હનુમાન જયંતીને લઈ દેશના અનેક રાજ્યોમાં પોલીસ ફોર્સ કરાઈ તૈનાત, શોભાયાત્રા દરમિયાન હિંસા ન ભડકે તે માટે મુકાઈ પોલીસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:25:27

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રામનવમી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અનેક જગ્યાઓ પર પોલીસ બળને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહાર અને દિલ્હીમાં પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે હનુમાન જયંતીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હીમાં સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.  

    


હનુમાન જયંતીના દિવસે શાંતિ જળવાય તે માટે પોલીસ કરાઈ તૈનાત

રામનવમી દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા ફાટી નિકળી હતી. અનેક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીને અનેક દિવસો વીતી ગયા છે પરંતુ હિંસા શાંત થવાની નામ નથી લેતી. રવિવારે પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ વાહનોને આગ લગાડી દીધી હતી. તે સિવાય બિહારમાં પણ હિંસા જોવા મળી હતી. 


પોલીસે કર્યું હતું ફ્લેગમાર્ચ 

રામનવમીના દિવસે ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી હનુમાન જયંતી પર આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત અનેક રાજ્યોમાં પૌલીસ બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત પોલીસે પશ્ચિમ બંગાળમાં રાત્રે ફ્લેગ માર્ચ કર્યું હતું.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.