પ્રિયંકા ગાંધીની લોકસભા ઉમેદવારી અંગે કોંગ્રેસે લીધો આ મોટો નિર્ણય, સોનિયા ગાંધીના ચૂંટણી લડવા મુદ્દે પાર્ટીમાં અસમંજસ


  • Published By :
  • Published Date : 2023-06-09 14:55:24

આગામી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કર દીધી છે. જો કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ગાંધી પરિવારમાંથી આવતા પ્રિયંકા ગાંધી લોકસભા-2024ની ચૂંટણી લડશે કે કેમ  તેને લઈ અસમંજસની સ્થિતી પ્રવર્તે છે. જો કે આજે પ્રિયંકા ગાંધીની લોકસભા ઉમેદવારીને લઈ કોંગ્રસે મહત્વનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને નેતા પ્રિયંકા ગાંધી ગાંધી લોકસભાની ચૂંટણી લડશે નહીં. સોનિયા ગાંધીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધીની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.


પ્રિયંકા ગાંધી સમગ્ર દેશમાં કરશે પ્રચાર
 

સોનિયા ગાંધી 2024માં ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. જો કે પ્રિયંકા ગાંધીએ એક બેઠક પર ચૂંટણી લડવાને બદલે આખા દેશમાં પાર્ટી અને યુપીએ ગઠબંધન માટે પ્રચાર કરવો જોઈએ. પાર્ટીના નેતાઓએ કહ્યું કે પ્રિયંકાએ પ્રચાર માટે માત્ર ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત રહેવું જોઈએ નહી પરંતુ આખા દેશમાં પ્રચાર કરવો જોઇએ. કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના નેતાઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધી મોટા સ્ટાર પ્રચારક બની શકે છે, તેથી તેમણે લોકસભાની ચૂંટણી ન લડવી જોઈએ. જોકે, કેટલાક નેતાઓનું માનવું હતું કે લોકસભાની ચૂંટણી લડવાથી પ્રિયંકા એક મોટા ચહેરા તરીકે ઉભરી આવશે. મોટાભાગના નેતાઓ એવું પણ માને છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં કોઈને પણ PM ચહેરા તરીકે આગળ કરવા જોઇએ નહીં જેનાથી સાથી પક્ષો વધુ આત્મવિશ્વાસ સાથે યુપીએ ગઠબંધનમાં જોડાઈ શકશે.


અમેઠીથી કોણ લડશે ચૂંટણી?


ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભાની સીટ નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત સીટ છે, આ વખતે અમેઠીથી કોણ ચૂંટણી લડશે? તે અંગે કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે નહેરુ-ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીને હવે અમેઠી બેઠકમાં રસ નથી. મહાગઠબંધનની સ્થિતિમાં કોંગ્રેસ અમેઠીની બેઠક પર દાવો કરશે નહીં. મહાગઠબંધન થાય તો કોંગ્રેસ આ બેઠક સાથી પક્ષો માટે છોડી દે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે સોનિયા ગાંધીના ચૂંટણી લડવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સોનિયા આ વખતે ચૂંટણી નહીં લડે તો પણ રાયબરેલીથી કોંગ્રેસનો જ કોઇ ઉમેદવાર જ ચૂંટણી લડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.