વડાપ્રધાન મોદીએ જો બાઈડનને આપી વિશેષ ભેટ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી, ગણેશજીની મૂર્તિ સહિતની આપી ગિફ્ટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-22 11:01:45

અમેરિકાના પ્રવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાયું હતું અને તે બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ પીએમ મોદી માટે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર બાદ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમને વિશેષ ઉપહારો પણ આપવામાં આવ્યા હતા. જે ગિફ્ટ જો બાઈડન અને જિલ બાઈડનને આપવામાં આવી તેમાં ભારતના અનેક રાજ્યની ઝલક જોવા મળે છે. તો સામે જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે.

             

પીએમ મોદીએ આપ્યા વિશેષ ઉપહાર! 

ભારત પોતાની મહેમાનગતિને કારણે વિશ્વમાં વિખ્યાત છે. આપણે ત્યાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે આવી ઝલક અમેરિકામાં જોવા મળી હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી ભારતથી અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા માટે વિશેષ ઉપહારો લઈને ગયા હતા. 

ભેટમાં જોવા મળી વિવિધ રાજ્યોની ઝાંખી!

પીએમ મોદીએ જે ભેટો આપી છે તે વિશેષ છે. ભેટમાં 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસુરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર, ગુજરાતનું મીઠું,પંજાબનું ઘી આપવામાં આવ્યું છે. તે સિવાય બોક્સમાં ગણપતિની મૂર્તિ પણ આપી. ગણપતિજીને વિધ્નહર્તા કહેવામાં આવ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ જેમાં શ્લોક લખવામાં આવ્યો છે તે ભેટના સ્વરૂપમાં આપવામાં આવી. અમેરિકાના ફસ્ટ લેડીને પણ વિશેષ ભેટ આપી છે. 7.5 કેરેટનો ઈકો ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.


પીએમ મોદીને પણ આપવામાં આવી ભેટ! 

જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીને 20મી સદીની બુક ગૈલે, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની સંગ્રહિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલ ભેટમાં આપશે.  




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?