'આ દેશના PM કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો', પ્રીયંકાના મોદી સરકાર પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-03-26 12:58:54

દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે સંસદમાં મારા શહીદ પિતાનું અપમાન થાય છે ત્યાં શહીદ વડાપ્રધાનના પુત્રને મીર જાફર કહેવામાં આવે છે. મારા આખા પરિવારનું અપમાન થાય છે, સમગ્ર કાશ્મીરી સમાજના રિવાજોનું અપમાન થાય છે, પરંતુ આ પછી પણ તેમની સામે કોઈ કેસ નથી થતો. એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનો મૃતદેહ આ ત્રિરંગામાં લપેટાયેલો હતો. તેની પાછળ ચાલતો-ચાલતો મારો ભાઈ અહીં સુધી આવ્યો હતો. 


સંસદમાં પરિવારનું અપમાન


તેમણે સંસદમાં નહેરૂ-ગાંધી પર થતા અપમાન અંગે પણ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું સંસદમાં શહીદના પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી કહો છો અને મીર જાફર કહો છો. તેની માતાનું અપમાન કરો છો. તમારા (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો, એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે?


32 વર્ષ જૂની ઘટના યાદ કરી


પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને 32 વર્ષ જૂની ઘટના યાદ આવી, મે 1991ની વાત. મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે કારમાં બેઠી હતી, સામે ભારતીય સેનાની એક ટ્રક હતી. જેમાં ફૂલોથી લદાયેલી તે ટ્રક હતી, તેના પર મારા પિતાની લાશ હતી. કાફલો થોડીવાર ચાલ્યો, પછી રાહુલ કહેવા લાગ્યો કે મારે નીચે ઉતરવું છે. માતાએ ના પાડી. રાહુલે આગ્રહ કર્યો, મેં કહ્યું તેને નીચે ઉતરવા દો. રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. ધોમધખતા તડકામાં ત્રણ મૂર્તિથી લઈને પિતાની અંતિમયાત્રાની પાછળ ચાલીને અહીં પહોંચ્યો. આ સ્થળથી 400-500 મીટર દૂર... મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.


PM પર કર્યા જોરદાર પ્રહાર


પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'આ દેશના વડાપ્રધાન કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખો... હું ડરતી નથી. પરંતુ સત્ય એ છે કે દેશના વડાપ્રધાન કાયર છે. પોતાની સત્તાની તાકાત પાછળ છુપાયેલો છે. તે ઘમંડી છે અને આ દેશની બહુ જૂની પરંપરા છે, હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે અહંકારી રાજાને જનતા જવાબ આપે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.