દિલ્હીમાં આવતીકાલથી પ્રાથમિક શાળા બંધ, ઓડ-ઈવન લાગુ કરવાની તૈયારી, CM કેજરીવાલે જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 12:22:03

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે આવતીકાલથી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. આ સાથે પાંચમા ધોરણથી ઉપરના તમામ વર્ગો માટે આઉટડોર પ્રવૃત્તિઓ પણ બંધ કરવામાં આવી રહી છે.

Arvind Kejriwal brags about improved air quality in Delhi: Here's reality  check

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. વાયુ પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ ઉત્તર ભારતના ઘણા શહેરોની હવા ખરાબ થઈ ગઈ છે. પ્રદુષણ માટે માત્ર આમ આદમી પાર્ટી જ જવાબદાર નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે.


સીએમ કેજરીવાલે કહ્યું કે કેજરીવાલને ગાળો આપવાથી હવા સાફ નહીં થાય. આપણે સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે અમે ઓડ-ઈવન પર વિચાર કરી રહ્યા છીએ. જરૂર પડ્યે તેનો અમલ કરવામાં આવશે. આદેશ ગુપ્તા કહી રહ્યા છે કે તેમનો પૌત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમનો પૌત્ર પણ મારો પૌત્ર છે. અમે સાથે મળીને પ્રયાસ કરીશું કે કોઈપણ બાળકને કોઈ સમસ્યા ન આવે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.