PUBG ચાહકો માટે સારા સમાચાર, લોકપ્રિય ગેમ ભારતમાં કરશે પુનરાગમન... સરકારે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-05-19 15:23:12

PUBG ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરી રહી છે. ભારત સરકારે કોરિયન મોબાઈલ ગેમિંગ એપ PUBG પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.ભારત સરકારે જુલાઈ 2022માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના પ્રતિબંધના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી હતી. તે લોકપ્રિય PUBG મોબાઈલનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન હતું. હવે લગભગ 10 મહિના પછી આ ગેમ ફરી એકવાર પુનરાગમન કરશે. 


કંપનીને મળ્યો 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ 


ભારત સરકારના જણાવ્યા અનુસાર, કંપનીને 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે. કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. ખેલાડીઓએ પોતાને નુકસાન ન કરવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, તેના પર નજર રાખવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. સરકારે કેટલીક શરતો સાથે ગેમિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. 2 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


કંપનીએ માન્યો સરકારનો આભાર


અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનીલ સોહને BGMI ની એન્ટ્રી વિશે કહ્યું કે, 'અમે ભારતીય સત્તાવાળાઓના ખૂબ આભારી છીએ, જેણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) નું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BGMI બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.


PUBG સહિત 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો


ભારત સરકારે 10 મહિના પહેલા 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. આને ધ્યાનમાં રાખીને, કંપનીના માલિક ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનની રજૂઆત સાથે, ભારતમાં ઝડપથી વિકસતા ઇ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.