PUBG ચાહકો માટે સારા સમાચાર, લોકપ્રિય ગેમ ભારતમાં કરશે પુનરાગમન... સરકારે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-05-19 15:23:12

PUBG ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરી રહી છે. ભારત સરકારે કોરિયન મોબાઈલ ગેમિંગ એપ PUBG પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.ભારત સરકારે જુલાઈ 2022માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના પ્રતિબંધના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી હતી. તે લોકપ્રિય PUBG મોબાઈલનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન હતું. હવે લગભગ 10 મહિના પછી આ ગેમ ફરી એકવાર પુનરાગમન કરશે. 


કંપનીને મળ્યો 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ 


ભારત સરકારના જણાવ્યા અનુસાર, કંપનીને 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે. કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. ખેલાડીઓએ પોતાને નુકસાન ન કરવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, તેના પર નજર રાખવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. સરકારે કેટલીક શરતો સાથે ગેમિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. 2 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


કંપનીએ માન્યો સરકારનો આભાર


અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનીલ સોહને BGMI ની એન્ટ્રી વિશે કહ્યું કે, 'અમે ભારતીય સત્તાવાળાઓના ખૂબ આભારી છીએ, જેણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) નું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BGMI બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.


PUBG સહિત 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો


ભારત સરકારે 10 મહિના પહેલા 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. આને ધ્યાનમાં રાખીને, કંપનીના માલિક ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનની રજૂઆત સાથે, ભારતમાં ઝડપથી વિકસતા ઇ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.