શું પ્રતીક અને ઝુબેરને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે? દાવેદારોની રેસમાં અગ્રેસર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:44:51

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવશે. રોઇટર્સના સર્વે અનુસાર, આ વર્ષે જે દાવેદારોના નામ સૌથી ટોચ પર ચાલી રહ્યા છે તેમાં બે ભારતીય યુવાનો પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરનો સમાવેશ થાય છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO),મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર, બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાનાનો પણ સમાવેશ થાય  છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. 


કોણ છે પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર?


પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફેક્ટ-ચેકર્સ પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાના દાવેદારોમાં સામેલ છે. પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર Alt News નામની વેબસાઇટ ચલાવે છે, જે સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ફેક ન્યૂઝની હકીકત તપાસે છે. ટાઈમ મેગેઝિન અનુસાર, ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક, પ્રતિક અને ઝુબેર નોમિનેશનના આધારે નોબેલ પુરષ્કાર જીતવાના દાવેદારોમાં છે, જે નોર્વેના સંસદસભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ઝુબેરની ધરપકડના સમગ્ર વિશ્વમાં તીવ્ર પડઘા પડ્યા હતા, જેનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો.


શું કહ્યું પ્રતિક સિંહાએ?


Alt Newsના સ્થાપક સહસ્થાપક પ્રતીક સિંહા સાથે જ્યારે જમાવટ મીડિયાએ વાત કરી તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે તેમણે ખુબ જ નમ્રતા સાથે કહ્યું કે નોબેલ પીસ માટે અન્ય મજબુત દાવેદારો પણ છે અને ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં જ અમારા અંગે દાવો કરવામાં આવ્યો છે. જો કે શુક્રવારે જ્યારે નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખરેખર કોને ઈનામ મળ્યું તે સ્પષ્ટ થઈ જશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .