ભાજપ નેતાના દીકરાના કારસ્તાનને કારણે દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે થશે મતદાન, પ્રશ્ન થાય કે આમની સામે પગલા ક્યારે લેવાશે?


  • Published By :
  • Published Date : 2024-05-10 15:18:15

બુથ કેપ્ચરિંગની ઘટના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા નથી મળતી.. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.. 

દારૂના નશા કરતા સત્તાનો નશો વધારે હતો.. 

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થયું હતું.. શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું, ઈલેક્શન કમિશનની, ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓની તારીફ કરી.. પરંતુ બીજા દિવસે મહિસાગરથી એક વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ લોકો વતી મત કરી રહ્યો હતો..! વિજય ભાભોર નશાની હાલતમાં હતો પરંતુ નશા કરતા તેને સત્તાનો નશો વધારે હતો.. 


આવતી કાલે આ બુથ પર ફરી યોજાશે મતદાન

વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી અને આવતી કાલે બુથ નંબર 220માં મતદાન થવાનું છે. 1200થી વધારે મતદાતાઓ પોતાનો વોટ આપશે.. મતદાન માટે કરવામાં આવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 



વિજય ભાભોરના પિતા વિરૂદ્ધ નથી લેવાયા પગલા!

મહત્વનું છે કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. આ બૂછ પર ફરી એક વખત આવતી કાલે મતદાન થવાનું છે.. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં જે જવાબદાર અધિકારીઓ હતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સવાલએ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતા વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવ્યા.. 


જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો..!

વિજય ભાભોરના પિતા ભાજપમાં છે.. ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હજી સુધી વિજય ભાભોરના પિતા વિરૂધ કોઈ પગલા નથી લેવાયા.. પાર્ટીએ standards સેટ કરવા પડશે કે આવી વસ્તુઓને નહીં ચલાવી લેવામાં આવે.. જો આવી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જઈ શકે છે..  



મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.