દિલ્હીના આ વિસ્તારમાં પડ્યો ભૂવો! રસ્તો બેસી જતા લોકોને પડી હાલાકી!


  • Published By :
  • Published Date : 2023-05-03 12:16:13

ચોમાસા દરમિયાન ભૂવા અનેક જગ્યાઓ પર પડતા હોય છે. પરંતુ હવે તો રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા સામાનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણને એમ થતું હોય કે રસ્તાઓમાં ભૂવા માત્ર અમદાવાદમાં પડતા હોય છે પરંતુ આ વાત ખોટી છે. દેશના અનેક રાજ્યોમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે દિલ્હીના એક રસ્તા પર ભૂવો પડ્યો છે. જેને કારણે લોકોને આવન જાવન માટે તકલીફ પડી રહી છે.

દિલ્હીના રસ્તા પર જોવા મળ્યો ભૂવો! 

સારા રોડ રસ્તા હોવા એ પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તાઓને દેશની પ્રગતિનો માર્ગ પણ માનવામાં  આવે છે. પરંતુ આજકાલ તો રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે તેને જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં અનેક વખત રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત રસ્તાની વચ્ચોવચ ખાડા પડ્યા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા કિસ્સાઓ સામે આવવા ઘણા સામાન્ય હોય છે. આપણને ઘણી વખત થતું હોય છે કે આવી ઘટના ગુજરાતમાં જ બનતી હોય છે. પરંતુ દિલ્હીથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર ભૂવો પડ્યો છે. દિલ્હીના Khureji khas નજીક રસ્તો ભાંગી પડ્યો છે. 


અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર!

રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વપરાતા સામાનની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉભા થાય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નિર્માણ પામેલા રસ્તા પર ખાડા તેમજ ડામર ઉખડેલા દેખાય.અનેક બ્રિજ એવા છે જ્યાં તિરાડો દેખાતી હોય છે અને અમુક તો એવા બ્રિજ છે જેને માત્ર મહિનાઓની અંદર તોડવાની નોબત આવી ગઈ છે. અનેક રસ્તાઓ પર રસ્તા બેસી જતા હોય છે. ભૂવા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હીમાં પણ આવી ઘટના સર્જાઈ છે. ભૂવો પડવાને કારણે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.         




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.