સંસદમાં શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદી મીડિયા સમક્ષ થયા રૂબરૂ


  • Published By :
  • Published Date : 2022-12-07 11:04:48

આજથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 27 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. ત્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતના આંગણે જી-20 યોજાઈ રહી છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. 

અમૃત કાળમાં અમે આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી 

પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું આજે સંસદનો પ્રથમ દિવસ છે. આ સત્ર એટલા માટે પણ જરૂરી છે કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા. 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થયું અને અમે અમૃત કાળમાં આગળ વધ્યા. 

વૈશ્વિક સ્તરે ભારતને આગળ વધારાના પ્રયત્નો કરાશે - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે વિકાસની વાત કરતા રહ્યું કે આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈઓ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન વૈશ્વિક સ્તરે દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરાશે જેને લઈ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવાશે.

રાજકીય પાર્ટીઓને સંસદ ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી  

સંસદમાં થતી ચર્ચાઓ ઘણી વખત ઉગ્ર બની જતી હોય છે. જેને કારણે સત્રને ખારીજ કરી દેવામાં આવે છે, કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આની પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બધા રાજકીય પક્ષો આ સત્ર દરમિયાન ચર્ચાના સ્તરમાં વૃદ્ધિ થાય. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત એવું દિશા મળશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.