દિલ્હીના આ વિસ્તારમાં પડ્યો ભૂવો! રસ્તો બેસી જતા લોકોને પડી હાલાકી!


  • Published By :
  • Published Date : 2023-05-03 12:16:13

ચોમાસા દરમિયાન ભૂવા અનેક જગ્યાઓ પર પડતા હોય છે. પરંતુ હવે તો રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા સામાનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણને એમ થતું હોય કે રસ્તાઓમાં ભૂવા માત્ર અમદાવાદમાં પડતા હોય છે પરંતુ આ વાત ખોટી છે. દેશના અનેક રાજ્યોમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે દિલ્હીના એક રસ્તા પર ભૂવો પડ્યો છે. જેને કારણે લોકોને આવન જાવન માટે તકલીફ પડી રહી છે.

દિલ્હીના રસ્તા પર જોવા મળ્યો ભૂવો! 

સારા રોડ રસ્તા હોવા એ પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તાઓને દેશની પ્રગતિનો માર્ગ પણ માનવામાં  આવે છે. પરંતુ આજકાલ તો રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે તેને જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં અનેક વખત રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત રસ્તાની વચ્ચોવચ ખાડા પડ્યા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા કિસ્સાઓ સામે આવવા ઘણા સામાન્ય હોય છે. આપણને ઘણી વખત થતું હોય છે કે આવી ઘટના ગુજરાતમાં જ બનતી હોય છે. પરંતુ દિલ્હીથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર ભૂવો પડ્યો છે. દિલ્હીના Khureji khas નજીક રસ્તો ભાંગી પડ્યો છે. 


અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર!

રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વપરાતા સામાનની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉભા થાય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નિર્માણ પામેલા રસ્તા પર ખાડા તેમજ ડામર ઉખડેલા દેખાય.અનેક બ્રિજ એવા છે જ્યાં તિરાડો દેખાતી હોય છે અને અમુક તો એવા બ્રિજ છે જેને માત્ર મહિનાઓની અંદર તોડવાની નોબત આવી ગઈ છે. અનેક રસ્તાઓ પર રસ્તા બેસી જતા હોય છે. ભૂવા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હીમાં પણ આવી ઘટના સર્જાઈ છે. ભૂવો પડવાને કારણે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.