વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના પ્રવાસે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભાજપના કાર્યકરોને કર્યા સંબોધિત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-27 13:34:51

દેશને અનેક વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે. ત્યારે આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળી છે. ભોપાલથી વર્ચુઅલી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. કમલાપતિ રેલવે સ્ટેશનથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પહેલા પીએમ મોદીએ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તે બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી ટ્રેનોને દેશને સમર્પિત કરી છે.

 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત  

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીને લઈ પ્રચાર પણ પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો આરંભ પીએમ મોદીએ ભોપાલથી કર્યો છે. એક સાથે પીએમ મોદીએ પાંચ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભોપાલના નહેરૂ સ્ટેડિયમમાં મારૂ બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ લાખો કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અંદાજીત 64100 બૂથના કાર્યકરોને ડિજિટલી પીએમ મોદીએ સંબોધ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી હતી. 


ભાજપના કાર્યકરોનો પીએમ મોદીએ વધાર્યો ઉત્સાહ

ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત પાર્ટીના કાર્યકરો છે. તેમણે કહ્યું કે તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને આ માહિતી મળતી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌપ્રથમ મળવું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છો. તે સિવાય વિપક્ષ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. 


શિવરાજસિંહ ચૌહાણે પણ લોકોને કર્યા સંબોધિત 

આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે  'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ મોદી મંત્રનો જાપ કરી રહ્યો છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.