વાહ રે પોલીસ! સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, 3 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-11 19:18:43

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો હાસ્યાસ્પદ બની રહ્યો છે, દારૂબંધીના કાયદાના પાલનની જવાબદારી જેમના ખભે છે તે પોલીસકર્મીઓ જ કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. વલસાડમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરતો એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. આરોપી હિતેશ ચૌહાણ પત્ની અલકા ચૌહાણને સાથે રાખી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. 


3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત


પારડી પોલીસે બાતમીના આધારે સુરતના વાવ SRP કેમ્પના પોલીસ કોન્સ્ટેબલને દારૂની હેરાફેરી કરતો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી ત્રણ લાખથી વધુની મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો. દારૂના ધંધામાં મોટી કમાણીની લાલચમાં આવી કોન્સ્ટેબલ બુટલેગર બન્યો હતો.  

 

અગાઉ પણ બે  SRP જવાન ઝડપાયા હતા


નર્મદા બટાલિયન SRP જૂથ 18માં ફરજ બજાવતા અને SRP સ્ટાફ ક્વાટર માં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા હતા તેઓ પોતાની કારમાં 38 હજાર નો દારૂ ભરી આવતા મુદ્દામાલ સાથે LCB પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે દારૂની હેરાફેરીનો કેશ બનાવી બંનેની ધરપકડ કરી છે. અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ, અને વરશનભાઈ તેરસિંગ ભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની LCB નર્મદાને બાતમી મળી હતી સાથે આજે મોટો જથ્થો પોતાની કારમાં લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પી.આઈ.ની સૂચના હેઠળ પીએસઆઇ જે.બી.વસાવા પો.હે.કો. મુનીર બળવંતસિંહ સહિત ટીમ સમશેરપુરા કેનાલ પાસે ચેકીંગ કરતા હતા. એવા સમયે સમશેરપુરા કેનાલ પાસેથી અર્જુનસિંહ ગોહિલ અને વરશન રાઠવા નીકળવા જતા હતા. જો કે પોલીસે ગાડી ચેકીંગ કરી ત્યારે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો અંદાજિત 38,400 નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી પોલીસે કબ્જે કરી અને બંને SRP જવાનોની પણ ધરપકડ કરી હતી.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.