વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે! કર્ણાટકમાં મતદાનના દિવસે પીએમે કર્યા નાથદ્વારામાં દર્શન! અનેક પ્રોજેક્ટનું પીએમ કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ!


  • Published By :
  • Published Date : 2023-05-10 13:22:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉપરાંત લોકાર્પણ કરવાના છે. તે સિવાય રોડ શો કરવાના છે ઉપરાંત જન સંબોધન પણ કરવાના છે. રાજસ્થાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાજસમંદ જિલ્લામાં આવેલા શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરવા ગયેલા પીએમ મોદીનું સ્વાગત મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદયપુરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી શ્રીનાથજી પહોંચ્યા હતા.

 

શ્રીનાથજીના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી! 

રાજસ્થાનમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત વસુંધરા રાજેને લઈ પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે હતા તો આજે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદી માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે ઉપરાંત સિરોહીમાં પાંચ હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે સિવાય રોડ શો પણ કરવાના છે અને સભાને પણ સંબોધિત કરવાના છે. 

મંદિરમાં પીએમનું કરાયું સ્વાગત!

વડાપ્રધાન મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત કરી હતી. મંદિરમાં પૂજા વિધી કરી હતી. મંદિરની અંદર બેસી પૂજારી સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનાથજીના દ્વારે પહોંચ્યા છે. મંદિરની બહાર સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર લોકો ફૂલો વરસાવી રહ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.