રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાન પર રાજનીતિ ગરમાઈ! Congress અને AAPએ સરકારને ઘેરી કહ્યું સહાય...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 12:09:04

શિયાળાની શરૂઆત હજી થઈ રહી હતી ત્યારે તો કમોસમી વરસાદનું આગમન થયું. રવિવારે અલગ  અલગ જગ્યાઓ પર માવઠું આવ્યું જેને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ અનિયમિત હતોજેને કારણે ખેડૂતોની દશા ખરાબ થઈ હતી ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. ગુજરાત સરકારે સર્વે કરાઈને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજકીય પાર્ટી દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાજ્ય સરકારે સહાય ચૂકવવાની આપી બાંહેધરી  

ગુજરાતને ૨૬ અને ૨૭ તારીખે આવેલા માવઠાએ ઘમરોળી નાખ્યું છે . આમાં સૌથી વધુ હેરાન જગતનો તાત એટલે ખેડૂત થયો છે . કારણ કે અત્યારે પડેલા વરસાદને કારણે રવિ પાકની વાવણીને મોટા પાયે નુકસાન થયું છે. ચણા , જીરું , ઘઉં, તુવેર, વરિયાળી  જેવા પાકોને વ્યાપક પ્રમાણે નુકશાન થયું . ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે કરાવવાની , સહાયની બાહેંધરી ખેડૂતોને આપી છે. ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે શરુ કરી દીધો છે ઉપરાંત નુકશાનનનું પૂરતું વળતર આપવાનું વચન આપ્યું છે . આના પર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે સહાય મામલે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ તરફથી આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજોય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. તો આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના ઘટે એટલે સરકાર સર્વે અને સહાયની વાત કરી દે છે પણ ક્યારેય જાહેર નથી કરતી કે કઈ સરકારી યોજના અંતર્ગત સહાય ચુકવાશે. અમારી માંગ છે કે માવઠાના કારણે જે લોકોને નુકસાન થયું છે તેમને 'મુખ્યમંત્રી કિસાન સહાય 'યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.