WFIના અધ્યક્ષ સામે પહેલવાનોના ધરણા, અધ્યક્ષ બ્રિજભૂષણ પર લાગયા છે યૌન શોષણના આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:15:52

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા ધરણા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવવાની સાથે વિનેશ ફોગાટ અને તેમની સાથે અન્ય 20 જેટલા રેસલરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી રહ્યા છે.

    

ખેલ મંત્રાલયે માગ્યો જવાબ       

ધરણા કરી રહેલા વિશ્વ ચૈંપિયનશિપનું પદક જીતનાર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે લખનઉંના રાષ્ટ્રીય શિબિરમાં અનેક કોચો દ્વારા મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને શોષણનો ભોગ નથી બનવું પડ્યું. આ વાતને રમત-ગમત મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. અને 72 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે. 


અનેક પહેલવાનો કરી રહ્યા છે ધરણા 

આરોપ લાગવાને કારણે ખેલ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી મહિલા રેસલિંગ મેચને રદ્દ કરવામાં આવી છે. આ કેંપમાં 41 મહિલા પહેલવાન ભાગ લેવાના હતા. વિનેશ ફોગાટની સાથે આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાનો ધરણા પર બેઠા છે. તમામ પહેલવાનોએ વડાપ્રધાન મોદીને મળવાની માગ કરી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.