પ્રિયંકા ગાંધી ફાઈનલ કરશે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 13:00:45

ગુજરાત માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તે પહેલા હિમાચલ પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં મતદાન 12 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન આવવાનું છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાને લઈ એક નિર્ણય લીધો છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધી લેશે. પ્રિયંકા ગાંધી જે નામની રજૂઆત કરશે તે અંગે કમિટી નિર્ણય લેશે. 

Priyanka Gandhi Will Visit Gujarat On This Date In Action For The Assembly  Elections | વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રિયંકા ગાંંધી એક્શનમાં, આ તારીખે  લેશે ગુજરાતની મુલાકાતે

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી 

12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 65.92 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા દરેક પાર્ટીએ અનેક રોડ શો તેમજ જનસભા આયોજી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશમાં પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશનું ચૂંટણીનું પરિણામ આવવાનું છે. 

હિમાચલ પ્રદેશ ચૂંટણી: પરિવારમાં જંગ, પિતા-પુત્ર, સસરા-જમાઈ સામ-સામે | himachal  pradesh assembly election war in the family member

મુખ્યમંત્રી અંગે પ્રિયંકા ગાંધી સબ્મિટ કરશે રિપોર્ટ

પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશની રાજનીતિથી પરિચીત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી શીમલા ખાતે રહ્યા હતા. કોંગ્રેસનો પ્રચાર કરવાની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી હતી. ત્યારે પાર્ટીએ વધુ એક જવાબદારી પ્રિયંકા ગાંધીને આપી છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત થશે તો કોંગ્રેસ કોને પોતાના મુખ્યમંત્રી બનાવશે તે પ્રિયંકા ગાંધી નક્કી કરશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.