સંસદમાં શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદી મીડિયા સમક્ષ થયા રૂબરૂ


  • Published By :
  • Published Date : 2022-12-07 11:04:48

આજથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 27 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. ત્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતના આંગણે જી-20 યોજાઈ રહી છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. 

અમૃત કાળમાં અમે આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી 

પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું આજે સંસદનો પ્રથમ દિવસ છે. આ સત્ર એટલા માટે પણ જરૂરી છે કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા. 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થયું અને અમે અમૃત કાળમાં આગળ વધ્યા. 

વૈશ્વિક સ્તરે ભારતને આગળ વધારાના પ્રયત્નો કરાશે - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે વિકાસની વાત કરતા રહ્યું કે આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈઓ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન વૈશ્વિક સ્તરે દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરાશે જેને લઈ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવાશે.

રાજકીય પાર્ટીઓને સંસદ ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી  

સંસદમાં થતી ચર્ચાઓ ઘણી વખત ઉગ્ર બની જતી હોય છે. જેને કારણે સત્રને ખારીજ કરી દેવામાં આવે છે, કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આની પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બધા રાજકીય પક્ષો આ સત્ર દરમિયાન ચર્ચાના સ્તરમાં વૃદ્ધિ થાય. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત એવું દિશા મળશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.