ભાજપ નેતાના દીકરાના કારસ્તાનને કારણે દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે થશે મતદાન, પ્રશ્ન થાય કે આમની સામે પગલા ક્યારે લેવાશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 15:18:15

બુથ કેપ્ચરિંગની ઘટના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા નથી મળતી.. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.. 

દારૂના નશા કરતા સત્તાનો નશો વધારે હતો.. 

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થયું હતું.. શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું, ઈલેક્શન કમિશનની, ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓની તારીફ કરી.. પરંતુ બીજા દિવસે મહિસાગરથી એક વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ લોકો વતી મત કરી રહ્યો હતો..! વિજય ભાભોર નશાની હાલતમાં હતો પરંતુ નશા કરતા તેને સત્તાનો નશો વધારે હતો.. 


આવતી કાલે આ બુથ પર ફરી યોજાશે મતદાન

વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી અને આવતી કાલે બુથ નંબર 220માં મતદાન થવાનું છે. 1200થી વધારે મતદાતાઓ પોતાનો વોટ આપશે.. મતદાન માટે કરવામાં આવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 



વિજય ભાભોરના પિતા વિરૂદ્ધ નથી લેવાયા પગલા!

મહત્વનું છે કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. આ બૂછ પર ફરી એક વખત આવતી કાલે મતદાન થવાનું છે.. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં જે જવાબદાર અધિકારીઓ હતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સવાલએ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતા વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવ્યા.. 


જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો..!

વિજય ભાભોરના પિતા ભાજપમાં છે.. ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હજી સુધી વિજય ભાભોરના પિતા વિરૂધ કોઈ પગલા નથી લેવાયા.. પાર્ટીએ standards સેટ કરવા પડશે કે આવી વસ્તુઓને નહીં ચલાવી લેવામાં આવે.. જો આવી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જઈ શકે છે..  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.