ખાનગી એરલાઈન કંપનીઓની ઉખાડી લૂંટનો પર્દાફાશ, સંસદીય સમિતિએ સરકાર સમક્ષ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-24 18:01:43

ખાનગી એરસાઈન્સ કંપનીઓ વિવિધ પ્રકારે યાત્રિકોની લૂંટ ચલાવે છે, સાંસદોની બનેલી એક સંસદીય સમિતિએ પણ એરલાઈન્સ કંપનીઓની આ ઉઘાડી લૂંટનો સ્વીકાર કર્યો છે અને સરકારને તેમની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 


કંપનીઓ આપે છે ખોટી જાણકારી


સાંસદોની બનેલી સંસદીય સમિતિએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તેમની વેબસાઈટમાં વિમાનમાં ઉપલબ્ધ સીટો અને ટિકિટના ભાડા અંગે ખોટી જાણકારી આપી લોકોને ગેરમાર્ગે દોરે છે, અને વધુ ભાડૂં ચૂકવવા માટે મજબુર કરી રહી છે. સમિતિની રિપોર્ટ મુજબ 6 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અનુદાનની માગને લઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં સંસદીય સમિતિએ ડોમિસ્ટિક એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવેલા ઉંચા ભાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ખાનગી એરલાઈન્સ તેમની વેબસાઈટ પર ફ્લાઈટમાં બચેલી સીટોની સંખ્યા અને ટિકિટોની કિંમતો અંગે ખોટી જાણકારી પ્રકાશિત કરે છે.


ગાઈડલાઈન્સ તૈયાર કરવાની માંગ કરી 


રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી માહિતીના સ્તરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લી ટિકિટ વેચાઈ ગયા પછી પણ, વેબસાઈટ એટલી જ સીટો બતાવી રહી છે જેટલી ટિકિટના વેચાણ પહેલા જાહેર કરવામાં આવી હતી." આ દર્શાવે છે કે એરલાઇન ઓપરેટરો લોકોને ગેરમાર્ગે દોરે છે અને મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબુર કરે છે.


તેથી, સમિતિએ ભલામણ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાને તર્કસંગત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરે અને એરલાઈન્સ માટે તેમની વેબસાઈટ પર સાચી માહિતી પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.