વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે! કર્ણાટકમાં મતદાનના દિવસે પીએમે કર્યા નાથદ્વારામાં દર્શન! અનેક પ્રોજેક્ટનું પીએમ કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ!


  • Published By :
  • Published Date : 2023-05-10 13:22:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉપરાંત લોકાર્પણ કરવાના છે. તે સિવાય રોડ શો કરવાના છે ઉપરાંત જન સંબોધન પણ કરવાના છે. રાજસ્થાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાજસમંદ જિલ્લામાં આવેલા શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરવા ગયેલા પીએમ મોદીનું સ્વાગત મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદયપુરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી શ્રીનાથજી પહોંચ્યા હતા.

 

શ્રીનાથજીના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી! 

રાજસ્થાનમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત વસુંધરા રાજેને લઈ પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે હતા તો આજે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદી માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે ઉપરાંત સિરોહીમાં પાંચ હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે સિવાય રોડ શો પણ કરવાના છે અને સભાને પણ સંબોધિત કરવાના છે. 

મંદિરમાં પીએમનું કરાયું સ્વાગત!

વડાપ્રધાન મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત કરી હતી. મંદિરમાં પૂજા વિધી કરી હતી. મંદિરની અંદર બેસી પૂજારી સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનાથજીના દ્વારે પહોંચ્યા છે. મંદિરની બહાર સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર લોકો ફૂલો વરસાવી રહ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.