શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ કરી રહી છે આફતાબની પૂછપરછ, આફતાબે ખોલ્યા અનેક રાઝ


  • Published By :
  • Published Date : 2022-11-21 11:19:55

શ્રદ્ધા હત્યાકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી અલગ અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. પોલીસ શરીરના ટુકડાને શોધવામાં લાગી છે. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછને ધ્યાનમાં રાખી પોલીસે દક્ષિણ દિલ્હીમાં આવેલા તળાવમાં પોતાની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે શ્રદ્ધાનું માથું અહીં ફેક્યું હતું. 


શ્રદ્ધાનું માથું શોધવા પોલીસનો પ્રયાસ

આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી દીધા હતા. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાનું માથું ક્યાં ફેક્યું છે. આફતાબના જણાવ્યા મુજબ તેણે છતરપુર જિલ્લાના મેદાનમાં આવેલા તળાવમાં તેનું માથું ફેકી દીધું હતું. પોલીસે ત્યાં જઈ તળાવને ખાલી કરવામાં આવી રહ્યું છે. 

श्रद्धा का हत्यारोपी आफताब

પોલીસને જંગલમાંથી અનેક હાડકા મળ્યા 

ઉપરાંત મહરૌલીના જંગલમાંથી પોલીસને અનેક હાડકા પણ મળી આવ્યા છે. આ હાડકા શ્રદ્ધાના છે કે નહીં તે માટે પોલીસે હાડકાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસ હવે આ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ હાડકા શ્રદ્ધાના હોય તો આ કેસને સોલ કરવામાં પોલીસને ઘણી મદદ મળી શકે છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ મુંબઈ સ્થિત ફ્લેટમાં પહોંચી છે જ્યાં તેઓ રહેતા હતા. પોલીસનું માનવું છે કે ઘરની તપાસ કરવાથી અનેક પુરાવા મળી શકે છે જે કેસને સોલ કરવામાં મદદ કરશે. 


આફતાબનો થશે નાર્કો ટેસ્ટ 

આ હત્યાકાંડ અંગે વધુ અને સાચી વિગતો મળી શકે તે માટે આજે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આફતાબને પૂછવા માટે અંદાજીત 40 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટ બાદ હત્યાકાંડના પૂરાવા મેળવવામાં તેમજ ઘટનાક્રમને સમજવામાં ઘણી મદદ મળી રહેશે.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.