PUBG ચાહકો માટે સારા સમાચાર, લોકપ્રિય ગેમ ભારતમાં કરશે પુનરાગમન... સરકારે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-05-19 15:23:12

PUBG ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરી રહી છે. ભારત સરકારે કોરિયન મોબાઈલ ગેમિંગ એપ PUBG પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.ભારત સરકારે જુલાઈ 2022માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના પ્રતિબંધના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી હતી. તે લોકપ્રિય PUBG મોબાઈલનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન હતું. હવે લગભગ 10 મહિના પછી આ ગેમ ફરી એકવાર પુનરાગમન કરશે. 


કંપનીને મળ્યો 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ 


ભારત સરકારના જણાવ્યા અનુસાર, કંપનીને 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે. કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. ખેલાડીઓએ પોતાને નુકસાન ન કરવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, તેના પર નજર રાખવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. સરકારે કેટલીક શરતો સાથે ગેમિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. 2 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


કંપનીએ માન્યો સરકારનો આભાર


અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનીલ સોહને BGMI ની એન્ટ્રી વિશે કહ્યું કે, 'અમે ભારતીય સત્તાવાળાઓના ખૂબ આભારી છીએ, જેણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) નું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BGMI બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.


PUBG સહિત 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો


ભારત સરકારે 10 મહિના પહેલા 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. આને ધ્યાનમાં રાખીને, કંપનીના માલિક ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનની રજૂઆત સાથે, ભારતમાં ઝડપથી વિકસતા ઇ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.