‘આદિપુરૂષ પ્રી-રિલીઝ ઇવેન્ટ’ પહેલાં પ્રભાસે તિરૂપતિ બાલાજીના લીધા આશીર્વાદ! પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-06 16:43:55

સોશિયલ મીડિયા પર પ્રભાસ, ક્રિતી સેનનની આદિપૂરૂષ ટ્રેન્ડ થઈ રહી છે. જ્યારથી ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારથી ફેન્સમાં ફિલ્મની આતુરતા જોવા મળી હતી. ત્યારે મંગળવારે ફિલ્મનું પ્રી રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. તિરૂપતિ મંદિરમાં દર્શન કરવા પ્રભાસ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. પ્રભાસની એક ઝલક જોવા લોકોની ભારે ભીડ જામી ગઈ હતી.

 

તિરૂપતિ બાલાજીના દર્શને પહોંચ્યા અભિનેતા પ્રભાસ!

પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે કલાકારો અલગ અલગ રીતે પ્રમોશન કરતા હોય છે. ત્યારે પ્રભાસની ફિલ્મ આદિપૂરૂષ આવી રહી છે. તે ફિલ્મને પ્રમોટ કરવામાં ટીમ મેમ્બર્સ તેમજ  કલાકારો કસર નથી રાખી રહ્યા. ફિલ્મ રિલીઝ થવાની હોય તે પહેલા ફિલ્મના મુખ્ય કલાકારો ભગવાનના શરણે શિશ ઝૂકાવતા હોય છે. ત્યારે ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ પહેલા પ્રભાસ તિરુપતિ મંદિરમાં આશીર્વાદ લીધા હતા. 

પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ!

મંદિરમાં દર્શને ગયેલા પ્રભાસ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. પ્રભાસને જોવા તેમના ફેન્સે પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. મહત્વનું છે કે,આદિપુરુષની પ્રી-રીલીઝ ઈવેન્ટ, જે તિરુપતિમાં થશે, તે એક હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ હોવાની અપેક્ષા છે. જેમાં ફિલ્મનું બીજું ટ્રેલર દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે.

 

16 જૂનના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થવાની છે રિલીઝ!  

આદિપુરૂષ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા પ્રભાસ ભજવી રહ્યા છે જ્યારે સીતાનું પાત્ર ક્રિતી સેનન ભજવી રહ્યા છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું પરંતુ ખરાબ VFXને કારણે ફિલ્મ ઘણી ટ્રોલ થઈ હતી. જે બાદ સુધારા સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું સોન્ગ પણ દર્શકોને ખૂબ ગમ્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ગીત ટ્રેન્ડ થઈ રહ્યું હતું. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ફિલ્મ  સિનેમાધારોમાં રિલીઝ થવાની છે. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે દરેક સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.