પ્રિયંકા ગાંધી ફાઈનલ કરશે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 13:00:45

ગુજરાત માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તે પહેલા હિમાચલ પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં મતદાન 12 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન આવવાનું છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાને લઈ એક નિર્ણય લીધો છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધી લેશે. પ્રિયંકા ગાંધી જે નામની રજૂઆત કરશે તે અંગે કમિટી નિર્ણય લેશે. 

Priyanka Gandhi Will Visit Gujarat On This Date In Action For The Assembly  Elections | વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રિયંકા ગાંંધી એક્શનમાં, આ તારીખે  લેશે ગુજરાતની મુલાકાતે

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી 

12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 65.92 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા દરેક પાર્ટીએ અનેક રોડ શો તેમજ જનસભા આયોજી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશમાં પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશનું ચૂંટણીનું પરિણામ આવવાનું છે. 

હિમાચલ પ્રદેશ ચૂંટણી: પરિવારમાં જંગ, પિતા-પુત્ર, સસરા-જમાઈ સામ-સામે | himachal  pradesh assembly election war in the family member

મુખ્યમંત્રી અંગે પ્રિયંકા ગાંધી સબ્મિટ કરશે રિપોર્ટ

પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશની રાજનીતિથી પરિચીત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી શીમલા ખાતે રહ્યા હતા. કોંગ્રેસનો પ્રચાર કરવાની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી હતી. ત્યારે પાર્ટીએ વધુ એક જવાબદારી પ્રિયંકા ગાંધીને આપી છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત થશે તો કોંગ્રેસ કોને પોતાના મુખ્યમંત્રી બનાવશે તે પ્રિયંકા ગાંધી નક્કી કરશે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.