ખાનગી એરલાઈન કંપનીઓની ઉખાડી લૂંટનો પર્દાફાશ, સંસદીય સમિતિએ સરકાર સમક્ષ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-24 18:01:43

ખાનગી એરસાઈન્સ કંપનીઓ વિવિધ પ્રકારે યાત્રિકોની લૂંટ ચલાવે છે, સાંસદોની બનેલી એક સંસદીય સમિતિએ પણ એરલાઈન્સ કંપનીઓની આ ઉઘાડી લૂંટનો સ્વીકાર કર્યો છે અને સરકારને તેમની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 


કંપનીઓ આપે છે ખોટી જાણકારી


સાંસદોની બનેલી સંસદીય સમિતિએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તેમની વેબસાઈટમાં વિમાનમાં ઉપલબ્ધ સીટો અને ટિકિટના ભાડા અંગે ખોટી જાણકારી આપી લોકોને ગેરમાર્ગે દોરે છે, અને વધુ ભાડૂં ચૂકવવા માટે મજબુર કરી રહી છે. સમિતિની રિપોર્ટ મુજબ 6 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અનુદાનની માગને લઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં સંસદીય સમિતિએ ડોમિસ્ટિક એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવેલા ઉંચા ભાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ખાનગી એરલાઈન્સ તેમની વેબસાઈટ પર ફ્લાઈટમાં બચેલી સીટોની સંખ્યા અને ટિકિટોની કિંમતો અંગે ખોટી જાણકારી પ્રકાશિત કરે છે.


ગાઈડલાઈન્સ તૈયાર કરવાની માંગ કરી 


રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી માહિતીના સ્તરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લી ટિકિટ વેચાઈ ગયા પછી પણ, વેબસાઈટ એટલી જ સીટો બતાવી રહી છે જેટલી ટિકિટના વેચાણ પહેલા જાહેર કરવામાં આવી હતી." આ દર્શાવે છે કે એરલાઇન ઓપરેટરો લોકોને ગેરમાર્ગે દોરે છે અને મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબુર કરે છે.


તેથી, સમિતિએ ભલામણ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાને તર્કસંગત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરે અને એરલાઈન્સ માટે તેમની વેબસાઈટ પર સાચી માહિતી પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.