વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે! કર્ણાટકમાં મતદાનના દિવસે પીએમે કર્યા નાથદ્વારામાં દર્શન! અનેક પ્રોજેક્ટનું પીએમ કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ!


  • Published By :
  • Published Date : 2023-05-10 13:22:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉપરાંત લોકાર્પણ કરવાના છે. તે સિવાય રોડ શો કરવાના છે ઉપરાંત જન સંબોધન પણ કરવાના છે. રાજસ્થાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાજસમંદ જિલ્લામાં આવેલા શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરવા ગયેલા પીએમ મોદીનું સ્વાગત મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદયપુરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી શ્રીનાથજી પહોંચ્યા હતા.

 

શ્રીનાથજીના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી! 

રાજસ્થાનમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત વસુંધરા રાજેને લઈ પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે હતા તો આજે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદી માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે ઉપરાંત સિરોહીમાં પાંચ હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે સિવાય રોડ શો પણ કરવાના છે અને સભાને પણ સંબોધિત કરવાના છે. 

મંદિરમાં પીએમનું કરાયું સ્વાગત!

વડાપ્રધાન મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત કરી હતી. મંદિરમાં પૂજા વિધી કરી હતી. મંદિરની અંદર બેસી પૂજારી સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનાથજીના દ્વારે પહોંચ્યા છે. મંદિરની બહાર સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર લોકો ફૂલો વરસાવી રહ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.