વડાપ્રધાન મોદીએ જો બાઈડનને આપી વિશેષ ભેટ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી, ગણેશજીની મૂર્તિ સહિતની આપી ગિફ્ટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-22 11:01:45

અમેરિકાના પ્રવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાયું હતું અને તે બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ પીએમ મોદી માટે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર બાદ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમને વિશેષ ઉપહારો પણ આપવામાં આવ્યા હતા. જે ગિફ્ટ જો બાઈડન અને જિલ બાઈડનને આપવામાં આવી તેમાં ભારતના અનેક રાજ્યની ઝલક જોવા મળે છે. તો સામે જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે.

             

પીએમ મોદીએ આપ્યા વિશેષ ઉપહાર! 

ભારત પોતાની મહેમાનગતિને કારણે વિશ્વમાં વિખ્યાત છે. આપણે ત્યાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે આવી ઝલક અમેરિકામાં જોવા મળી હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી ભારતથી અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા માટે વિશેષ ઉપહારો લઈને ગયા હતા. 

ભેટમાં જોવા મળી વિવિધ રાજ્યોની ઝાંખી!

પીએમ મોદીએ જે ભેટો આપી છે તે વિશેષ છે. ભેટમાં 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસુરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર, ગુજરાતનું મીઠું,પંજાબનું ઘી આપવામાં આવ્યું છે. તે સિવાય બોક્સમાં ગણપતિની મૂર્તિ પણ આપી. ગણપતિજીને વિધ્નહર્તા કહેવામાં આવ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ જેમાં શ્લોક લખવામાં આવ્યો છે તે ભેટના સ્વરૂપમાં આપવામાં આવી. અમેરિકાના ફસ્ટ લેડીને પણ વિશેષ ભેટ આપી છે. 7.5 કેરેટનો ઈકો ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.


પીએમ મોદીને પણ આપવામાં આવી ભેટ! 

જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીને 20મી સદીની બુક ગૈલે, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની સંગ્રહિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલ ભેટમાં આપશે.  




પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.