વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની કરાઈ શરૂઆત, ફાઈટર પ્લેને ખેચ્યું બધાનું ધ્યાન


  • Published By :
  • Published Date : 2023-02-13 17:43:43

બેંગ્લુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ધાટન કર્યું હતું. એરો ઈન્ડિયાના 14માં એડિશનની શરૂઆત કરવા બેંગ્લોર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ શો પાંચ દિવસ સુધી ચાલવાનો છે. બેંગ્લુરુના આસમાનમાં ભારતીય વાયુસેનાના વિમાન પોતાની તાકાત બતાવતા હતા. સૌ કોઈની નજર એચએએલના વિમાન પર હતી. વિમાનના પાછળના ભાગમાં હનુમાનજીનો ફોટો દોરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રક્ષા એક એવું ક્ષેત્ર છે જેમાં તકનીકી, માર્કેટ અને સતર્કતાને સૌથી અધરૂ માનવામાં આવે છે. આ કાર્યક્રમ 13 ફ્રેબુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

   

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી અનેક વાત  

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાલનું ભારત એક ફાઈટર પ્લેનની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઉંચાઓથી ડર નથી લાગતો. પહેલા આ માત્ર એર શો હતો, પરંતુ હવે આ ભારતની તાકાત બની સામે આવી રહ્યું છે. કોરોના કાલ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં સરકારનો સ્પષ્ટ ઈરાદો છે. વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મંજૂરીનો માહોલ સર્જાયો છે. તેથી જ દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં સર્જાયેલા આ સહાયક વાતાવરણનો લાભ લેવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે આ એર શો એક કારણે ખાસ છે કે એ કર્ણાટક જેવી ટેક્નોલોજીની દુનિયામાં સ્થાન મેળવનારા રાજ્યમાં યોજાયો હતો. 

એર શો દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમે હાર્ટ શેપ બનાવ્યો હતો.

રક્ષામંત્રી પણ રહ્યા હતા ઉપસ્થિત 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની ભૂમિ ધર્મ, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, બહાદુરી અને વિજ્ઞાનની ભૂમિ રહી છે. રાજ્ય ઔદ્યોગિકીકરણમાં અગ્રેસર રહ્યું છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપનારાઓમાનું એક છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.