વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના પ્રવાસે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભાજપના કાર્યકરોને કર્યા સંબોધિત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-27 13:34:51

દેશને અનેક વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે. ત્યારે આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળી છે. ભોપાલથી વર્ચુઅલી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. કમલાપતિ રેલવે સ્ટેશનથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પહેલા પીએમ મોદીએ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તે બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી ટ્રેનોને દેશને સમર્પિત કરી છે.

 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત  

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીને લઈ પ્રચાર પણ પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો આરંભ પીએમ મોદીએ ભોપાલથી કર્યો છે. એક સાથે પીએમ મોદીએ પાંચ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભોપાલના નહેરૂ સ્ટેડિયમમાં મારૂ બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ લાખો કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અંદાજીત 64100 બૂથના કાર્યકરોને ડિજિટલી પીએમ મોદીએ સંબોધ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી હતી. 


ભાજપના કાર્યકરોનો પીએમ મોદીએ વધાર્યો ઉત્સાહ

ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત પાર્ટીના કાર્યકરો છે. તેમણે કહ્યું કે તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને આ માહિતી મળતી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌપ્રથમ મળવું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છો. તે સિવાય વિપક્ષ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. 


શિવરાજસિંહ ચૌહાણે પણ લોકોને કર્યા સંબોધિત 

આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે  'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ મોદી મંત્રનો જાપ કરી રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.