પ્રધાનમંત્રીની ચિંતન શિબિર આ કારણથી છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-10-26 21:51:24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે સવારે સાડા દસ કલાકે વીડિયો કોન્ફરન્સથી રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ચિંતન શીબીર સંબોધશે. ચિંતન શીબીર 27 અને 28 ઓક્ટોબરના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે યોજાશે. 


ચિંતન શિબિરમાં કોણ હાજર રહેશે?

હરિયાણાના સુરજકુંડમાં યોજનાર ચિંતન શીબીરમાં રાજ્યોમાં ગૃહમંત્રીઓ, ગૃહ સચિવો, રાજ્યોના પોલીસ વડા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના મહાનિર્દેશકો હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે. 


શા માટે યોજવામાં આવશે ચિંતન શિબિર?

ચિંતન શીબીર દેશની આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે યોજવામાં આવે છે. ચિંતન શીબીરમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સહકારી સંઘવાદની ભાવનામાં આવેલી શીબીર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ થાય તેના માટે પણ કામ કરે છે. આ શિબિર પોલીસ દળોના આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીનો વધતો ઉપયોગ, ભૂમિ સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે