રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન મોદી લોકસભામાં આપશે જવાબ, સંસદમાં આજે પણ થઈ શકે છે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-08 10:42:02

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો આઠમો દિવસ છે. ત્યારે સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત પણ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને પણ ટિપ્પણી કરી હતી. આ બધા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના છે. જેને લઈ સંસદમાં ફરી એક વખત હોબાળો થવાની સંભાવના દેખાઈ રહી છે.

 


રાષ્ટ્રપતિના અભિભાષણને લઈ સંસદમાં થયો હતો હોબાળો 

બજેટના પ્રથમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તે પહેલા બંને ગૃહોના સાંસદોને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યા હતા. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જોરદાર હંગામો થયો હતો. તે સિવાય સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

राहुल ने लोकसभा में एक तस्वीर दिखाई। इसमें गौतम अडाणी और नरेंद्र मोदी नजर आ रहे हैं।


અદાણી મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમને ઘેરવાનો પ્રયાસ 

લોકસભામાં રાહુલ ગાંધીએ હિંડનબર્ગ રિપોર્ટ પર સરકાર અને વડાપ્રધાન મોદીને અનેક પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2014માં ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં 609 નંબરના ક્રમે હતા. પરંતુ થોડા જ વર્ષોની અંદર તેઓ અમીરોની લિસ્ટમાં બીજા ક્રમે આવી ગયા. તે સિવાય રાહુલે ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ બતાવ્યો હતો અને 7 સવાલો પણ પૂછ્યા હતા. 

Image

ભાજપના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

રાહુલના આ નિવેદન પર ભાજપના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે એક મેજિક મારા સંસદીય ક્ષેત્રમાં પણ થયું છે. અમેઠીમાં 40 એકડ જમીનનું મેજિક થયું. 40 એકર જમીનનું ભાડું માત્ર 623 રુપિયા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. તે સિવાય ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા બધા કૌભાંડમાં સામેલ છે જેણે ભારતની ઈમેજને બગાડી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.