વડાપ્રધાન મોદીએ જો બાઈડનને આપી વિશેષ ભેટ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી, ગણેશજીની મૂર્તિ સહિતની આપી ગિફ્ટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-22 11:01:45

અમેરિકાના પ્રવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાયું હતું અને તે બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ પીએમ મોદી માટે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર બાદ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમને વિશેષ ઉપહારો પણ આપવામાં આવ્યા હતા. જે ગિફ્ટ જો બાઈડન અને જિલ બાઈડનને આપવામાં આવી તેમાં ભારતના અનેક રાજ્યની ઝલક જોવા મળે છે. તો સામે જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે.

             

પીએમ મોદીએ આપ્યા વિશેષ ઉપહાર! 

ભારત પોતાની મહેમાનગતિને કારણે વિશ્વમાં વિખ્યાત છે. આપણે ત્યાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે આવી ઝલક અમેરિકામાં જોવા મળી હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી ભારતથી અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા માટે વિશેષ ઉપહારો લઈને ગયા હતા. 

ભેટમાં જોવા મળી વિવિધ રાજ્યોની ઝાંખી!

પીએમ મોદીએ જે ભેટો આપી છે તે વિશેષ છે. ભેટમાં 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસુરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર, ગુજરાતનું મીઠું,પંજાબનું ઘી આપવામાં આવ્યું છે. તે સિવાય બોક્સમાં ગણપતિની મૂર્તિ પણ આપી. ગણપતિજીને વિધ્નહર્તા કહેવામાં આવ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ જેમાં શ્લોક લખવામાં આવ્યો છે તે ભેટના સ્વરૂપમાં આપવામાં આવી. અમેરિકાના ફસ્ટ લેડીને પણ વિશેષ ભેટ આપી છે. 7.5 કેરેટનો ઈકો ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.


પીએમ મોદીને પણ આપવામાં આવી ભેટ! 

જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીને 20મી સદીની બુક ગૈલે, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની સંગ્રહિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલ ભેટમાં આપશે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.