ભાજપ નેતાના દીકરાના કારસ્તાનને કારણે દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે થશે મતદાન, પ્રશ્ન થાય કે આમની સામે પગલા ક્યારે લેવાશે?


  • Published By :
  • Published Date : 2024-05-10 15:18:15

બુથ કેપ્ચરિંગની ઘટના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા નથી મળતી.. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.. 

દારૂના નશા કરતા સત્તાનો નશો વધારે હતો.. 

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થયું હતું.. શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું, ઈલેક્શન કમિશનની, ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓની તારીફ કરી.. પરંતુ બીજા દિવસે મહિસાગરથી એક વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ લોકો વતી મત કરી રહ્યો હતો..! વિજય ભાભોર નશાની હાલતમાં હતો પરંતુ નશા કરતા તેને સત્તાનો નશો વધારે હતો.. 


આવતી કાલે આ બુથ પર ફરી યોજાશે મતદાન

વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી અને આવતી કાલે બુથ નંબર 220માં મતદાન થવાનું છે. 1200થી વધારે મતદાતાઓ પોતાનો વોટ આપશે.. મતદાન માટે કરવામાં આવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 



વિજય ભાભોરના પિતા વિરૂદ્ધ નથી લેવાયા પગલા!

મહત્વનું છે કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. આ બૂછ પર ફરી એક વખત આવતી કાલે મતદાન થવાનું છે.. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં જે જવાબદાર અધિકારીઓ હતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સવાલએ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતા વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવ્યા.. 


જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો..!

વિજય ભાભોરના પિતા ભાજપમાં છે.. ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હજી સુધી વિજય ભાભોરના પિતા વિરૂધ કોઈ પગલા નથી લેવાયા.. પાર્ટીએ standards સેટ કરવા પડશે કે આવી વસ્તુઓને નહીં ચલાવી લેવામાં આવે.. જો આવી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જઈ શકે છે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.