હનુમાન જયંતીને લઈ દેશના અનેક રાજ્યોમાં પોલીસ ફોર્સ કરાઈ તૈનાત, શોભાયાત્રા દરમિયાન હિંસા ન ભડકે તે માટે મુકાઈ પોલીસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:25:27

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રામનવમી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અનેક જગ્યાઓ પર પોલીસ બળને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહાર અને દિલ્હીમાં પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે હનુમાન જયંતીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હીમાં સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.  

    


હનુમાન જયંતીના દિવસે શાંતિ જળવાય તે માટે પોલીસ કરાઈ તૈનાત

રામનવમી દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા ફાટી નિકળી હતી. અનેક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીને અનેક દિવસો વીતી ગયા છે પરંતુ હિંસા શાંત થવાની નામ નથી લેતી. રવિવારે પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ વાહનોને આગ લગાડી દીધી હતી. તે સિવાય બિહારમાં પણ હિંસા જોવા મળી હતી. 


પોલીસે કર્યું હતું ફ્લેગમાર્ચ 

રામનવમીના દિવસે ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી હનુમાન જયંતી પર આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત અનેક રાજ્યોમાં પૌલીસ બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત પોલીસે પશ્ચિમ બંગાળમાં રાત્રે ફ્લેગ માર્ચ કર્યું હતું.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.