શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ કરી રહી છે આફતાબની પૂછપરછ, આફતાબે ખોલ્યા અનેક રાઝ


  • Published By :
  • Published Date : 2022-11-21 11:19:55

શ્રદ્ધા હત્યાકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી અલગ અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. પોલીસ શરીરના ટુકડાને શોધવામાં લાગી છે. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછને ધ્યાનમાં રાખી પોલીસે દક્ષિણ દિલ્હીમાં આવેલા તળાવમાં પોતાની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે શ્રદ્ધાનું માથું અહીં ફેક્યું હતું. 


શ્રદ્ધાનું માથું શોધવા પોલીસનો પ્રયાસ

આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી દીધા હતા. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાનું માથું ક્યાં ફેક્યું છે. આફતાબના જણાવ્યા મુજબ તેણે છતરપુર જિલ્લાના મેદાનમાં આવેલા તળાવમાં તેનું માથું ફેકી દીધું હતું. પોલીસે ત્યાં જઈ તળાવને ખાલી કરવામાં આવી રહ્યું છે. 

श्रद्धा का हत्यारोपी आफताब

પોલીસને જંગલમાંથી અનેક હાડકા મળ્યા 

ઉપરાંત મહરૌલીના જંગલમાંથી પોલીસને અનેક હાડકા પણ મળી આવ્યા છે. આ હાડકા શ્રદ્ધાના છે કે નહીં તે માટે પોલીસે હાડકાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસ હવે આ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ હાડકા શ્રદ્ધાના હોય તો આ કેસને સોલ કરવામાં પોલીસને ઘણી મદદ મળી શકે છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ મુંબઈ સ્થિત ફ્લેટમાં પહોંચી છે જ્યાં તેઓ રહેતા હતા. પોલીસનું માનવું છે કે ઘરની તપાસ કરવાથી અનેક પુરાવા મળી શકે છે જે કેસને સોલ કરવામાં મદદ કરશે. 


આફતાબનો થશે નાર્કો ટેસ્ટ 

આ હત્યાકાંડ અંગે વધુ અને સાચી વિગતો મળી શકે તે માટે આજે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આફતાબને પૂછવા માટે અંદાજીત 40 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટ બાદ હત્યાકાંડના પૂરાવા મેળવવામાં તેમજ ઘટનાક્રમને સમજવામાં ઘણી મદદ મળી રહેશે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.