MPમાં આદિવાસી યુવકના મોઢા પર પેશાબ કોણે કર્યો? કોંગ્રેસે કહ્યું - ભાજપ સમગ્ર સમાજની માફી માંગે


  • Published By :
  • Published Date : 2023-07-04 22:25:16

મધ્યપ્રદેશમાં એક શરમજનક તસવીર સામે આવી છે. તસવીર એટલા માટે વધુ શરમજનક છે કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શાસનમાં માત્ર ભાજપના નેતાએ જ આ શરમજનક કૃત્ય કર્યું છે. ઘટના સીધી જિલ્લાની છે, જ્યાં ભાજપના એક નેતા આદિવાસી યુવક પર પેશાબ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જે યુવક આદિવાસી યુવક પર પેશાબ કરતો જોવા મળે છે, તેનું નામ પ્રવેશ શુક્લા છે. પ્રવેશ શુક્લા ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાના ધારાસભ્ય પ્રતિનિધિ છે. જો કે ધારાસભ્ય કેદાર શુક્લાએ આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે મને મુખ્યમંત્રીએ પણ પૂછ્યું હતું, તેથી મેં તેમને કહ્યું કે તે મારો પ્રતિનિધિ નથી. CM શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ પછી પોલીસે કેસ નોંધ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ રવાના કરવામાં આવી છે.


આરોપી પર NSA લગાવો-CM શિવરાજ


ભાજપના એક નેતા આદિવાસી યુવક પર જાહેરમાં પેશાબ કરતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ CM શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાની નોંધ લીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજે બીજેપી નેતા સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સીએમ શિવરાજે ટ્વિટ કરીને લખ્યું- 'સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે. આના પર મેં વહીવટીતંત્રને ગુનેગારની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે અને NSA પણ લગાવવામાં આવે.


કમલનાથે ભાજપને માફી માગવા કહ્યું


પૂર્વ સીએમ અને પીસીસી ચીફ કમલનાથે એક નિવેદન જારી કરીને આ ઘટનાને શરમજનક ગણાવી છે. કમલનાથે કહ્યું કે રાજ્યના સિધી જિલ્લાના એક આદિવાસી યુવક પર પેશાબ કરવાની ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો છે. આદિવાસી સમાજના યુવાનો સાથે આવા જઘન્ય અને નીચ કૃત્ય માટે સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન નથી. આરોપ છે કે પેશાબ કરનાર વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.