પ્રધાનમંત્રીની ચિંતન શિબિર આ કારણથી છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-10-26 21:51:24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે સવારે સાડા દસ કલાકે વીડિયો કોન્ફરન્સથી રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ચિંતન શીબીર સંબોધશે. ચિંતન શીબીર 27 અને 28 ઓક્ટોબરના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે યોજાશે. 


ચિંતન શિબિરમાં કોણ હાજર રહેશે?

હરિયાણાના સુરજકુંડમાં યોજનાર ચિંતન શીબીરમાં રાજ્યોમાં ગૃહમંત્રીઓ, ગૃહ સચિવો, રાજ્યોના પોલીસ વડા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના મહાનિર્દેશકો હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે. 


શા માટે યોજવામાં આવશે ચિંતન શિબિર?

ચિંતન શીબીર દેશની આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે યોજવામાં આવે છે. ચિંતન શીબીરમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સહકારી સંઘવાદની ભાવનામાં આવેલી શીબીર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ થાય તેના માટે પણ કામ કરે છે. આ શિબિર પોલીસ દળોના આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીનો વધતો ઉપયોગ, ભૂમિ સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.