શું પ્રતીક અને ઝુબેરને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે? દાવેદારોની રેસમાં અગ્રેસર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:44:51

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવશે. રોઇટર્સના સર્વે અનુસાર, આ વર્ષે જે દાવેદારોના નામ સૌથી ટોચ પર ચાલી રહ્યા છે તેમાં બે ભારતીય યુવાનો પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરનો સમાવેશ થાય છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO),મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર, બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાનાનો પણ સમાવેશ થાય  છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. 


કોણ છે પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર?


પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફેક્ટ-ચેકર્સ પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાના દાવેદારોમાં સામેલ છે. પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર Alt News નામની વેબસાઇટ ચલાવે છે, જે સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ફેક ન્યૂઝની હકીકત તપાસે છે. ટાઈમ મેગેઝિન અનુસાર, ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક, પ્રતિક અને ઝુબેર નોમિનેશનના આધારે નોબેલ પુરષ્કાર જીતવાના દાવેદારોમાં છે, જે નોર્વેના સંસદસભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ઝુબેરની ધરપકડના સમગ્ર વિશ્વમાં તીવ્ર પડઘા પડ્યા હતા, જેનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો.


શું કહ્યું પ્રતિક સિંહાએ?


Alt Newsના સ્થાપક સહસ્થાપક પ્રતીક સિંહા સાથે જ્યારે જમાવટ મીડિયાએ વાત કરી તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે તેમણે ખુબ જ નમ્રતા સાથે કહ્યું કે નોબેલ પીસ માટે અન્ય મજબુત દાવેદારો પણ છે અને ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં જ અમારા અંગે દાવો કરવામાં આવ્યો છે. જો કે શુક્રવારે જ્યારે નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખરેખર કોને ઈનામ મળ્યું તે સ્પષ્ટ થઈ જશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે