જાહેર સ્થળે હાજરીને કારણે સામાન્ય લોકોને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. ઘણા લોકોએ તેમના વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી અને તેમની સાથે થોડી ચર્ચા કરી. આ પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને પોતાનો અનુભવ જણાવ્યો. લોકોએ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાતચીત કરવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.