વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે! કર્ણાટકમાં મતદાનના દિવસે પીએમે કર્યા નાથદ્વારામાં દર્શન! અનેક પ્રોજેક્ટનું પીએમ કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ!


  • Published By :
  • Published Date : 2023-05-10 13:22:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉપરાંત લોકાર્પણ કરવાના છે. તે સિવાય રોડ શો કરવાના છે ઉપરાંત જન સંબોધન પણ કરવાના છે. રાજસ્થાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાજસમંદ જિલ્લામાં આવેલા શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરવા ગયેલા પીએમ મોદીનું સ્વાગત મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદયપુરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી શ્રીનાથજી પહોંચ્યા હતા.

 

શ્રીનાથજીના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી! 

રાજસ્થાનમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત વસુંધરા રાજેને લઈ પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે હતા તો આજે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદી માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે ઉપરાંત સિરોહીમાં પાંચ હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે સિવાય રોડ શો પણ કરવાના છે અને સભાને પણ સંબોધિત કરવાના છે. 

મંદિરમાં પીએમનું કરાયું સ્વાગત!

વડાપ્રધાન મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત કરી હતી. મંદિરમાં પૂજા વિધી કરી હતી. મંદિરની અંદર બેસી પૂજારી સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનાથજીના દ્વારે પહોંચ્યા છે. મંદિરની બહાર સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર લોકો ફૂલો વરસાવી રહ્યા હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.