દિલ્હીના આ વિસ્તારમાં પડ્યો ભૂવો! રસ્તો બેસી જતા લોકોને પડી હાલાકી!


  • Published By :
  • Published Date : 2023-05-03 12:16:13

ચોમાસા દરમિયાન ભૂવા અનેક જગ્યાઓ પર પડતા હોય છે. પરંતુ હવે તો રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા સામાનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણને એમ થતું હોય કે રસ્તાઓમાં ભૂવા માત્ર અમદાવાદમાં પડતા હોય છે પરંતુ આ વાત ખોટી છે. દેશના અનેક રાજ્યોમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે દિલ્હીના એક રસ્તા પર ભૂવો પડ્યો છે. જેને કારણે લોકોને આવન જાવન માટે તકલીફ પડી રહી છે.

દિલ્હીના રસ્તા પર જોવા મળ્યો ભૂવો! 

સારા રોડ રસ્તા હોવા એ પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તાઓને દેશની પ્રગતિનો માર્ગ પણ માનવામાં  આવે છે. પરંતુ આજકાલ તો રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે તેને જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં અનેક વખત રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત રસ્તાની વચ્ચોવચ ખાડા પડ્યા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા કિસ્સાઓ સામે આવવા ઘણા સામાન્ય હોય છે. આપણને ઘણી વખત થતું હોય છે કે આવી ઘટના ગુજરાતમાં જ બનતી હોય છે. પરંતુ દિલ્હીથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર ભૂવો પડ્યો છે. દિલ્હીના Khureji khas નજીક રસ્તો ભાંગી પડ્યો છે. 


અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર!

રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વપરાતા સામાનની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉભા થાય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નિર્માણ પામેલા રસ્તા પર ખાડા તેમજ ડામર ઉખડેલા દેખાય.અનેક બ્રિજ એવા છે જ્યાં તિરાડો દેખાતી હોય છે અને અમુક તો એવા બ્રિજ છે જેને માત્ર મહિનાઓની અંદર તોડવાની નોબત આવી ગઈ છે. અનેક રસ્તાઓ પર રસ્તા બેસી જતા હોય છે. ભૂવા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હીમાં પણ આવી ઘટના સર્જાઈ છે. ભૂવો પડવાને કારણે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.         




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.