વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાશે વડાપ્રધાનનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:06:29

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પોતાના નિર્ણયોને કારણે વડાપ્રધાન મોદીએ દેશમાં જ નહિં પરંતુ દુનિયાભરના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમજ ગુજરાતમાં તેમના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી લઈ 2 ઓકટોબર સુધી તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવશે.  સમગ્ર ભારતમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં આજે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Blood donation camp at Raj Bhavan today

બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાવાના છે. ઉપરાંત નરેન્દ્ર મોદીના જુદા- જુદા પેઈન્ટિંગનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. દુબઈના ચિત્રકાર દ્વારા બનાવામાં આવેલા પેઈન્ટિંગ પ્રદર્શન રાખ્વામાં આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. ઉપરાંત અનેક સરકારી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ બનાવામાં આવશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.