વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની કરાઈ શરૂઆત, ફાઈટર પ્લેને ખેચ્યું બધાનું ધ્યાન


  • Published By :
  • Published Date : 2023-02-13 17:43:43

બેંગ્લુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ધાટન કર્યું હતું. એરો ઈન્ડિયાના 14માં એડિશનની શરૂઆત કરવા બેંગ્લોર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ શો પાંચ દિવસ સુધી ચાલવાનો છે. બેંગ્લુરુના આસમાનમાં ભારતીય વાયુસેનાના વિમાન પોતાની તાકાત બતાવતા હતા. સૌ કોઈની નજર એચએએલના વિમાન પર હતી. વિમાનના પાછળના ભાગમાં હનુમાનજીનો ફોટો દોરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રક્ષા એક એવું ક્ષેત્ર છે જેમાં તકનીકી, માર્કેટ અને સતર્કતાને સૌથી અધરૂ માનવામાં આવે છે. આ કાર્યક્રમ 13 ફ્રેબુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

   

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી અનેક વાત  

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાલનું ભારત એક ફાઈટર પ્લેનની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઉંચાઓથી ડર નથી લાગતો. પહેલા આ માત્ર એર શો હતો, પરંતુ હવે આ ભારતની તાકાત બની સામે આવી રહ્યું છે. કોરોના કાલ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં સરકારનો સ્પષ્ટ ઈરાદો છે. વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મંજૂરીનો માહોલ સર્જાયો છે. તેથી જ દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં સર્જાયેલા આ સહાયક વાતાવરણનો લાભ લેવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે આ એર શો એક કારણે ખાસ છે કે એ કર્ણાટક જેવી ટેક્નોલોજીની દુનિયામાં સ્થાન મેળવનારા રાજ્યમાં યોજાયો હતો. 

એર શો દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમે હાર્ટ શેપ બનાવ્યો હતો.

રક્ષામંત્રી પણ રહ્યા હતા ઉપસ્થિત 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની ભૂમિ ધર્મ, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, બહાદુરી અને વિજ્ઞાનની ભૂમિ રહી છે. રાજ્ય ઔદ્યોગિકીકરણમાં અગ્રેસર રહ્યું છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપનારાઓમાનું એક છે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.