સંસદમાં શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદી મીડિયા સમક્ષ થયા રૂબરૂ


  • Published By :
  • Published Date : 2022-12-07 11:04:48

આજથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 27 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. ત્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતના આંગણે જી-20 યોજાઈ રહી છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. 

અમૃત કાળમાં અમે આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી 

પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું આજે સંસદનો પ્રથમ દિવસ છે. આ સત્ર એટલા માટે પણ જરૂરી છે કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા. 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થયું અને અમે અમૃત કાળમાં આગળ વધ્યા. 

વૈશ્વિક સ્તરે ભારતને આગળ વધારાના પ્રયત્નો કરાશે - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે વિકાસની વાત કરતા રહ્યું કે આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈઓ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન વૈશ્વિક સ્તરે દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરાશે જેને લઈ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવાશે.

રાજકીય પાર્ટીઓને સંસદ ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી  

સંસદમાં થતી ચર્ચાઓ ઘણી વખત ઉગ્ર બની જતી હોય છે. જેને કારણે સત્રને ખારીજ કરી દેવામાં આવે છે, કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આની પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બધા રાજકીય પક્ષો આ સત્ર દરમિયાન ચર્ચાના સ્તરમાં વૃદ્ધિ થાય. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત એવું દિશા મળશે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.