National Awards 2023: આલિયા-અલ્લુ અને કૃતિને મળ્યો એવોર્ડ, જાણો ક્યા સ્ટાર્સને સન્માનિત કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2023-10-17 20:40:40

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કલાકારો માટે એક ખાસ દિવસ હોય છે, જેમાં તેમને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા દિલ્હીમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે રાજધાનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કલાકારોમાં આલિયા ભટ્ટ, અલ્લુ અર્જુન, કૃતિ સેનન અને વહીદા રહેમાન જેવા કલાકારોનો સમાવેશ થતો હતો. તો ચાલો તમને જણાવીએ કે કયા કલાકારને કયો એવોર્ડ મળ્યો...


આલિયા ભટ્ટ


પોતાના અભિનયથી દુનિયાભરમાં નામના મેળવનારી આલિયા ભટ્ટને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના શાનદાર અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. લગ્નની સાડી પહેરીને આવેલી આલિયા ભટ્ટે રાષ્ટ્રપતિ પાસેથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વિકાર્યો હતો. પતિ રણબીર કપૂર સાથે આવેલી આલિયાએ રેડ કાર્પેટ પર કહ્યું, 'આજે મારે એક જ શબ્દ બોલવો છે આભાર.' આલિયાએ તેની નેશનલ એવોર્ડ જીતને 'પિંચ મી મોમેન્ટ' ગણાવી હતી.


કૃતિ સેનન 


આલિયાની જેમ જ કૃતિ સેનન પણ ક્રીમ કલરની સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી હતી. કૃતિએ ફિલ્મ 'મિમી'માં તેના અભિનય માટે આલિયા સાથે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ શેર કર્યો હતો. આ ફિલ્મમાં તેણે સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી.  કૃતિએ રેડ કાર્પેટ પર કહ્યું કે તે આટલી સુંદર ભૂમિકા ભજવી શકવા માટે પોતાને ધન્ય અને ભાગ્યશાળી માને છે.


અલ્લુ અર્જુન

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ વર્ષે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. અલ્લુ અર્જુને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં તેના દમદાર અને શાનદાર અભિનય માટે આ એવોર્ડ જીત્યો હતો. અલ્લુ અર્જુને આ એવોર્ડથી સન્માનિત થવાને બેવડી સિદ્ધિ ગણાવી હતી. તેલુગુ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ પૈકીના એક અલ્લુ અર્જુને 'પુષ્પાઃ ધ રાઇઝ'માં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.


પંકજ ત્રિપાઠી


પોતાના અભિનય કળાથી લોકોના દિલમાં અમીટ છાપ છોડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને પણ આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેતાને ફિલ્મ 'મિમી'માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રસંગે પંકજ ત્રિપાઠી ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા.


વહીદા રહેમાન


પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને 85 વર્ષની વયે વર્ષ 2021 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારતીય સિનેમાની પ્રગતિ અને પ્રમોશનમાં તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યા બાદ પીઢ અભિનેત્રી વહીદા રહેમાન ભાવુક થઈ ગયા હતા.


આર માધવન


આર માધવનને 'રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ' માટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે આર માધવને તેનું નિર્દેશન પણ કર્યું હતું. એવોર્ડ મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું, 'ઓહ માય ગોડ, તે યોગ્ય છે.' એવોર્ડ મળવાની ખુશી અભિનેતાના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.