વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના પ્રવાસે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભાજપના કાર્યકરોને કર્યા સંબોધિત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-27 13:34:51

દેશને અનેક વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે. ત્યારે આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળી છે. ભોપાલથી વર્ચુઅલી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. કમલાપતિ રેલવે સ્ટેશનથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પહેલા પીએમ મોદીએ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તે બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી ટ્રેનોને દેશને સમર્પિત કરી છે.

 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત  

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીને લઈ પ્રચાર પણ પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો આરંભ પીએમ મોદીએ ભોપાલથી કર્યો છે. એક સાથે પીએમ મોદીએ પાંચ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભોપાલના નહેરૂ સ્ટેડિયમમાં મારૂ બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ લાખો કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અંદાજીત 64100 બૂથના કાર્યકરોને ડિજિટલી પીએમ મોદીએ સંબોધ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી હતી. 


ભાજપના કાર્યકરોનો પીએમ મોદીએ વધાર્યો ઉત્સાહ

ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત પાર્ટીના કાર્યકરો છે. તેમણે કહ્યું કે તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને આ માહિતી મળતી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌપ્રથમ મળવું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છો. તે સિવાય વિપક્ષ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. 


શિવરાજસિંહ ચૌહાણે પણ લોકોને કર્યા સંબોધિત 

આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે  'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ મોદી મંત્રનો જાપ કરી રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.