પ્રવીણ સૂદ બન્યા CBIના નવા બોસ, બે વર્ષનો રહેશે કાર્યકાળ, આ મહત્વના કેસની કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-05-14 17:58:56

કર્ણાટક કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સૂદની CBIના નવા ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કર્ણાટકના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રવીણ સૂદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ચીફ તરીકેનો ચાર્જ આગામી 25 મેના રોજ ચાર્જ સંભાળશે. તેઓ CBIના વર્તમાન વડા સુબોધ કુમાર જયસ્વાલનું સ્થાન લેશે. 


ત્રણ સભ્યોની પેનલે કરી પસંદગી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની પેનલે સૂદની પસંદગી કરી છે. CBI ડાયરેક્ટરના નામોની પસંદગી માટે પેનલની બેઠક 13 મે, શનિવારે થઈ હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદની ભલામણ સામે અસંમતિ નોંધ રજૂ કરી હતી. અધીર રંજન ચૌધરીના કહેવા પ્રમાણે  ટોચની CBI પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા અધિકારીઓની મૂળ પેનલમાં સુદ નહોતા અને છેલ્લી ક્ષણે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 


કર્ણાટક કોંગ્રેસના નેતા શિવકુમારે કર્યો હતો વિરોધ


ડીજીપી પ્રવીણ સૂદ માર્ચમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે તેમના પર રાજ્યની ભાજપ સરકારને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે, તેઓ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધી રહ્યા છે.


આ મહત્વના કેસની કરશે તપાસ

 

પ્રવીણ સૂદ એવા સમયે CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે એજન્સી અનેક સંવેદનશીલ કેસોની તપાસ કરી રહી છે. જેમાં પેગાસસ સ્પાયવેર, કોરોના મહામારી દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીમાં કૌભાંડ જેવા મામલાનો સમાવેશ થાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.