જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પહેલવાનો WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કરી રહ્યા છે ધરણા!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:14:18

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધણા સમયથી ધરણ કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી તેમની માગ હતી. પોલીસે કેસ દાખલ ન કરતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત ધરણા કરી રહેલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ધરણા સ્થળ પર અડધો કલાક જેટલો સમય વીતાવ્યો હતો.

  


FIR થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી પ્રતિક્રિયા! 

કુસ્તીબાજો દ્વારા છેલ્લા સાત દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. WFIના અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં ન આવતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ વિરૂદ્ધ બે કેસ નોંધ્યા છે. શુક્રવાર મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરૂદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધરણાં પર બેઠેલા રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા જંતર મંતર પહોંચ્યા હતા. ધરણા સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વાતચીત કરી હતી.  


કુસ્તીબાજોએ લગાવ્યો ગંભીર આરોપ!

રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ હેરાન કરી રહી છે. રાત્રે ભોજન કરતી વખતે વીજળી કાપી નાખી હતી. ત્યાં ઉભેલા પાણીના ટેન્કરો પણ લઈ લેવામાં  આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર શૌચાલયને પણ અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. કુસ્તીબાજનો આરોપ છે કે જ્યારે બજરંગે આ અંગે એસીપીને કોલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે જે કરવું હોય કરી લો, હવે તો આવું જ થશે. સાથે જ કહ્યું કે કેસ નોંધાઈ ગયો છે, હવે વિરોધ પૂરો કરો. પોલીસે ધરણાસ્થળની ચારેય બાજુથી બેરિકેટ્સ લગાવીને ખેલાડીઓને નજરકેદ કર્યા છે.   

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.