વડાપ્રધાન મોદીના એક મજાક પર ગરમાઈ રાજનીતિ! જાણો શું બોલ્યા હતા પીએમ મોદી જેને લઈ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-27 14:32:49

આપઘાત કરવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ત્યારે આત્મહત્યા અંગે વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસ દ્વારા તેની ટીકા કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીનો એ વીડિયો શેર કર્યો છે.

  

વડાપ્રધાન મોદીએ કહી આ વાત!  

વડાપ્રધાન મોદી કોન્ક્લેવમાં બોલ્યા હતા કે, એક જોક સાંભળ્યો કે કેવી રીતે એક પ્રોફેસરે તેમની પુત્રી દ્વારા લખેલી સુસાઈડ નોટ વાંચીને ટિપ્પણી કરી કે આટલા વર્ષોના પ્રયત્નો છતાં તેણે સ્પેલિંગ મિસ્ટેક કરી હતી. અને આ કહ્યા પછી વડાપ્રધાન મોદી તેમજ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા આ વાતને લઈ ટિપ્પણી કરવામાં આવી રહી છે.             

પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન અને તેમની મજાક પર દિલથી હસનારાઓએ આ અસંવેદનશીલ, રોગિષ્ઠ રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની મજાક ઉડાવવાને બદલે પોતાનો વધુ સારી રીતે શિક્ષિત કરવા જોઈએ. આ સાથે જ તેમણે આંકડાઓ પણ દર્શાવ્યા હતા. જે મુજબ વર્ષ 2021માં 164033 ભારતીયોએ સ્યુસાઈડ કર્યું છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં મોટી સંખ્યામાં 30થી નાની ઉંમરના લોકો છે. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું કે હજારો પરિવાર આત્મહત્યાને કારણે પોતાના છોકરાઓને ખોઈ રહ્યા છે. પીએમ મોદીએ એમની મજાક નહોતી કરવી જોઈતી. 


આત્મહત્યા બન્યો એક ગંભીર મુદ્દો!

ઉલ્લેખનિય છે કે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દો ગંભીર બની રહ્યો છે. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે દેશનું ભાવિ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.