પ્રધાનમંત્રીની ચિંતન શિબિર આ કારણથી છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-10-26 21:51:24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે સવારે સાડા દસ કલાકે વીડિયો કોન્ફરન્સથી રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ચિંતન શીબીર સંબોધશે. ચિંતન શીબીર 27 અને 28 ઓક્ટોબરના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે યોજાશે. 


ચિંતન શિબિરમાં કોણ હાજર રહેશે?

હરિયાણાના સુરજકુંડમાં યોજનાર ચિંતન શીબીરમાં રાજ્યોમાં ગૃહમંત્રીઓ, ગૃહ સચિવો, રાજ્યોના પોલીસ વડા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના મહાનિર્દેશકો હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે. 


શા માટે યોજવામાં આવશે ચિંતન શિબિર?

ચિંતન શીબીર દેશની આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે યોજવામાં આવે છે. ચિંતન શીબીરમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સહકારી સંઘવાદની ભાવનામાં આવેલી શીબીર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ થાય તેના માટે પણ કામ કરે છે. આ શિબિર પોલીસ દળોના આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીનો વધતો ઉપયોગ, ભૂમિ સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.