પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈ ફરી છેડાયો વિવાદ! આદિપુરુષના ડિરેક્ટરે તિરુપતિ મંદિરમાં કૃતિ સેનને કરી કિસ! યુઝર્સે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-08 14:24:19

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ રહી છે. ફિલ્મ સાથે વિવાદ જોડાઈ ગયો હોય તેવી રીતે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. મંગળવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું તે બાદ ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનન અને નિર્માતા ઓમ રાઉતે વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. પરંતુ તે મંદિરની બહાર નિર્માતાએ પરિસરમાંથી બહાર નીકળતી વખતે ઓમ રાઉતે ક્રિતી સેનના ગાલ પર કિસ કરી ગળે લગાવી હતી. મંદિર પરિસરમાં આવા વર્તનથી ધર્મ ગુરૂઓ તેમજ લોકો નારાજ થયા છે.     


ધર્મગુરૂઓએ દર્શાવી નારાજગી!

16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. ભાજપના નેતા દ્વારા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ તે બાદ તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.    


અનેક વખત ફિલ્મ આવી ચૂકી છે વિવાદમાં!

ફિલ્મમાં રામાયણની કહાણી બતાવવામાં આવી છે. રામનું પાત્ર પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે ક્રિતી સેન સીતાનું પાત્ર ભજવી રહ્યા છે. આદિપુરૂષને લઈ જ્યારથી વાતો શરૂ થઈ હતી ત્યારથી તે વિવાદમાં છેડાઈ ગઈ હતી. ટીઝર જ્યારે રિલીઝ થયું ત્યારે તેમાં ભગવાન રામને મૂછો સાથે દર્શાવ્યા હતા જે બાદ લોકોએ કહ્યું કે ભગવાન રામને મૂછો ન હતી તો ફિલ્મમાં કેમ બતાવવામાં આવી? તે સિવાય એક સિનમાં ભગવાન રામ ચપ્પલ પહેરેલા બતાવ્યા છે. તેની પર પણ વિવાદ થયો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાન રામ ચપ્પલ નહીં પરંતુ લાકડાના ચપ્પલ પહેરતા હતા. 


વિવાદ બાદ ટીઝરને બદલવામાં આવ્યું! 

મહત્વનું છે કે ગયા વર્ષે દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું પરંતુ દર્શકોનો રિસ્પોન્સ ખૂબ નબળો મળ્યો હતો. પાત્રોના ખરાબ દેખાવ અને VFXને કારણે ફિલ્મની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. વિવાદ સર્જાયા બાદ નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરમાંથી જે સીનમાં વિવાદ સર્જાય તેવા સીનને હટાવી દેવાયા હતા. ત્યારે હવે ફિલ્મ ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી