પોપ ફ્રાન્સિસે સત્ય સ્વિકાર્યું, મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે


  • Published By :
  • Published Date : 2022-10-27 20:28:50

ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસે વિશ્વ સમક્ષ એક સનસનીખેજ સત્યનો સ્વીકાર કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે ઘણા પાદરીઓ અને નન પણ તેની ઝપેટમાં આવી ગયાા છે. તેમણે સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે. બીબીસીના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ડિજિટલ અને સોશિયલ મીડિયાના શ્રેષ્ઠ ઉપયોગ પર વેટિકન સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બીબીસીના પ્રશ્નોના જવાબમાં, 86 વર્ષીય પોપ ફ્રાન્સિસે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે પાદરીઓ અને સાધ્વીઓ (નન) પણ તે દુષણમાંથી બાકાત નથી.


પોર્નથી દુર રહેવાની આપી ચેતવણી


પોપ ફ્રાન્સિસે કહ્યું કે ઘણી સાધ્વીઓ (નન) પણ પોર્ન જુએ છે, પરંતુ તેમણે તેને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ ગણાવ્યું છે અને ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેનાથી દુર રહેવાની ચેતવણી આપી છે. આ સત્ર દરમિયાન, પોપે ધર્મના ક્ષેત્રમાં હાજર પાદરીઓ અને અન્ય લોકોને કહ્યું, 'પોર્નોગ્રાફી એક રોગ જેવી છે જેણે પાદરીઓ અને સાધ્વીઓને પણ ઝપેટમાં લઈ લીધા છે. શેતાન હવે આ માધ્યમથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.' સોશિયલ અને ડિજિટલ મીડિયાના ક્ષેત્ર વિશે પોપે કહ્યું, 'જો તમે તેમના પર સમય પસાર કરવા માંગતા હો, તો ઓછામાં ઓછા તેમના પર સમય પસાર કરો. જેઓ આખો દિવસ ઈસુના શરણમાં રહેવાની વાત કરે છે તેઓ આ અશ્લીલ (પોર્ન) માહિતી લઈ શકતા નથી.



પોર્નોગ્રાફી ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ


પોપ ફ્રાન્સિસે પાદરી અને નનોને સલાહ આપતા કહ્યું કે તમારે પોર્નને તમારા ફોનમાંથી જ દુર કરવું પડશે. આવું કરવાથી તમે કોઈ પણ પ્રકારની લાલચમાં નહીં આવો. પોપે પોર્નોગ્રાફીને ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ ગણાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે દુનિયાના અનેક દેશમાં પાદરી અને નન પર જાતિય શોષણના આરોપ લાગ્યા છે. જો કે આવું સૌપ્રથમ વખત બન્યું છે કે પાદરી અને નન પોર્નોગ્રાફીની ઝપેટમાં આવી ગયા છે.



પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.