'આ દેશના PM કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો', પ્રીયંકાના મોદી સરકાર પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-03-26 12:58:54

દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે સંસદમાં મારા શહીદ પિતાનું અપમાન થાય છે ત્યાં શહીદ વડાપ્રધાનના પુત્રને મીર જાફર કહેવામાં આવે છે. મારા આખા પરિવારનું અપમાન થાય છે, સમગ્ર કાશ્મીરી સમાજના રિવાજોનું અપમાન થાય છે, પરંતુ આ પછી પણ તેમની સામે કોઈ કેસ નથી થતો. એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનો મૃતદેહ આ ત્રિરંગામાં લપેટાયેલો હતો. તેની પાછળ ચાલતો-ચાલતો મારો ભાઈ અહીં સુધી આવ્યો હતો. 


સંસદમાં પરિવારનું અપમાન


તેમણે સંસદમાં નહેરૂ-ગાંધી પર થતા અપમાન અંગે પણ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું સંસદમાં શહીદના પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી કહો છો અને મીર જાફર કહો છો. તેની માતાનું અપમાન કરો છો. તમારા (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો, એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે?


32 વર્ષ જૂની ઘટના યાદ કરી


પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને 32 વર્ષ જૂની ઘટના યાદ આવી, મે 1991ની વાત. મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે કારમાં બેઠી હતી, સામે ભારતીય સેનાની એક ટ્રક હતી. જેમાં ફૂલોથી લદાયેલી તે ટ્રક હતી, તેના પર મારા પિતાની લાશ હતી. કાફલો થોડીવાર ચાલ્યો, પછી રાહુલ કહેવા લાગ્યો કે મારે નીચે ઉતરવું છે. માતાએ ના પાડી. રાહુલે આગ્રહ કર્યો, મેં કહ્યું તેને નીચે ઉતરવા દો. રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. ધોમધખતા તડકામાં ત્રણ મૂર્તિથી લઈને પિતાની અંતિમયાત્રાની પાછળ ચાલીને અહીં પહોંચ્યો. આ સ્થળથી 400-500 મીટર દૂર... મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.


PM પર કર્યા જોરદાર પ્રહાર


પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'આ દેશના વડાપ્રધાન કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખો... હું ડરતી નથી. પરંતુ સત્ય એ છે કે દેશના વડાપ્રધાન કાયર છે. પોતાની સત્તાની તાકાત પાછળ છુપાયેલો છે. તે ઘમંડી છે અને આ દેશની બહુ જૂની પરંપરા છે, હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે અહંકારી રાજાને જનતા જવાબ આપે છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.