હનુમાન જયંતીને લઈ દેશના અનેક રાજ્યોમાં પોલીસ ફોર્સ કરાઈ તૈનાત, શોભાયાત્રા દરમિયાન હિંસા ન ભડકે તે માટે મુકાઈ પોલીસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-06 10:25:27

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રામનવમી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અનેક જગ્યાઓ પર પોલીસ બળને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહાર અને દિલ્હીમાં પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે હનુમાન જયંતીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હીમાં સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.  

    


હનુમાન જયંતીના દિવસે શાંતિ જળવાય તે માટે પોલીસ કરાઈ તૈનાત

રામનવમી દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા ફાટી નિકળી હતી. અનેક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીને અનેક દિવસો વીતી ગયા છે પરંતુ હિંસા શાંત થવાની નામ નથી લેતી. રવિવારે પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ વાહનોને આગ લગાડી દીધી હતી. તે સિવાય બિહારમાં પણ હિંસા જોવા મળી હતી. 


પોલીસે કર્યું હતું ફ્લેગમાર્ચ 

રામનવમીના દિવસે ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી હનુમાન જયંતી પર આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત અનેક રાજ્યોમાં પૌલીસ બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત પોલીસે પશ્ચિમ બંગાળમાં રાત્રે ફ્લેગ માર્ચ કર્યું હતું.      



જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.