ગુજરાતની રાજનીતિનું અતથી ઈતિ.. અધ્યાય બીજો .. જ્યારે બે સાથી નેતાઓ સ્પર્ધક બની ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 16:27:58

Story By- સમીર પરમાર.


આઝાદ ભારતની રાજનીતિમાં પ્રધાનમંત્રી બન્યા પછી જવાહરલાલ નહેરુનો દબદબો હતો, સરદાર પટેલનું તો 15 ડિસેમ્બર, 1950ના દિવસે જ નિધન થઈ ગયું હતુ, ગાંધી તો એ પહેલા જ ગોળીએ વિંધાઈ ગયા હતા, અને એટલે જ ભારતના પશ્ચિમી પ્રાંતમાંથી દેશની રાજનીતિમાં નેતાગીરી માટે હરિફાઈ નહોતી, ગાંધી-સરદારથી પ્રેરાઈને રાજનીતિમાં આવેલા વલસાડના મોરારજી દેસાઈ બોમ્બે પ્રોવિનન્સના સૌથી મોટા અને માનીતા નેતા બની રહ્યા, ભારતના પૂર્વી પટ્ટાની જેટલી સીટો થાય એટલી જ પશ્ચિમી પટ્ટાની પણ થતી હતી અને એટલે જ આવનાર સમયમાં એવું ચિત્ર બની શકે એમ હતું કે જવાહરલાલ નહેરુની સામે મોરારજી દેસાઈ ગમે ત્યારે સાથીમાંથી સ્પર્ધક બની જાય.



વર્ષ 1957માં થયેલી બૃહદ મુંબઈની (જોડાયેલું ગુજરાત+મહારાષ્ટ્ર) વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 396 જેટલી વિધાનસભાની બેઠકો હતી. કોંગ્રેસે 234 જેટલી બેઠકો જીતી બૃહદ મુંબઈમાં સરકાર બનાવી હતી. 1956માં યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ ફરીવાર બૃહદ મુંબઈના મુખ્યમંત્રી બન્યા હતા. દેશમાં કેન્દ્રની રાજનીતિમાં બૃહદ મુંબઈ અને ઉત્તર પ્રદેશની રાજનીતિ મુખ્ય હતા કેમ કે બંને રાજ્યોની વસ્તી ખુબ વધારે હતી, ઉત્તર પ્રદેશે ભારતને 1970 સુધીમાં અનેક કદ્દાવર રાજનેતાઓ આપ્યા છે. જ્યારે ગુજરાતે ગાંધી, સરદાર અને મોરારજી દેસાઈ જેવા અનેક નેતાઓ આપ્યા છે, આઝાદીના સમયમાં મહામના મદન મોહન માલવિયા, મોતીલાલ નેહરૂ, જવાહર જવાહરલાલ નેહરુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, આચાર્ય કૃપલાણી અને પુરુષોત્તમ દાસ ટંડન જેવા કદ્દાવર નેતા ઉત્તરપ્રદેશથી આવતા હતા.


આઝાદ થતા જ ભાષાઓમાં વહેંચાવા લાગ્યો દેશ

 વર્ષ 1947-48ના સમયમાં ભાષાના આધારે વિભાજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી ભાષાના આધારે રાજ્યો બનાવવા માટે ન્યાયમૂર્તિ એસ.કે. ધરની અધ્યક્ષતામાં ભાષા પંચની રચના કરવામાં આવી. એસ. કે. ધરની સમિતિએ વિશ્લેષણ બાદ વર્ષ 1948ની ડિસેમ્બરમાં રિપોર્ટ સોંપ્યો જેમાં નિર્દેશ અપાયા હતા કે, દેશના રાજ્યોનું પુનર્ગઠનમાં ભાષા નહીં પરંતુ દેશની પ્રગતિને ધ્યાનમાં રખાશે. સરકારી ચોપડે જે કામો થઈ રહ્યા છે ભાષાના આધારે કોઈ તકલીફ ના પડવી જોઈએ. આઝાદીને માત્ર એક વર્ષ થયું હતુ અને આંધ્રપ્રદેશમાં એ સમએ ભાષાના આધારે રાજ્ય બનાવવાની માગ વધી રહી હતી. જે માગના કારણે આંધ્રપ્રદેશમાં અનેક તોફાનો થયા અને આંધ્રપ્રદેશના ઈતિહાસના પાના પર લોહી રેડાયું. તે સમયે હાલના તેલંગાણા રાજ્યને આંધ્રપ્રદેશમાં જોડવાની માગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા હતા. એસ. કે. ધરના રિપોર્ટ બાદ સુધારા સાથે જે.વી.પી સમિતિનો રિપોર્ટ બહાર પડ્યો હતો જેમાં પણ રાજ્યનું પુનર્ગઠન ભાષાના આધારે નહીં પરંતુ પ્રશાસનની કામગીરીમાં વેગ મળે તેને ધ્યાનમાં રાખીને થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આવી જ એક માંગણી ભારતના પશ્ચિમી વિસ્તારમાં પણ ઉદભવી રહી હતી, મરાઠી અને ગુજરાતી બોલતા લોકોની વચ્ચે...


સરદાર અને ગાંધી પછી કૉંગ્રેસમાં કોણ મોટા નેતા?

દેશ સ્વતંત્ર થયાના પાંચ વર્ષોમાં તો કૉંગ્રેસમાં ખુબ મોટો પાવર વેક્યુમ ઉભો થઈ ગયો હતો, ઝનૂનથી લડેલા નેતાઓ મૃત્યુ પામ્યા હતા, કૉંગ્રેસમાં રાજકીય રીતે નહેરુ સૌથી મોટા નેતા હતા તો મોરારજી દેસાઈ ઉંમરમાં મોટા, પણ મોરારજી દેસાઈ પાસે ખુબ મોટા રાજ્ય બૃહદ મુંબઈનું સમર્થન હતું, ત્યાં કેટલાય નેતાઓ એવા હતા જે નહેરુ-મોરારજી ગૃપમાં વહેંચાવા લાગ્યા હતા, પણ મોરારજી દેસાઈ સામે એક વાત ખુબ મોટા પડકાર તરીકે આવી અને એ હતી બૃહદ મુંબઈ રાજ્યની ભાષાના આધારે થવા જઈ રહેલી વહેંચણીના એંધાણ, દેશ અને રાજ્યની રાજનીતિ એવો આકાર લઈ રહી હતી કે જેના કારણે ભાષાકીય આધાર પર વહેંચાઈ રહેલા રાજ્યો સમય જતા ગુજરાત અને મહારાષ્ટ્રના સ્વરૂપે અસ્તિત્વમાં આવવાના હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.