નેપાળમાં ગમખ્વાર અકસ્માત, બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 8 લોકોના મોત, 19થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-23 16:53:06

નેપાળમાં એક પેસેન્જર બસ માર્ગ પર દોડતા-દોડતા અચાનક જ  ત્રિશુલી નદીમાં ખાબકી હતી. તેના કારણે તમામ લોકો ફસાઈ ગયા હતા, અનેક યાત્રિકોમ તો બસની બારી તોડીને છત પર ચઢી ગયા હતા. આ દરમિયાન આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જો કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ 8 લોકોના મોત થઈ ચુક્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેપાળની રાજધાની કાઠમંડૂથી પોખરા જઈ રહેલી પેસેન્જર બસ બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લાના ચાલીસે વિસ્તારમાં અનિયંત્રિત થઈને ત્રિશૂલ નદીમાં ખાબકતા હાહાકાર મચી ગયો હતો.


19થી વધુ લોકો ઘાયલ થયા


નેપાળના બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગ પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.