હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં 11 અમેરિકનોના મોત, રાષ્ટ્રપતિ જો બિડેને નાગરિકોની સુરક્ષાને લઈ કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-10-10 22:45:38

પેલેસ્ટિનિયન ચરમપંથી જૂથ હમાસે શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં અનેક રોકેટ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને દાવો કર્યો છે કે ચરમપંથી જૂથ હમાસ અને યહૂદી રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 11 અમેરિકનો માર્યા ગયા છે.રાષ્ટ્રપતિ જો બિડેનને ટાંકીને વ્હાઇટ હાઉસે કહ્યું કે આ યુદ્ધમાં ઘણા અમેરિકન લોકો જેમણે ઇઝરાયેલ નાગરિકતા પણ મારવામાં આવી છે. માર્યા ગયેલા અમેરિકન લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જો બિડેને વધુમાં કહ્યું કે 'દેશમાં હોય કે વિદેશમાં, અમેરિકન નાગરિકોની સુરક્ષા મારા માટે પ્રથમ આવે છે. રાષ્ટ્રપતિ બિડેને હમાસ દ્વારા પકડાયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે અમેરિકન અધિકારીઓને દરેક મોરચે ઇઝરાયલના અધિકારીઓ સાથે કામ કરવાની સૂચના આપી છે. બિડેને પણ હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે.


રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નિક્કી હેલી પણ કર્યું ઈઝરાયેલનું સમર્થન


રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ચાલી રહેલા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી અને અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન નેતાઓએ હમાસના અણધાર્યા હુમલામાં સેંકડો લોકોના મોત બાદ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. હેલીએ રવિવારે 'એનબીસી ન્યૂઝ'ને કહ્યું, 'હમાસ અને તેને ટેકો આપતી ઈરાની સરકાર 'ઈઝરાયલનો અંત, અમેરિકાનો અંત' ના નારા લગાવી રહી હતી. આપણે આ યાદ રાખવાનું છે. આપણે ઇઝરાયેલની સાથે છીએ કારણ કે હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને ઈરાન સમર્થકો અમને નફરત કરે છે.' વધુમાં તેમણે કહ્યું, 'આપણે યાદ રાખવું પડશે કે જે કંઈ ઈઝરાયેલ સાથે થયું છે તે અમેરિકામાં પણ થઈ શકે છે. હું આશા રાખું છું કે આપણે બધા એક થઈને ઈઝરાયેલની સાથે ઊભા રહેવું પડશે, કારણ કે તેમને અત્યારે આપણી ખરેખર જરૂર છે.' હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 'તેમને (હમાસ) ખતમ કરવા કહ્યું હતું.' જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાની રેસમાં રહેલા રામાસ્વામીએ કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાથી અમેરિકાએ એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે કે તે પોતાની સરહદોની સુરક્ષાને લઈને બેદરકાર ન રહી શકે.


2007થી ગાઝા પટ્ટી પર હમાસનું શાસન


હમાસ એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી જૂથ છે, જે 2007 થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે. ગાઝા પટ્ટીની વસ્તી લગભગ 23 લાખ છે. તે 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે જે ઇઝરાયેલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલો છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?