વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાશે વડાપ્રધાનનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:06:29

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પોતાના નિર્ણયોને કારણે વડાપ્રધાન મોદીએ દેશમાં જ નહિં પરંતુ દુનિયાભરના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમજ ગુજરાતમાં તેમના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી લઈ 2 ઓકટોબર સુધી તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવશે.  સમગ્ર ભારતમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં આજે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Blood donation camp at Raj Bhavan today

બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાવાના છે. ઉપરાંત નરેન્દ્ર મોદીના જુદા- જુદા પેઈન્ટિંગનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. દુબઈના ચિત્રકાર દ્વારા બનાવામાં આવેલા પેઈન્ટિંગ પ્રદર્શન રાખ્વામાં આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. ઉપરાંત અનેક સરકારી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ બનાવામાં આવશે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.