જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પહેલવાનો WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કરી રહ્યા છે ધરણા!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:14:18

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધણા સમયથી ધરણ કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી તેમની માગ હતી. પોલીસે કેસ દાખલ ન કરતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત ધરણા કરી રહેલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ધરણા સ્થળ પર અડધો કલાક જેટલો સમય વીતાવ્યો હતો.

  


FIR થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી પ્રતિક્રિયા! 

કુસ્તીબાજો દ્વારા છેલ્લા સાત દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. WFIના અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં ન આવતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ વિરૂદ્ધ બે કેસ નોંધ્યા છે. શુક્રવાર મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરૂદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધરણાં પર બેઠેલા રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા જંતર મંતર પહોંચ્યા હતા. ધરણા સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વાતચીત કરી હતી.  


કુસ્તીબાજોએ લગાવ્યો ગંભીર આરોપ!

રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ હેરાન કરી રહી છે. રાત્રે ભોજન કરતી વખતે વીજળી કાપી નાખી હતી. ત્યાં ઉભેલા પાણીના ટેન્કરો પણ લઈ લેવામાં  આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર શૌચાલયને પણ અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. કુસ્તીબાજનો આરોપ છે કે જ્યારે બજરંગે આ અંગે એસીપીને કોલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે જે કરવું હોય કરી લો, હવે તો આવું જ થશે. સાથે જ કહ્યું કે કેસ નોંધાઈ ગયો છે, હવે વિરોધ પૂરો કરો. પોલીસે ધરણાસ્થળની ચારેય બાજુથી બેરિકેટ્સ લગાવીને ખેલાડીઓને નજરકેદ કર્યા છે.   

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.