‘આદિપુરૂષ પ્રી-રિલીઝ ઇવેન્ટ’ પહેલાં પ્રભાસે તિરૂપતિ બાલાજીના લીધા આશીર્વાદ! પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-06 16:43:55

સોશિયલ મીડિયા પર પ્રભાસ, ક્રિતી સેનનની આદિપૂરૂષ ટ્રેન્ડ થઈ રહી છે. જ્યારથી ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારથી ફેન્સમાં ફિલ્મની આતુરતા જોવા મળી હતી. ત્યારે મંગળવારે ફિલ્મનું પ્રી રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. તિરૂપતિ મંદિરમાં દર્શન કરવા પ્રભાસ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. પ્રભાસની એક ઝલક જોવા લોકોની ભારે ભીડ જામી ગઈ હતી.

 

તિરૂપતિ બાલાજીના દર્શને પહોંચ્યા અભિનેતા પ્રભાસ!

પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે કલાકારો અલગ અલગ રીતે પ્રમોશન કરતા હોય છે. ત્યારે પ્રભાસની ફિલ્મ આદિપૂરૂષ આવી રહી છે. તે ફિલ્મને પ્રમોટ કરવામાં ટીમ મેમ્બર્સ તેમજ  કલાકારો કસર નથી રાખી રહ્યા. ફિલ્મ રિલીઝ થવાની હોય તે પહેલા ફિલ્મના મુખ્ય કલાકારો ભગવાનના શરણે શિશ ઝૂકાવતા હોય છે. ત્યારે ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ પહેલા પ્રભાસ તિરુપતિ મંદિરમાં આશીર્વાદ લીધા હતા. 

પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ!

મંદિરમાં દર્શને ગયેલા પ્રભાસ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. પ્રભાસને જોવા તેમના ફેન્સે પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. મહત્વનું છે કે,આદિપુરુષની પ્રી-રીલીઝ ઈવેન્ટ, જે તિરુપતિમાં થશે, તે એક હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ હોવાની અપેક્ષા છે. જેમાં ફિલ્મનું બીજું ટ્રેલર દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે.

 

16 જૂનના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થવાની છે રિલીઝ!  

આદિપુરૂષ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા પ્રભાસ ભજવી રહ્યા છે જ્યારે સીતાનું પાત્ર ક્રિતી સેનન ભજવી રહ્યા છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું પરંતુ ખરાબ VFXને કારણે ફિલ્મ ઘણી ટ્રોલ થઈ હતી. જે બાદ સુધારા સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું સોન્ગ પણ દર્શકોને ખૂબ ગમ્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ગીત ટ્રેન્ડ થઈ રહ્યું હતું. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ફિલ્મ  સિનેમાધારોમાં રિલીઝ થવાની છે. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે દરેક સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી