જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા વિરૂદ્ધ થઈ પોલીસ ફરિયાદ, પહેલા યુવકનું અપહરણ કર્યું અને પછી માર્યો ઢોર માર, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-31 20:34:24

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે... કેમ કે તેમના દિકરા ગણેશે દાદાગીરી દેખાડી છે... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો..... જેના કારણે FIR નોંધાઈ.... એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે... 


અપહરણ કરી મારવામાં આવ્યો ઢોર માર 

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.... જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારનાં કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.... 



જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું..  

સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ ભોગ બનાનાર યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઇ સોલંકી જૂનાગઢના દાદાર રોડ પર રહે છે. કોરિયોગ્રાફીના વ્યવસાય સાથે તે સંકળાયેલા. સાથે સાથે કોંગ્રેસની યુવા પાંખ NSUI સાથે પણ જોડાયેલા. 



અચાનક ફોર વ્હીલર આવ્યું અને... 

તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખુબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઉભી રહી હતી....જોખમી રીતે ગાડી ચલાવવામાં આવી રહી હતી જેથી સંજય સોલંકીએ ગાડી સરખી ચલાવવાનું ગાડી ચાલકને કહ્યું... આ સાંભળતાની સાથે ગાડીમાંથી રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા અને માથાકુટ કરવા લાગ્યા... ત્યારબાદ સંજય પોતાના દિકરાને મુકવા ઘરે ગયા... અને ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરિતો સાથે આવી ગયા... 



વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ 

બાદમાં યુવકનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઇ ગયા અને યુવકને એક ખેતરમાં ઢોરમાર માર્યો હતો. ત્યાર બાદ ગણેશ ગઢમાં લઇ જઇને પણ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત જાતિ સૂચક શબ્દો બોલીને વારંવાર અપમાન પણ કર્યું હતું. તમારો ત્રાસ ખુબ વધી ગયો છે. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે. ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હડધુત કર્યો હતો. ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. 



10 લોકો સામે નોંધવામાં આવ્યો કેસ 

ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જૂનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


જયરાજસિંહ જાડેજા થોડા સમય પહેલા આવ્યા હતા ચર્ચામાં 

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવાર નવાર પોતાના દબંગ અંદાજના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવાર નવાર કોઇને કોઇ વિવાદોમાં સપડાતો રહેતો હોય છે. હાલમાં જ રિબડા વિધાનસભા ચૂંટણી પહેલા રિબડા જૂથ તથા ગોંડલજુથ વિવાદમાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજપુતો અંગે કરેલા બફાટ બાદ પણ થયેલા આંદોલનને શાંત કરવામાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી..... 


આ કેસની તપાસ પર સૌ કોઈની નજર 

જોવાનું એ રહેશે કે, આ કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચે છે..કારણ કે રાજનેતા અને દબંગ નેતાના પુત્ર સામે આ ફરિયાદ થઈ છે... સામાન્ય માણસની જેમ કાર્યવાહી થશે કે કેમ જોવુ રહેશે... શું આ પરિવાર લડવા નીકળ્યો છે તે અંત સુધી લડી શકશે કે એ પહેલા જ મામલો દબાઈ જશે... કેમ કે સામાન્ય પરિવારો માટે ન્યાય મેળવવું બહુ અઘરુ હોય છે..... જે રીતે અત્યારે પોલીસે ગુનો નોંધ્યો છે. સીસીટીવી સહિતના પુરાવા કબજે કર્યા છે. શું પોલીસ અંત સુધી સાથ આપી શકે છે કે કેમ એ પણ એક મોટો વિષય છે...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.