શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ કરી રહી છે આફતાબની પૂછપરછ, આફતાબે ખોલ્યા અનેક રાઝ


  • Published By :
  • Published Date : 2022-11-21 11:19:55

શ્રદ્ધા હત્યાકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી અલગ અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. પોલીસ શરીરના ટુકડાને શોધવામાં લાગી છે. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછને ધ્યાનમાં રાખી પોલીસે દક્ષિણ દિલ્હીમાં આવેલા તળાવમાં પોતાની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે શ્રદ્ધાનું માથું અહીં ફેક્યું હતું. 


શ્રદ્ધાનું માથું શોધવા પોલીસનો પ્રયાસ

આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી દીધા હતા. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાનું માથું ક્યાં ફેક્યું છે. આફતાબના જણાવ્યા મુજબ તેણે છતરપુર જિલ્લાના મેદાનમાં આવેલા તળાવમાં તેનું માથું ફેકી દીધું હતું. પોલીસે ત્યાં જઈ તળાવને ખાલી કરવામાં આવી રહ્યું છે. 

श्रद्धा का हत्यारोपी आफताब

પોલીસને જંગલમાંથી અનેક હાડકા મળ્યા 

ઉપરાંત મહરૌલીના જંગલમાંથી પોલીસને અનેક હાડકા પણ મળી આવ્યા છે. આ હાડકા શ્રદ્ધાના છે કે નહીં તે માટે પોલીસે હાડકાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસ હવે આ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ હાડકા શ્રદ્ધાના હોય તો આ કેસને સોલ કરવામાં પોલીસને ઘણી મદદ મળી શકે છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ મુંબઈ સ્થિત ફ્લેટમાં પહોંચી છે જ્યાં તેઓ રહેતા હતા. પોલીસનું માનવું છે કે ઘરની તપાસ કરવાથી અનેક પુરાવા મળી શકે છે જે કેસને સોલ કરવામાં મદદ કરશે. 


આફતાબનો થશે નાર્કો ટેસ્ટ 

આ હત્યાકાંડ અંગે વધુ અને સાચી વિગતો મળી શકે તે માટે આજે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આફતાબને પૂછવા માટે અંદાજીત 40 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટ બાદ હત્યાકાંડના પૂરાવા મેળવવામાં તેમજ ઘટનાક્રમને સમજવામાં ઘણી મદદ મળી રહેશે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.