વડાપ્રધાન મોદીના એક મજાક પર ગરમાઈ રાજનીતિ! જાણો શું બોલ્યા હતા પીએમ મોદી જેને લઈ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-27 14:32:49

આપઘાત કરવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ત્યારે આત્મહત્યા અંગે વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસ દ્વારા તેની ટીકા કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીનો એ વીડિયો શેર કર્યો છે.

  

વડાપ્રધાન મોદીએ કહી આ વાત!  

વડાપ્રધાન મોદી કોન્ક્લેવમાં બોલ્યા હતા કે, એક જોક સાંભળ્યો કે કેવી રીતે એક પ્રોફેસરે તેમની પુત્રી દ્વારા લખેલી સુસાઈડ નોટ વાંચીને ટિપ્પણી કરી કે આટલા વર્ષોના પ્રયત્નો છતાં તેણે સ્પેલિંગ મિસ્ટેક કરી હતી. અને આ કહ્યા પછી વડાપ્રધાન મોદી તેમજ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા આ વાતને લઈ ટિપ્પણી કરવામાં આવી રહી છે.             

પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન અને તેમની મજાક પર દિલથી હસનારાઓએ આ અસંવેદનશીલ, રોગિષ્ઠ રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની મજાક ઉડાવવાને બદલે પોતાનો વધુ સારી રીતે શિક્ષિત કરવા જોઈએ. આ સાથે જ તેમણે આંકડાઓ પણ દર્શાવ્યા હતા. જે મુજબ વર્ષ 2021માં 164033 ભારતીયોએ સ્યુસાઈડ કર્યું છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં મોટી સંખ્યામાં 30થી નાની ઉંમરના લોકો છે. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું કે હજારો પરિવાર આત્મહત્યાને કારણે પોતાના છોકરાઓને ખોઈ રહ્યા છે. પીએમ મોદીએ એમની મજાક નહોતી કરવી જોઈતી. 


આત્મહત્યા બન્યો એક ગંભીર મુદ્દો!

ઉલ્લેખનિય છે કે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દો ગંભીર બની રહ્યો છે. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે દેશનું ભાવિ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.