પ્રિયંકા ગાંધી ફાઈનલ કરશે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 13:00:45

ગુજરાત માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તે પહેલા હિમાચલ પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં મતદાન 12 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન આવવાનું છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાને લઈ એક નિર્ણય લીધો છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધી લેશે. પ્રિયંકા ગાંધી જે નામની રજૂઆત કરશે તે અંગે કમિટી નિર્ણય લેશે. 

Priyanka Gandhi Will Visit Gujarat On This Date In Action For The Assembly  Elections | વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રિયંકા ગાંંધી એક્શનમાં, આ તારીખે  લેશે ગુજરાતની મુલાકાતે

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી 

12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 65.92 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા દરેક પાર્ટીએ અનેક રોડ શો તેમજ જનસભા આયોજી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશમાં પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશનું ચૂંટણીનું પરિણામ આવવાનું છે. 

હિમાચલ પ્રદેશ ચૂંટણી: પરિવારમાં જંગ, પિતા-પુત્ર, સસરા-જમાઈ સામ-સામે | himachal  pradesh assembly election war in the family member

મુખ્યમંત્રી અંગે પ્રિયંકા ગાંધી સબ્મિટ કરશે રિપોર્ટ

પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશની રાજનીતિથી પરિચીત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી શીમલા ખાતે રહ્યા હતા. કોંગ્રેસનો પ્રચાર કરવાની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી હતી. ત્યારે પાર્ટીએ વધુ એક જવાબદારી પ્રિયંકા ગાંધીને આપી છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત થશે તો કોંગ્રેસ કોને પોતાના મુખ્યમંત્રી બનાવશે તે પ્રિયંકા ગાંધી નક્કી કરશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.