ખાનગી એરલાઈન કંપનીઓની ઉખાડી લૂંટનો પર્દાફાશ, સંસદીય સમિતિએ સરકાર સમક્ષ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-24 18:01:43

ખાનગી એરસાઈન્સ કંપનીઓ વિવિધ પ્રકારે યાત્રિકોની લૂંટ ચલાવે છે, સાંસદોની બનેલી એક સંસદીય સમિતિએ પણ એરલાઈન્સ કંપનીઓની આ ઉઘાડી લૂંટનો સ્વીકાર કર્યો છે અને સરકારને તેમની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 


કંપનીઓ આપે છે ખોટી જાણકારી


સાંસદોની બનેલી સંસદીય સમિતિએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તેમની વેબસાઈટમાં વિમાનમાં ઉપલબ્ધ સીટો અને ટિકિટના ભાડા અંગે ખોટી જાણકારી આપી લોકોને ગેરમાર્ગે દોરે છે, અને વધુ ભાડૂં ચૂકવવા માટે મજબુર કરી રહી છે. સમિતિની રિપોર્ટ મુજબ 6 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અનુદાનની માગને લઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં સંસદીય સમિતિએ ડોમિસ્ટિક એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવેલા ઉંચા ભાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ખાનગી એરલાઈન્સ તેમની વેબસાઈટ પર ફ્લાઈટમાં બચેલી સીટોની સંખ્યા અને ટિકિટોની કિંમતો અંગે ખોટી જાણકારી પ્રકાશિત કરે છે.


ગાઈડલાઈન્સ તૈયાર કરવાની માંગ કરી 


રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી માહિતીના સ્તરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લી ટિકિટ વેચાઈ ગયા પછી પણ, વેબસાઈટ એટલી જ સીટો બતાવી રહી છે જેટલી ટિકિટના વેચાણ પહેલા જાહેર કરવામાં આવી હતી." આ દર્શાવે છે કે એરલાઇન ઓપરેટરો લોકોને ગેરમાર્ગે દોરે છે અને મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબુર કરે છે.


તેથી, સમિતિએ ભલામણ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાને તર્કસંગત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરે અને એરલાઈન્સ માટે તેમની વેબસાઈટ પર સાચી માહિતી પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.