ભાજપ નેતાના દીકરાના કારસ્તાનને કારણે દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે થશે મતદાન, પ્રશ્ન થાય કે આમની સામે પગલા ક્યારે લેવાશે?


  • Published By :
  • Published Date : 2024-05-10 15:18:15

બુથ કેપ્ચરિંગની ઘટના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા નથી મળતી.. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.. 

દારૂના નશા કરતા સત્તાનો નશો વધારે હતો.. 

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થયું હતું.. શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું, ઈલેક્શન કમિશનની, ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓની તારીફ કરી.. પરંતુ બીજા દિવસે મહિસાગરથી એક વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ લોકો વતી મત કરી રહ્યો હતો..! વિજય ભાભોર નશાની હાલતમાં હતો પરંતુ નશા કરતા તેને સત્તાનો નશો વધારે હતો.. 


આવતી કાલે આ બુથ પર ફરી યોજાશે મતદાન

વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી અને આવતી કાલે બુથ નંબર 220માં મતદાન થવાનું છે. 1200થી વધારે મતદાતાઓ પોતાનો વોટ આપશે.. મતદાન માટે કરવામાં આવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 



વિજય ભાભોરના પિતા વિરૂદ્ધ નથી લેવાયા પગલા!

મહત્વનું છે કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. આ બૂછ પર ફરી એક વખત આવતી કાલે મતદાન થવાનું છે.. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં જે જવાબદાર અધિકારીઓ હતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સવાલએ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતા વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવ્યા.. 


જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો..!

વિજય ભાભોરના પિતા ભાજપમાં છે.. ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હજી સુધી વિજય ભાભોરના પિતા વિરૂધ કોઈ પગલા નથી લેવાયા.. પાર્ટીએ standards સેટ કરવા પડશે કે આવી વસ્તુઓને નહીં ચલાવી લેવામાં આવે.. જો આવી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જઈ શકે છે..  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.