રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન મોદી લોકસભામાં આપશે જવાબ, સંસદમાં આજે પણ થઈ શકે છે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-08 10:42:02

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો આઠમો દિવસ છે. ત્યારે સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત પણ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને પણ ટિપ્પણી કરી હતી. આ બધા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના છે. જેને લઈ સંસદમાં ફરી એક વખત હોબાળો થવાની સંભાવના દેખાઈ રહી છે.

 


રાષ્ટ્રપતિના અભિભાષણને લઈ સંસદમાં થયો હતો હોબાળો 

બજેટના પ્રથમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તે પહેલા બંને ગૃહોના સાંસદોને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યા હતા. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જોરદાર હંગામો થયો હતો. તે સિવાય સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

राहुल ने लोकसभा में एक तस्वीर दिखाई। इसमें गौतम अडाणी और नरेंद्र मोदी नजर आ रहे हैं।


અદાણી મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમને ઘેરવાનો પ્રયાસ 

લોકસભામાં રાહુલ ગાંધીએ હિંડનબર્ગ રિપોર્ટ પર સરકાર અને વડાપ્રધાન મોદીને અનેક પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2014માં ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં 609 નંબરના ક્રમે હતા. પરંતુ થોડા જ વર્ષોની અંદર તેઓ અમીરોની લિસ્ટમાં બીજા ક્રમે આવી ગયા. તે સિવાય રાહુલે ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ બતાવ્યો હતો અને 7 સવાલો પણ પૂછ્યા હતા. 

Image

ભાજપના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

રાહુલના આ નિવેદન પર ભાજપના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે એક મેજિક મારા સંસદીય ક્ષેત્રમાં પણ થયું છે. અમેઠીમાં 40 એકડ જમીનનું મેજિક થયું. 40 એકર જમીનનું ભાડું માત્ર 623 રુપિયા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. તે સિવાય ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા બધા કૌભાંડમાં સામેલ છે જેણે ભારતની ઈમેજને બગાડી છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.