WFIના અધ્યક્ષ સામે પહેલવાનોના ધરણા, અધ્યક્ષ બ્રિજભૂષણ પર લાગયા છે યૌન શોષણના આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:15:52

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા ધરણા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવવાની સાથે વિનેશ ફોગાટ અને તેમની સાથે અન્ય 20 જેટલા રેસલરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી રહ્યા છે.

    

ખેલ મંત્રાલયે માગ્યો જવાબ       

ધરણા કરી રહેલા વિશ્વ ચૈંપિયનશિપનું પદક જીતનાર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે લખનઉંના રાષ્ટ્રીય શિબિરમાં અનેક કોચો દ્વારા મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને શોષણનો ભોગ નથી બનવું પડ્યું. આ વાતને રમત-ગમત મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. અને 72 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે. 


અનેક પહેલવાનો કરી રહ્યા છે ધરણા 

આરોપ લાગવાને કારણે ખેલ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી મહિલા રેસલિંગ મેચને રદ્દ કરવામાં આવી છે. આ કેંપમાં 41 મહિલા પહેલવાન ભાગ લેવાના હતા. વિનેશ ફોગાટની સાથે આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાનો ધરણા પર બેઠા છે. તમામ પહેલવાનોએ વડાપ્રધાન મોદીને મળવાની માગ કરી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.