વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની કરાઈ શરૂઆત, ફાઈટર પ્લેને ખેચ્યું બધાનું ધ્યાન


  • Published By :
  • Published Date : 2023-02-13 17:43:43

બેંગ્લુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ધાટન કર્યું હતું. એરો ઈન્ડિયાના 14માં એડિશનની શરૂઆત કરવા બેંગ્લોર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ શો પાંચ દિવસ સુધી ચાલવાનો છે. બેંગ્લુરુના આસમાનમાં ભારતીય વાયુસેનાના વિમાન પોતાની તાકાત બતાવતા હતા. સૌ કોઈની નજર એચએએલના વિમાન પર હતી. વિમાનના પાછળના ભાગમાં હનુમાનજીનો ફોટો દોરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રક્ષા એક એવું ક્ષેત્ર છે જેમાં તકનીકી, માર્કેટ અને સતર્કતાને સૌથી અધરૂ માનવામાં આવે છે. આ કાર્યક્રમ 13 ફ્રેબુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

   

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી અનેક વાત  

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાલનું ભારત એક ફાઈટર પ્લેનની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઉંચાઓથી ડર નથી લાગતો. પહેલા આ માત્ર એર શો હતો, પરંતુ હવે આ ભારતની તાકાત બની સામે આવી રહ્યું છે. કોરોના કાલ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં સરકારનો સ્પષ્ટ ઈરાદો છે. વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મંજૂરીનો માહોલ સર્જાયો છે. તેથી જ દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં સર્જાયેલા આ સહાયક વાતાવરણનો લાભ લેવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે આ એર શો એક કારણે ખાસ છે કે એ કર્ણાટક જેવી ટેક્નોલોજીની દુનિયામાં સ્થાન મેળવનારા રાજ્યમાં યોજાયો હતો. 

એર શો દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમે હાર્ટ શેપ બનાવ્યો હતો.

રક્ષામંત્રી પણ રહ્યા હતા ઉપસ્થિત 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની ભૂમિ ધર્મ, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, બહાદુરી અને વિજ્ઞાનની ભૂમિ રહી છે. રાજ્ય ઔદ્યોગિકીકરણમાં અગ્રેસર રહ્યું છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપનારાઓમાનું એક છે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.