ચંદીગઢમાં પંજાબના CM ભગવંત માનના ઘર પાસેથી મળ્યો લાઈવ બોંબ, પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-01-02 18:54:23

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચંદીગઢ સ્થિત સેક્ટર 2માં આવેલા સત્તાવાર નિવાસ્થાનની પાસેથી એક બોંબ મળી આવ્યો છે. ચંદીગઢના રાજિંદર પાર્કમાંથી આ બોંબ મળી આવતા અફરાતફરી  મચી ગઈ હતી. બોંબના સમાચાર મળતા જ ચંદીગઢ પોલીસની ટીમ, બોંબ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચંડી મંદિર સ્થિત આર્મીને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોંબને ડિફ્યુઝ કરવાની કાર્યવાહી ચાલી રહી, અને ખુબ જ ઝડપથી તેને ડિફ્યુઝ કરી લેવામાં આવશે.


ઘટના બાદ પોલીસ કાફલામાં હડકંપ


ચંદીગઢના અત્યંત સુરક્ષીત વિસ્તારમાં લાઈવ બોંબ મળી આવતા પોલીસ કાંફલામાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસેથી મળેલા બોંબને લઈ સક્રિય બની છે. પોલીસના જવાનોએ તાત્કાલિક શેલની આસપાસ રેતી ભરેલી બોરીઓ મુકી દીધી હતી. ઘટના સ્થળથી થોડા અંતરે જ મુખ્યમંત્રીનું હેલીપેડ છે. આ સ્થિતીમાં સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષામાં મામલે મોટી ગફલત માની રહી છે.


હરિયાણાના સીએમનું પણ આવાસસ્થાન


ચંદીગઢના જે વિસ્તારમાંથી બોંબ મળી આવ્યો ત્યા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પણ સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. પંજાબ અને હરિયાણાના સચિવાલય અને વિધાનસભા પણ તે જ સ્થળે આવેલા છે.


બોંબ અંગે કઈ રીતે ખબર પડી?


સોમવાર સાંજે લગભગ 4થી 4.30 વાગ્યે એક ટ્યુબવેલ સંચાલકે પંજાબના સીએમના હેલિપેડ અને નિવાસસ્થાન નજીક કેરીના બગીચામાં બોંબ જોયો હતો. બોંબને નિષ્ક્રિય કરવાનું કામ તાત્કાલિક ભારતીય સેનાની પશ્ચિમ કમાનને સોંપાવામાં આવ્યું છે. જો કે ઘટના વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના નિવાસસ્થાને હાજર નહોંતા.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.