WFIના અધ્યક્ષ સામે પહેલવાનોના ધરણા, અધ્યક્ષ બ્રિજભૂષણ પર લાગયા છે યૌન શોષણના આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:15:52

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા ધરણા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવવાની સાથે વિનેશ ફોગાટ અને તેમની સાથે અન્ય 20 જેટલા રેસલરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી રહ્યા છે.

    

ખેલ મંત્રાલયે માગ્યો જવાબ       

ધરણા કરી રહેલા વિશ્વ ચૈંપિયનશિપનું પદક જીતનાર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે લખનઉંના રાષ્ટ્રીય શિબિરમાં અનેક કોચો દ્વારા મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને શોષણનો ભોગ નથી બનવું પડ્યું. આ વાતને રમત-ગમત મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. અને 72 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે. 


અનેક પહેલવાનો કરી રહ્યા છે ધરણા 

આરોપ લાગવાને કારણે ખેલ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી મહિલા રેસલિંગ મેચને રદ્દ કરવામાં આવી છે. આ કેંપમાં 41 મહિલા પહેલવાન ભાગ લેવાના હતા. વિનેશ ફોગાટની સાથે આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાનો ધરણા પર બેઠા છે. તમામ પહેલવાનોએ વડાપ્રધાન મોદીને મળવાની માગ કરી છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.