વાહ રે પોલીસ! સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, 3 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-11 19:18:43

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો હાસ્યાસ્પદ બની રહ્યો છે, દારૂબંધીના કાયદાના પાલનની જવાબદારી જેમના ખભે છે તે પોલીસકર્મીઓ જ કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. વલસાડમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરતો એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. આરોપી હિતેશ ચૌહાણ પત્ની અલકા ચૌહાણને સાથે રાખી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. 


3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત


પારડી પોલીસે બાતમીના આધારે સુરતના વાવ SRP કેમ્પના પોલીસ કોન્સ્ટેબલને દારૂની હેરાફેરી કરતો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી ત્રણ લાખથી વધુની મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો. દારૂના ધંધામાં મોટી કમાણીની લાલચમાં આવી કોન્સ્ટેબલ બુટલેગર બન્યો હતો.  

 

અગાઉ પણ બે  SRP જવાન ઝડપાયા હતા


નર્મદા બટાલિયન SRP જૂથ 18માં ફરજ બજાવતા અને SRP સ્ટાફ ક્વાટર માં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા હતા તેઓ પોતાની કારમાં 38 હજાર નો દારૂ ભરી આવતા મુદ્દામાલ સાથે LCB પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે દારૂની હેરાફેરીનો કેશ બનાવી બંનેની ધરપકડ કરી છે. અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ, અને વરશનભાઈ તેરસિંગ ભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની LCB નર્મદાને બાતમી મળી હતી સાથે આજે મોટો જથ્થો પોતાની કારમાં લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પી.આઈ.ની સૂચના હેઠળ પીએસઆઇ જે.બી.વસાવા પો.હે.કો. મુનીર બળવંતસિંહ સહિત ટીમ સમશેરપુરા કેનાલ પાસે ચેકીંગ કરતા હતા. એવા સમયે સમશેરપુરા કેનાલ પાસેથી અર્જુનસિંહ ગોહિલ અને વરશન રાઠવા નીકળવા જતા હતા. જો કે પોલીસે ગાડી ચેકીંગ કરી ત્યારે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો અંદાજિત 38,400 નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી પોલીસે કબ્જે કરી અને બંને SRP જવાનોની પણ ધરપકડ કરી હતી.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.