Congress કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ ગરમાઈ રાજનીતિ! Rahul Gandhiએ કરી ટ્વિટ તો Jignesh Mevaniએ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-07-03 15:15:31

રાહુલ ગાંધીએ સંસદમાં એક ભાષણ આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે.. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર બજરંગ દળ તેમજ VHPના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી.. ગઈકાલે ભાજપની યુવા પાંખ મોરચાના સભ્યો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા.. તોડફોડ બાદ સમાચાર સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો. 

કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈ રાહુલ ગાંધીએ કરી આ ટ્વિટ

અંદાજીત 30 મિનીટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો... અંતે પોલીસ આવી અને કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જેમાં અનેક MLA પણ હતા તેવા સમાચાર સામે આવ્યા. આ તોડફોડ બાદ રાહુલ ગાંધી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી.. જેમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા વિશે વાત કરી. ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. તે સિવાય રાહુલ ગાંધીએ ફરી એક વખત જણાવ્યું કે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે.


જીગ્નેશ મેવાણીએ કરી આ પોસ્ટ

આ મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સરકારના પગ ચાટવામાં ગુજરાત પોલીસ ટોચ પર છે. પ્રામાણિકપણે પોતાનું કામ કરતા કેટલાક સારા પોલીસકર્મીઓને કદાચ આ ન ગમે, પરંતુ હવે પોલીસની આ છબી છે. ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ સ્પષ્ટપણે એકતરફી કાર્યવાહી કરતી જોવા મળી હતી. પોલીસ કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસીને પાંચ ટર્મના ધારાસભ્યને ગલીના ગુંડાઓની જેમ ખેંચી જતી જોવા મળી હતી, જ્યારે પોલીસ ભાજપના ગુંડાઓને રોકવાનો પ્રયાસ પણ કરી રહી ન હતી.આવા સંજોગોમાં ન્યાયની કોઈ આશા રાખી શકાય? ત્યારે તમારૂં આ મામલે શું  કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.