પોપ ફ્રાન્સિસે સત્ય સ્વિકાર્યું, મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે


  • Published By :
  • Published Date : 2022-10-27 20:28:50

ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસે વિશ્વ સમક્ષ એક સનસનીખેજ સત્યનો સ્વીકાર કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે ઘણા પાદરીઓ અને નન પણ તેની ઝપેટમાં આવી ગયાા છે. તેમણે સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે. બીબીસીના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ડિજિટલ અને સોશિયલ મીડિયાના શ્રેષ્ઠ ઉપયોગ પર વેટિકન સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બીબીસીના પ્રશ્નોના જવાબમાં, 86 વર્ષીય પોપ ફ્રાન્સિસે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે પાદરીઓ અને સાધ્વીઓ (નન) પણ તે દુષણમાંથી બાકાત નથી.


પોર્નથી દુર રહેવાની આપી ચેતવણી


પોપ ફ્રાન્સિસે કહ્યું કે ઘણી સાધ્વીઓ (નન) પણ પોર્ન જુએ છે, પરંતુ તેમણે તેને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ ગણાવ્યું છે અને ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેનાથી દુર રહેવાની ચેતવણી આપી છે. આ સત્ર દરમિયાન, પોપે ધર્મના ક્ષેત્રમાં હાજર પાદરીઓ અને અન્ય લોકોને કહ્યું, 'પોર્નોગ્રાફી એક રોગ જેવી છે જેણે પાદરીઓ અને સાધ્વીઓને પણ ઝપેટમાં લઈ લીધા છે. શેતાન હવે આ માધ્યમથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.' સોશિયલ અને ડિજિટલ મીડિયાના ક્ષેત્ર વિશે પોપે કહ્યું, 'જો તમે તેમના પર સમય પસાર કરવા માંગતા હો, તો ઓછામાં ઓછા તેમના પર સમય પસાર કરો. જેઓ આખો દિવસ ઈસુના શરણમાં રહેવાની વાત કરે છે તેઓ આ અશ્લીલ (પોર્ન) માહિતી લઈ શકતા નથી.



પોર્નોગ્રાફી ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ


પોપ ફ્રાન્સિસે પાદરી અને નનોને સલાહ આપતા કહ્યું કે તમારે પોર્નને તમારા ફોનમાંથી જ દુર કરવું પડશે. આવું કરવાથી તમે કોઈ પણ પ્રકારની લાલચમાં નહીં આવો. પોપે પોર્નોગ્રાફીને ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ ગણાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે દુનિયાના અનેક દેશમાં પાદરી અને નન પર જાતિય શોષણના આરોપ લાગ્યા છે. જો કે આવું સૌપ્રથમ વખત બન્યું છે કે પાદરી અને નન પોર્નોગ્રાફીની ઝપેટમાં આવી ગયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.