National Awards 2023: આલિયા-અલ્લુ અને કૃતિને મળ્યો એવોર્ડ, જાણો ક્યા સ્ટાર્સને સન્માનિત કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2023-10-17 20:40:40

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કલાકારો માટે એક ખાસ દિવસ હોય છે, જેમાં તેમને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા દિલ્હીમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે રાજધાનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કલાકારોમાં આલિયા ભટ્ટ, અલ્લુ અર્જુન, કૃતિ સેનન અને વહીદા રહેમાન જેવા કલાકારોનો સમાવેશ થતો હતો. તો ચાલો તમને જણાવીએ કે કયા કલાકારને કયો એવોર્ડ મળ્યો...


આલિયા ભટ્ટ


પોતાના અભિનયથી દુનિયાભરમાં નામના મેળવનારી આલિયા ભટ્ટને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના શાનદાર અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. લગ્નની સાડી પહેરીને આવેલી આલિયા ભટ્ટે રાષ્ટ્રપતિ પાસેથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વિકાર્યો હતો. પતિ રણબીર કપૂર સાથે આવેલી આલિયાએ રેડ કાર્પેટ પર કહ્યું, 'આજે મારે એક જ શબ્દ બોલવો છે આભાર.' આલિયાએ તેની નેશનલ એવોર્ડ જીતને 'પિંચ મી મોમેન્ટ' ગણાવી હતી.


કૃતિ સેનન 


આલિયાની જેમ જ કૃતિ સેનન પણ ક્રીમ કલરની સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી હતી. કૃતિએ ફિલ્મ 'મિમી'માં તેના અભિનય માટે આલિયા સાથે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ શેર કર્યો હતો. આ ફિલ્મમાં તેણે સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી.  કૃતિએ રેડ કાર્પેટ પર કહ્યું કે તે આટલી સુંદર ભૂમિકા ભજવી શકવા માટે પોતાને ધન્ય અને ભાગ્યશાળી માને છે.


અલ્લુ અર્જુન

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ વર્ષે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. અલ્લુ અર્જુને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં તેના દમદાર અને શાનદાર અભિનય માટે આ એવોર્ડ જીત્યો હતો. અલ્લુ અર્જુને આ એવોર્ડથી સન્માનિત થવાને બેવડી સિદ્ધિ ગણાવી હતી. તેલુગુ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ પૈકીના એક અલ્લુ અર્જુને 'પુષ્પાઃ ધ રાઇઝ'માં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.


પંકજ ત્રિપાઠી


પોતાના અભિનય કળાથી લોકોના દિલમાં અમીટ છાપ છોડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને પણ આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેતાને ફિલ્મ 'મિમી'માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રસંગે પંકજ ત્રિપાઠી ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા.


વહીદા રહેમાન


પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને 85 વર્ષની વયે વર્ષ 2021 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારતીય સિનેમાની પ્રગતિ અને પ્રમોશનમાં તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યા બાદ પીઢ અભિનેત્રી વહીદા રહેમાન ભાવુક થઈ ગયા હતા.


આર માધવન


આર માધવનને 'રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ' માટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે આર માધવને તેનું નિર્દેશન પણ કર્યું હતું. એવોર્ડ મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું, 'ઓહ માય ગોડ, તે યોગ્ય છે.' એવોર્ડ મળવાની ખુશી અભિનેતાના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.