હનુમાન જયંતીને લઈ દેશના અનેક રાજ્યોમાં પોલીસ ફોર્સ કરાઈ તૈનાત, શોભાયાત્રા દરમિયાન હિંસા ન ભડકે તે માટે મુકાઈ પોલીસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:25:27

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રામનવમી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અનેક જગ્યાઓ પર પોલીસ બળને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહાર અને દિલ્હીમાં પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે હનુમાન જયંતીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હીમાં સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.  

    


હનુમાન જયંતીના દિવસે શાંતિ જળવાય તે માટે પોલીસ કરાઈ તૈનાત

રામનવમી દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા ફાટી નિકળી હતી. અનેક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીને અનેક દિવસો વીતી ગયા છે પરંતુ હિંસા શાંત થવાની નામ નથી લેતી. રવિવારે પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ વાહનોને આગ લગાડી દીધી હતી. તે સિવાય બિહારમાં પણ હિંસા જોવા મળી હતી. 


પોલીસે કર્યું હતું ફ્લેગમાર્ચ 

રામનવમીના દિવસે ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી હનુમાન જયંતી પર આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત અનેક રાજ્યોમાં પૌલીસ બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત પોલીસે પશ્ચિમ બંગાળમાં રાત્રે ફ્લેગ માર્ચ કર્યું હતું.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.