ચંદીગઢમાં પંજાબના CM ભગવંત માનના ઘર પાસેથી મળ્યો લાઈવ બોંબ, પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-01-02 18:54:23

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચંદીગઢ સ્થિત સેક્ટર 2માં આવેલા સત્તાવાર નિવાસ્થાનની પાસેથી એક બોંબ મળી આવ્યો છે. ચંદીગઢના રાજિંદર પાર્કમાંથી આ બોંબ મળી આવતા અફરાતફરી  મચી ગઈ હતી. બોંબના સમાચાર મળતા જ ચંદીગઢ પોલીસની ટીમ, બોંબ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચંડી મંદિર સ્થિત આર્મીને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોંબને ડિફ્યુઝ કરવાની કાર્યવાહી ચાલી રહી, અને ખુબ જ ઝડપથી તેને ડિફ્યુઝ કરી લેવામાં આવશે.


ઘટના બાદ પોલીસ કાફલામાં હડકંપ


ચંદીગઢના અત્યંત સુરક્ષીત વિસ્તારમાં લાઈવ બોંબ મળી આવતા પોલીસ કાંફલામાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસેથી મળેલા બોંબને લઈ સક્રિય બની છે. પોલીસના જવાનોએ તાત્કાલિક શેલની આસપાસ રેતી ભરેલી બોરીઓ મુકી દીધી હતી. ઘટના સ્થળથી થોડા અંતરે જ મુખ્યમંત્રીનું હેલીપેડ છે. આ સ્થિતીમાં સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષામાં મામલે મોટી ગફલત માની રહી છે.


હરિયાણાના સીએમનું પણ આવાસસ્થાન


ચંદીગઢના જે વિસ્તારમાંથી બોંબ મળી આવ્યો ત્યા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પણ સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. પંજાબ અને હરિયાણાના સચિવાલય અને વિધાનસભા પણ તે જ સ્થળે આવેલા છે.


બોંબ અંગે કઈ રીતે ખબર પડી?


સોમવાર સાંજે લગભગ 4થી 4.30 વાગ્યે એક ટ્યુબવેલ સંચાલકે પંજાબના સીએમના હેલિપેડ અને નિવાસસ્થાન નજીક કેરીના બગીચામાં બોંબ જોયો હતો. બોંબને નિષ્ક્રિય કરવાનું કામ તાત્કાલિક ભારતીય સેનાની પશ્ચિમ કમાનને સોંપાવામાં આવ્યું છે. જો કે ઘટના વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના નિવાસસ્થાને હાજર નહોંતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.