હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં 11 અમેરિકનોના મોત, રાષ્ટ્રપતિ જો બિડેને નાગરિકોની સુરક્ષાને લઈ કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-10-10 22:45:38

પેલેસ્ટિનિયન ચરમપંથી જૂથ હમાસે શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં અનેક રોકેટ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને દાવો કર્યો છે કે ચરમપંથી જૂથ હમાસ અને યહૂદી રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 11 અમેરિકનો માર્યા ગયા છે.રાષ્ટ્રપતિ જો બિડેનને ટાંકીને વ્હાઇટ હાઉસે કહ્યું કે આ યુદ્ધમાં ઘણા અમેરિકન લોકો જેમણે ઇઝરાયેલ નાગરિકતા પણ મારવામાં આવી છે. માર્યા ગયેલા અમેરિકન લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જો બિડેને વધુમાં કહ્યું કે 'દેશમાં હોય કે વિદેશમાં, અમેરિકન નાગરિકોની સુરક્ષા મારા માટે પ્રથમ આવે છે. રાષ્ટ્રપતિ બિડેને હમાસ દ્વારા પકડાયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે અમેરિકન અધિકારીઓને દરેક મોરચે ઇઝરાયલના અધિકારીઓ સાથે કામ કરવાની સૂચના આપી છે. બિડેને પણ હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે.


રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નિક્કી હેલી પણ કર્યું ઈઝરાયેલનું સમર્થન


રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ચાલી રહેલા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી અને અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન નેતાઓએ હમાસના અણધાર્યા હુમલામાં સેંકડો લોકોના મોત બાદ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. હેલીએ રવિવારે 'એનબીસી ન્યૂઝ'ને કહ્યું, 'હમાસ અને તેને ટેકો આપતી ઈરાની સરકાર 'ઈઝરાયલનો અંત, અમેરિકાનો અંત' ના નારા લગાવી રહી હતી. આપણે આ યાદ રાખવાનું છે. આપણે ઇઝરાયેલની સાથે છીએ કારણ કે હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને ઈરાન સમર્થકો અમને નફરત કરે છે.' વધુમાં તેમણે કહ્યું, 'આપણે યાદ રાખવું પડશે કે જે કંઈ ઈઝરાયેલ સાથે થયું છે તે અમેરિકામાં પણ થઈ શકે છે. હું આશા રાખું છું કે આપણે બધા એક થઈને ઈઝરાયેલની સાથે ઊભા રહેવું પડશે, કારણ કે તેમને અત્યારે આપણી ખરેખર જરૂર છે.' હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 'તેમને (હમાસ) ખતમ કરવા કહ્યું હતું.' જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાની રેસમાં રહેલા રામાસ્વામીએ કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાથી અમેરિકાએ એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે કે તે પોતાની સરહદોની સુરક્ષાને લઈને બેદરકાર ન રહી શકે.


2007થી ગાઝા પટ્ટી પર હમાસનું શાસન


હમાસ એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી જૂથ છે, જે 2007 થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે. ગાઝા પટ્ટીની વસ્તી લગભગ 23 લાખ છે. તે 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે જે ઇઝરાયેલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલો છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.