સુરેન્દ્રનગરના દસાડા પાસે બુટલેગરની દારુ ભરેલી કારને રોકવા જતા SMCના PSI પઠાણનું અવસાન


  • Published By :
  • Published Date : 2024-11-05 16:07:19

ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત ગણાય છે.. ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે. છતાં પણ ગુજરાતમાં બુટલેગરો બેફામ બની દારૂનું વેચાણ ... કેટલો દારુ વેચાય છે આ પણ સૌ કોઈને ખબર છે.... પણ રાજ્યમાં ઘણા એવા પ્રામાણિક પોલીસ કર્મચારીઓ છે જેના કારણે બુટેલગરોને પકડવાની પ્રવૃતિઓ પણ થાય છે અને તેના પર જીવલેણ હુમલા થાય છે.... ક્યારેક એ હુમલામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ પણ થાય છે.... સુરેન્દ્રનગરના દસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું મૃત્યુ થયું.... ચર્ચા એવી છે કે બુટલેગરે ગાડી ચડાવી દેવાથી પીએસઆઈનું મોત થયું છે....

પોસ્ટમોર્ટમ પછી સોંપવામાં આવશે મૃતદેહ

ગાંધીનાં ગુજરાતમાં દારુબંધી છતાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહ્યો હોવાની વાત નવી નથી. જોકે પોલીસ દ્વારા જ્યારે બુટલેગરને પકડવામાં આવે ત્યારે બુટલેગરો પોલીસને જાનથી મારી નાંખવા અને બદનામ કરવા જેવી ધમકી આપતાં હોય છે... ઘણીવાર તો પોલીસ પર જીવલેણ હુમલો પણ કરતા હોય છે. અને ક્યારેક એ હુમલામાં પોલીસ કર્મચારીઓ જીવ પણ ગુમાવતા હોય છે... સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો એમણે પ્રયાસ કર્યો હતો. પણ વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા ગંભીર ઈજા થઈ અને સારવારમાં એમનું મૃત્યુ થયું... પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે.... 



ગાડી અંગેની મળી હતી બાતમી

હવે સવાલ એ થાય કે કેવી રીતે આ ઘટના બની તો સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે.એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે એમને બાતમી મળી હતી કે, ત્યાંથી એક દારુ ભરેલી  ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થવાની છે.... પીએસાઈ પઠાણ એમની કર્તવ્યનિષ્ઠા સમજીને કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઊભા હતા. એ સમયે  પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થઈ પીએસઆઈ પઠાણ તેને રોકવા ગયા પણ ટ્રેલર અને ક્રેટા કાર રોકાયા નહીં. આ વખતે ટ્રેલરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાયા અને સાથેની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા....




અલગ અલગ જગ્યાઓ પર કરી હતી રેડ

અને આવી રીતે એમની સાથે અકસ્માત થયો પણ ચર્ચા એવી છે કે જાણી જોઈને ટ્રેલર કે ટ્રક ચાલકે તેમની કારને ટક્કર મારી અને મોત થયું... જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી.  ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાયા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી..... દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.મૃતક PSI અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્ની છે. જે તેમની સાથે રહેતા હતા. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ચૂનંદા અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. ગુજરાતમાં દારૂની હેરફેર સતત થતી હોવાના આ પૂરાવા છે. જેમાં પોલીસકર્મી પોતાના જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે બુટલેગરના લીધે પરિવારનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે.... 



આમને પણ પહોંચી ઈજા

એમની સાથે રહેલા પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજાને પણ ઇજા થઈ છે... સવાલ એ છે કે કરે કોઈ અને ભરે કોઈ.... દારુબંધીની વાતો વચ્ચે ગુજરાતમાં દારુ બેફામ વેચાય છે.. પણ કોના પાપે વેચાય છે.. તો કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમની આવા બુટલેગરો સાથે સાંઠગાઠ હોય છે, જેના પાપે બુટલેગરો બેફામ બન્યા છે.... પણ તેની સામે આવા પ્રામાણિક પોલીસ કર્મચારીઓને ભોગવવું પડે છે.... બધા પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે એવુ નથી... એમાંથી મોટાભાગના પોલીસ કર્મચારી પ્રમાણિક પણ છે અને એટલે જ આપણે સલામત છીએ... નહીંતર વિચારો આ બુટલેગરોની હિંમત ક્યાં પહોંચી હોત...



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.