PUBG ચાહકો માટે સારા સમાચાર, લોકપ્રિય ગેમ ભારતમાં કરશે પુનરાગમન... સરકારે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-05-19 15:23:12

PUBG ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરી રહી છે. ભારત સરકારે કોરિયન મોબાઈલ ગેમિંગ એપ PUBG પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.ભારત સરકારે જુલાઈ 2022માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના પ્રતિબંધના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી હતી. તે લોકપ્રિય PUBG મોબાઈલનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન હતું. હવે લગભગ 10 મહિના પછી આ ગેમ ફરી એકવાર પુનરાગમન કરશે. 


કંપનીને મળ્યો 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ 


ભારત સરકારના જણાવ્યા અનુસાર, કંપનીને 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે. કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. ખેલાડીઓએ પોતાને નુકસાન ન કરવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, તેના પર નજર રાખવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. સરકારે કેટલીક શરતો સાથે ગેમિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. 2 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


કંપનીએ માન્યો સરકારનો આભાર


અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનીલ સોહને BGMI ની એન્ટ્રી વિશે કહ્યું કે, 'અમે ભારતીય સત્તાવાળાઓના ખૂબ આભારી છીએ, જેણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) નું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BGMI બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.


PUBG સહિત 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો


ભારત સરકારે 10 મહિના પહેલા 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. આને ધ્યાનમાં રાખીને, કંપનીના માલિક ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનની રજૂઆત સાથે, ભારતમાં ઝડપથી વિકસતા ઇ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.