રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાન પર રાજનીતિ ગરમાઈ! Congress અને AAPએ સરકારને ઘેરી કહ્યું સહાય...


  • Published By :
  • Published Date : 2023-11-29 12:09:04

શિયાળાની શરૂઆત હજી થઈ રહી હતી ત્યારે તો કમોસમી વરસાદનું આગમન થયું. રવિવારે અલગ  અલગ જગ્યાઓ પર માવઠું આવ્યું જેને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ અનિયમિત હતોજેને કારણે ખેડૂતોની દશા ખરાબ થઈ હતી ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. ગુજરાત સરકારે સર્વે કરાઈને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજકીય પાર્ટી દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાજ્ય સરકારે સહાય ચૂકવવાની આપી બાંહેધરી  

ગુજરાતને ૨૬ અને ૨૭ તારીખે આવેલા માવઠાએ ઘમરોળી નાખ્યું છે . આમાં સૌથી વધુ હેરાન જગતનો તાત એટલે ખેડૂત થયો છે . કારણ કે અત્યારે પડેલા વરસાદને કારણે રવિ પાકની વાવણીને મોટા પાયે નુકસાન થયું છે. ચણા , જીરું , ઘઉં, તુવેર, વરિયાળી  જેવા પાકોને વ્યાપક પ્રમાણે નુકશાન થયું . ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે કરાવવાની , સહાયની બાહેંધરી ખેડૂતોને આપી છે. ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે શરુ કરી દીધો છે ઉપરાંત નુકશાનનનું પૂરતું વળતર આપવાનું વચન આપ્યું છે . આના પર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે સહાય મામલે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ તરફથી આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજોય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. તો આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના ઘટે એટલે સરકાર સર્વે અને સહાયની વાત કરી દે છે પણ ક્યારેય જાહેર નથી કરતી કે કઈ સરકારી યોજના અંતર્ગત સહાય ચુકવાશે. અમારી માંગ છે કે માવઠાના કારણે જે લોકોને નુકસાન થયું છે તેમને 'મુખ્યમંત્રી કિસાન સહાય 'યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.