'આ દેશના PM કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો', પ્રીયંકાના મોદી સરકાર પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-03-26 12:58:54

દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે સંસદમાં મારા શહીદ પિતાનું અપમાન થાય છે ત્યાં શહીદ વડાપ્રધાનના પુત્રને મીર જાફર કહેવામાં આવે છે. મારા આખા પરિવારનું અપમાન થાય છે, સમગ્ર કાશ્મીરી સમાજના રિવાજોનું અપમાન થાય છે, પરંતુ આ પછી પણ તેમની સામે કોઈ કેસ નથી થતો. એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનો મૃતદેહ આ ત્રિરંગામાં લપેટાયેલો હતો. તેની પાછળ ચાલતો-ચાલતો મારો ભાઈ અહીં સુધી આવ્યો હતો. 


સંસદમાં પરિવારનું અપમાન


તેમણે સંસદમાં નહેરૂ-ગાંધી પર થતા અપમાન અંગે પણ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું સંસદમાં શહીદના પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી કહો છો અને મીર જાફર કહો છો. તેની માતાનું અપમાન કરો છો. તમારા (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો, એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે?


32 વર્ષ જૂની ઘટના યાદ કરી


પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને 32 વર્ષ જૂની ઘટના યાદ આવી, મે 1991ની વાત. મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે કારમાં બેઠી હતી, સામે ભારતીય સેનાની એક ટ્રક હતી. જેમાં ફૂલોથી લદાયેલી તે ટ્રક હતી, તેના પર મારા પિતાની લાશ હતી. કાફલો થોડીવાર ચાલ્યો, પછી રાહુલ કહેવા લાગ્યો કે મારે નીચે ઉતરવું છે. માતાએ ના પાડી. રાહુલે આગ્રહ કર્યો, મેં કહ્યું તેને નીચે ઉતરવા દો. રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. ધોમધખતા તડકામાં ત્રણ મૂર્તિથી લઈને પિતાની અંતિમયાત્રાની પાછળ ચાલીને અહીં પહોંચ્યો. આ સ્થળથી 400-500 મીટર દૂર... મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.


PM પર કર્યા જોરદાર પ્રહાર


પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'આ દેશના વડાપ્રધાન કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખો... હું ડરતી નથી. પરંતુ સત્ય એ છે કે દેશના વડાપ્રધાન કાયર છે. પોતાની સત્તાની તાકાત પાછળ છુપાયેલો છે. તે ઘમંડી છે અને આ દેશની બહુ જૂની પરંપરા છે, હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે અહંકારી રાજાને જનતા જવાબ આપે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.