વડાપ્રધાન મોદીએ જો બાઈડનને આપી વિશેષ ભેટ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી, ગણેશજીની મૂર્તિ સહિતની આપી ગિફ્ટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-22 11:01:45

અમેરિકાના પ્રવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાયું હતું અને તે બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ પીએમ મોદી માટે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર બાદ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમને વિશેષ ઉપહારો પણ આપવામાં આવ્યા હતા. જે ગિફ્ટ જો બાઈડન અને જિલ બાઈડનને આપવામાં આવી તેમાં ભારતના અનેક રાજ્યની ઝલક જોવા મળે છે. તો સામે જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે.

             

પીએમ મોદીએ આપ્યા વિશેષ ઉપહાર! 

ભારત પોતાની મહેમાનગતિને કારણે વિશ્વમાં વિખ્યાત છે. આપણે ત્યાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે આવી ઝલક અમેરિકામાં જોવા મળી હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી ભારતથી અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા માટે વિશેષ ઉપહારો લઈને ગયા હતા. 

ભેટમાં જોવા મળી વિવિધ રાજ્યોની ઝાંખી!

પીએમ મોદીએ જે ભેટો આપી છે તે વિશેષ છે. ભેટમાં 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસુરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર, ગુજરાતનું મીઠું,પંજાબનું ઘી આપવામાં આવ્યું છે. તે સિવાય બોક્સમાં ગણપતિની મૂર્તિ પણ આપી. ગણપતિજીને વિધ્નહર્તા કહેવામાં આવ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ જેમાં શ્લોક લખવામાં આવ્યો છે તે ભેટના સ્વરૂપમાં આપવામાં આવી. અમેરિકાના ફસ્ટ લેડીને પણ વિશેષ ભેટ આપી છે. 7.5 કેરેટનો ઈકો ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.


પીએમ મોદીને પણ આપવામાં આવી ભેટ! 

જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીને 20મી સદીની બુક ગૈલે, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની સંગ્રહિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલ ભેટમાં આપશે.  




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.