WFIના અધ્યક્ષ સામે પહેલવાનોના ધરણા, અધ્યક્ષ બ્રિજભૂષણ પર લાગયા છે યૌન શોષણના આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:15:52

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા ધરણા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવવાની સાથે વિનેશ ફોગાટ અને તેમની સાથે અન્ય 20 જેટલા રેસલરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી રહ્યા છે.

    

ખેલ મંત્રાલયે માગ્યો જવાબ       

ધરણા કરી રહેલા વિશ્વ ચૈંપિયનશિપનું પદક જીતનાર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે લખનઉંના રાષ્ટ્રીય શિબિરમાં અનેક કોચો દ્વારા મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને શોષણનો ભોગ નથી બનવું પડ્યું. આ વાતને રમત-ગમત મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. અને 72 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે. 


અનેક પહેલવાનો કરી રહ્યા છે ધરણા 

આરોપ લાગવાને કારણે ખેલ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી મહિલા રેસલિંગ મેચને રદ્દ કરવામાં આવી છે. આ કેંપમાં 41 મહિલા પહેલવાન ભાગ લેવાના હતા. વિનેશ ફોગાટની સાથે આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાનો ધરણા પર બેઠા છે. તમામ પહેલવાનોએ વડાપ્રધાન મોદીને મળવાની માગ કરી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.